Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં ભવ્ય શણગાર શરૂ:10મીની રાત્રે રોકાણ, મુખ્ય માર્ગો, પાંચ સર્કલો રોશનીથી સજ્જ

    2 days ago

    જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે. વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. આ પૂર્વે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને શહેરના ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે. ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના આ માર્ગના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર રંગબેરંગી રોશની લગાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ ઉપરાંત, લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના પાંચ મુખ્ય સર્કલોને પણ આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. એરફોર્સના ગેટથી લાલ બંગલા સુધીના માર્ગ પરના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે. શણગારની આ કામગીરી ગઈકાલ રાત્રિથી શરૂ થઈ ગઈ છે. આગામી બે દિવસમાં શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો સંપૂર્ણપણે રોશનીથી ઝળહળી ઉઠશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર જામનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છે, અને તંત્ર દ્વારા સુચારુ આયોજન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનો પ્રારંભ:53 ગામોની 6000 મહિલાઓનું નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરાશે
    Next Article
    ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા PMને લોહીથી પત્ર લખ્યો:સુરતના વેપારીઓએ સીરીંજથી લોહી કાઢી અક્ષરો કંડાર્યા, ગૌમાતાને મળે સન્માનના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment