Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડતાલધામમાં શિબિરાર્થીઓએ કર્યું માતૃ-પિતૃ પૂજન:ભક્તિસભર માહોલમાં ‘સહજાનંદી શિબિર-10’ની પૂર્ણાહુતિ, બાળકોએ વાલીઓના ચરણ પખાળ્યા

    6 hours ago

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં 7 મે થી 10 મે સુધી આયોજિત ચાર દિવસીય 'સહજાનંદી બાળ યુવા શિબિર-10'નો રવિવાર સાંજે અત્યંત ભાવુક અને ભક્તિમય વાતાવરણમાં સમાપન થયો હતો. શિબિરના અંતિમ દિવસે સંસ્કાર અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. માતૃ-પિતૃ વંદના અને ભાવુક દ્રશ્યો શિબિરનો અંતિમ દિવસ 10 મે ના રોજ હતો, જે સંજોગોવશાત્ 'મધર્સ ડે' પણ હતો. આ અવસરને યાદગાર બનાવવા માટે વડતાલધામમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 ઉપરાંત માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં આવેલા બાળકોએ શિક્ષાપત્રીની આજ્ઞાને અનુસરીને પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરી પૂજન કર્યું હતું. આ દ્રશ્યો જોઈ ઉપસ્થિત વાલીઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને સમગ્ર સભાખંડ ભાવુક થઈ ગયો હતો. બાળ પ્રતિભાઓનું આકર્ષણ આ શિબિરમાં બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાજકોટથી આવેલા બાળકોએ સંગીત ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ તાલીમનું પ્રદર્શન કર્યું હતું. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 8 વર્ષીય રુદ્ર શર્મા રહ્યો હતો, જેણે પોતાની ધારદાર વાક્છટા અને એકપાત્રીય અભિનય દ્વારા સૌના મિલ જીતી લીધા હતા. અનેક નાના બાળકોએ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્યો રજૂ કરીને પોતાની અભિવ્યક્તિ શક્તિનો પરિચય આપ્યો હતો. સંતોનું માર્ગદર્શન અને પ્રોત્સાહન વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ આ શિબિરના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, બાળકોમાં નાનપણથી જ આધ્યાત્મિકતા અને સંસ્કારોનું સિંચન થાય તે માટે આ આયોજન કરાયું હતું. મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીએ ઉપસ્થિત રહી દરેક બાળકને પ્રોત્સાહિત કર્યા હતા અને આગામી વર્ષે યોજાનારી ગ્રીષ્મ શિબિરમાં પણ ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. શ્યામવલ્લભ સ્વામીએ દરેક શિબિરાર્થીને પુષ્પમાળા પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું. વ્યવસ્થાપન અને સંચાલન આ ભવ્ય શિબિરને સફળ બનાવવા માટે શ્યામવલ્લભ સ્વામી, શાસ્ત્રી નારાયણચરણ સ્વામી (બુધેજ), ગોપાલભગત (જ્ઞાનબાગ), જ્ઞાનપ્રકાશ સ્વામી (વિરસદ), કે.પી. સ્વામી, પ્રેમનંદનસ્વામી, કાંતિ ભગત (રાજકોટ) તથા માધવ સ્વામીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર વ્યવસ્થાનું સંચાલન ટ્રસ્ટી અલ્પિતભાઈ, નિકિતભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ (વડતાલ ઓફિસ) અને અજયભાઈ (ડાકોર) દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર પરણિતાની કરપીણ હત્યાનો મામલો:ન્યાય માટે પરિવાર SPના શરણે, કહ્યું - આ એકલાનું કામ નથી, આખા પરિવારે મળીને અમારી દીકરીને મારી છે
    Next Article
    Mamata Banerjee Claims SIR Impacted Bengal Poll Results, Top Court Responds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment