Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયના હાર્દ સમાન સેક્ટર-10માં મોરનું મોત:પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીની તદ્દન નજીક જ રાષ્ટ્રીય પક્ષીના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ

    7 hours ago

    ગાંધીનગરમાં જ્યાં એકતરફ વનરાજી અને પર્યાવરણના જતનની મોટી વાતો કરવામાં આવે છે, ત્યાં બીજીતરફ રાષ્ટ્રીય પક્ષી મોરની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સેક્ટર-10 સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી નજીક આજે સવારે એક મોરનો મૃતદેહ અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાએ વન વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. પીંછા ચારેતરફ વિખરાયેલા, પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો ગાંધીનગરના સેક્ટર-10નો આ વિસ્તાર ગાઢ વૃક્ષો અને વનરાજીથી ઘેરાયેલો હોવાને કારણે વર્ષોથી પશુ-પક્ષીઓ માટે કુદરતી આશ્રય સ્થાન રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આંતક જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મોરનો મૃતદેહ જે હાલતમાં મળ્યો છે તે જોતા જણાય છે કે કૂતરાઓએ તેને ફાડી ખાધો છે. અહીં મોરના પીંછા ચારેતરફ વિખરાયેલા જોવા મળ્યા હતા. વન્યજીવો માટે સુરક્ષિત ગણાતા પાટનગરમાં જ રાષ્ટ્રીય પક્ષી અસુરક્ષિત હોવાની બાબતે પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. મૃત મોરને સામાન્ય પક્ષીની જેમ નિકાલ કરી શકાતો નથી મહત્વનું છેકે,ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ મોરને સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. જ્યારે પણ કોઈ મોર મૃત હાલતમાં મળી આવે ત્યારે તેને સામાન્ય પક્ષીની જેમ નિકાલ કરી શકાતો નથી. પ્રોટોકોલ મુજબ સૌ પ્રથમ સ્થાનિક વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની રાહે છે. વન વિભાગ દસ્તાવેજીકરણ કરીને જમીનમાં દફનાવે અથવા અગ્નિદાહ આપે મોરના મૃતદેહનું પશુ ચિકિત્સક દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ વન અધિકારીઓની હાજરીમાં મોરને સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે જમીનમાં દફનાવવામાં આવે છે અથવા અગ્નિદાહ આપવામાં આવે છે. મોરના અંગો કે પીંછાની કોઈ ગેરકાયદેસર હેરાફેરી ન થાય તે માટે આ સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરીને દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીની તદ્દન નજીક જ રાષ્ટ્રીય પક્ષીનું મોત ત્યારે પર્યાવરણની જાળવણી માટે જવાબદાર એવી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીની તદ્દન નજીક જ રાષ્ટ્રીય પક્ષીની આવી દશા જોવા મળતા તંત્રની સામે આંગળી ચિંધાઈ રહી છે. એકતરફ વન વિભાગ વન્યજીવ સપ્તાહની ઉજવણી કરે છે તો બીજીતરફ રસ્તા પર રઝળતા રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહ તંત્રની ઉદાસીનતા છતી કરે છે. સ્થાનિકોની માગ છે કે રખડતા શ્વાનોના ત્રાસમાંથી પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે નક્કર કામગીરી કરે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનનું બાડમેર સૌથી ગરમ, 46.8°C તાપમાન:દેશના 9 શહેરોમાં પારો 44°C પાર; ચાર ધામના યાત્રાળુઓને બે દિવસ યાત્રા ટાળવા અપીલ
    Next Article
    Punjab Board PSEB Class 10th Results 2026 Today: How to download marksheets at DigiLocker?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment