Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીમાં તણાતા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત:ઉન પાટીયામાં બે સગા ભાઈઓ સહિત 3ના કરુણ મોત, પરિવારમાં આક્રંદ

    11 hours ago

    દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત અને અતિ ભારે વરસાદે હવે જનજીવન અસ્તવ્યસ્ત કરવાની સાથે મોટી તારાજી સર્જવાનું શરૂ કર્યું છે. ઠેર-ઠેર ખાડીપૂર અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી કાળજું કંપાવી દે તેવી બે જુદી-જુદી આઘાતજનક દુર્ઘટનાઓ સામે આવી છે. સુરતના પાંડેસરા અને ઉન પાટીયા વિસ્તારમાં પૂરના પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાથી 10 વર્ષના એક માસૂમ બાળક સહિત ત્રણ આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. આ આકાશી આફતે બે હસતા-ખેડતા પરિવારોના માળા વિખી નાખતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના-1: પાંડેસરામાં રાત્રે લાઈટ ગુલ થતાં ઘરની બહાર નીકળેલો માસૂમ પૂરમાં તણાયો પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા અને મૂળ હરિયાણાના વતની ધર્મેન્દ્ર કુમારનો 10 વર્ષનો પુત્ર અનુભવ પુરી ગત 7 જુલાઈની રાત્રે ભારે વરસાદ વચ્ચે વીજળી ગુલ થઈ ગઈ હોવાથી પરિવાર સાથે ઊંઘમાં હતો. અનુભવ થોડો માનસિક રીતે અસ્વસ્થ હતો. રાત્રે આશરે 2થી 3 વાગ્યાની આસપાસ, પરિવારની જાણ બહાર તે ઘરની બહાર નીકળી ગયો હતો અને રોડ પર ભરાયેલા કમર સમાન 4થી 5 ફૂટ જેટલા પાણીમાં રમવા લાગ્યો હતો. આ દરમિયાન રસ્તા પર પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તે વહેણમાં તણાઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. દોઢ કલાકની શોધખોળ બાદ ખૂણામાંથી લાશ મળી વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે બાળકની માતા જાગી ત્યારે પુત્ર ઘરમાં ન જણાતા પરિવારે ભારે વરસાદમાં જ તેની શોધખોળ શરૂ કરી હતી. ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા ધર્મેન્દ્ર કુમારે ધોધમાર વરસાદ અને પૂરના પાણીની વચ્ચે આસપાસના વિસ્તારોમાં એકથી દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. જે બાદ સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ નાગસેન નગરના જ એક ખૂણામાંથી પાણીમાં ડૂબેલી હાલતમાં માસૂમ અનુભવનો મૃતદેહ મળી આવ્યો હતો. વહાલસોયા પુત્રના મૃતદેહને જોઈને માતા-પિતા ઘટનાસ્થળે જ ભાંગી પડ્યા હતા. ઘટના 2: ઉન પાટીયામાં રાત્રિના અંધકારમાં બે જુવાનજોધ સગા ભાઈઓ તણાયા બીજી તરફ, સુરતના ઉન પાટીયા વિસ્તારમાંથી પણ આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર ભરાયેલા પાણીના ભારે કરંટ અને તેજ પ્રવાહમાં તણાઈ જવાથી બે જુવાનજોધ સગા ભાઈઓના અકાળે મોત થયા છે. મૃતક ભાઈઓની ઓળખ 20 વર્ષીય હારૂન અને 22 વર્ષીય ફારુક તરીકે થઈ છે. ગઈ રાત્રે ધોધમાર વરસાદને કારણે ઉન પાટીયા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને વહેણ ખૂબ જ તીવ્ર હતું. આ દરમિયાન બંને ભાઈઓ કોઈ અગત્યના કામસર બહાર નીકળ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બંને ભાઈઓ અચાનક તેમાં તણાયા હતા અને રાત્રિના અંધકારમાં ગુમ થઈ ગયા હતા. ભાઈઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને સ્થાનિકોએ આખી રાત ભારે વરસાદની વચ્ચે શોધખોળ આદરી હતી, પરંતુ ઘનઘોર અંધારું હોવાથી રાત્રે કંઈ પતો લાગ્યો નહોતો. એક ભાઈની લાશ ઝાડ નીચે, બીજાની કાર નીચે ફસાયેલી મળી આજે વહેલી સવારે જ્યારે પાણી ઓસરવાનું શરૂ થયું ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન એક ભાઈનો મૃતદેહ રસ્તા પર પાણીમાં તરતો મળી આવ્યો હતો, જ્યારે બીજા ભાઈનો મૃતદેહ પાણીના તેજ પ્રવાહમાં ઘસડાઈને રસ્તા કિનારે પાર્ક કરેલી એક કાર નીચે ફસાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. 20 અને 22 વર્ષના બે જુવાનજોધ દીકરાઓની લાશ એકસાથે જોઈને માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. તંત્રની મદદ ન મળતાં સ્થાનિકોએ લાશ બહાર કાઢી મૃતકના સંબંધી મોહમ્મદ ઝફીર આલમે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "બંને ભાઈઓ પૂરના તેજ વહેણમાં તણાયા બાદ તેમણે મદદ માંગી હતી, પરંતુ ક્યાંયથી મદદ મળી નહીં. લાશ શોધવા કે બહાર કાઢવા માટે તંત્રની કોઈ મદદ નહોતી મળી. સવારે અમે સ્થાનિકોએ જ ભેગા થઈને ભારે જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા છે." બંને કરુણ દુર્ઘટનાઓની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લોકોની મદદથી તમામ મૃતદેહોને કબજે કરી, કાયદેસરની ઇન્ક્વેસ્ટ કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. કુદરતના આ પ્રકોપે સુરતમાં ભારે તારાજી સર્જી છે, ત્યારે સ્થાનિક વહીવટી તંત્રની પ્રી-મોન્સુન કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મમતાએ ઘરની બહાર 3 લોકોને થપ્પડ મારી:ભાજપના કાર્યકરોએ TMCની રેલીમાં ઇંડા ફેંકતા નારાજ થયા, કાર્યકરો બાખડતા પોલીસે લાઠીચાર્જ કર્યો
    Next Article
    જળતાંડવમાં ફાયર બ્રિગેડ, NDRF અને SDRF દેવદૂત બન્યું:બે દિવસમાં બોટ અને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 4300થી વધુ લોકોના જીવ બચાવાયા; ખાડીમાંથી એક લાશ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment