Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકા: 30 જૂન સુધી વેરો ભરનારને 10% વળતર:ઈ-નગર પોર્ટલ કાર્યરત, 1 જુલાઈથી પાણી-ડ્રેનેજ પર નોટિસ ફી

    2 days ago

    પાટણ નગરપાલિકાએ વર્ષ 2026-27 માટે મિલકત અને અન્ય વેરાની વસૂલાત પ્રક્રિયા શરૂ કરી છે. નાગરિકોને સમયસર વેરા ભરવા પ્રોત્સાહિત કરવા માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. 4 એપ્રિલથી ઈ-નગર પોર્ટલ દ્વારા ઓનલાઇન વેરા સ્વીકારવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે વેરાના બેઝિક રેટમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. જોકે, જે કરદાતાઓ 30 જૂન, 2024 સુધીમાં પોતાના તમામ વેરાની ભરપાઈ કરશે, તેમને મિલકત વેરામાં 10% વળતર આપવામાં આવશે. 1 જુલાઈથી પાણી અને ડ્રેનેજ વેરા પર 20% નોટિસ ફી લાગુ પડશે. નાગરિકો પોતાનો વેરો ભરવા માટે ગાંધીબાગ ખાતે આવેલી પાટણ નગરપાલિકા કચેરીના સિટી સિવિક સેન્ટરનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, ઈ-નગર પોર્ટલના માધ્યમથી ઓનલાઇન ચૂકવણી પણ કરી શકાય છે. નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને સમયસર વેરા ભરી વળતરનો લાભ લેવા અને 1 જુલાઈથી લાગુ પડતી વધારાની પેનલ્ટીથી બચવા માટે અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારીયાને હાઈકોર્ટની મોટી રાહત:લલિત કગથરાની ચૂંટણી રદ કરવાની અરજી ફગાવી; ચૂંટણી ફોર્મમાં ભૂલો કાઢી, જીતને પડકારતી અરજી દાખલ કરી હતી
    Next Article
    મીરાપૂર પાસે બાઇક સ્લીપ થતા યુવાન ગંભીર ઘાયલ:સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment