Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સો. મીડિયા પર ચીનથી કાપડ મંગાવવાની જાહેરાત મૂકી વેપારીઓેને ફસાવ્યા:ક્યારેક પંડિત તો ક્યારેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપારી બની ઠગાઈ કરતો 'ધોરણ 10 પાસ' ભેજાબાજ ઝડપાયો

    14 hours ago

    સુરત સાયબર ક્રાઇમ સેલે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા વેપારીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. મૂળ ભાવનગરનો અને હાલ અમદાવાદ-સુરતમાં સક્રિય આ આરોપી ક્યારેક પંડિત બનીને પૂજા-પાઠ કરતો, તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસમેન બનીને લાખો રૂપિયા ખંખેરી લેતો હતો. સુરતના એક વેપારી સાથે 29.43 લાખની છેતરપિંડીના કેસમાં તેની ધરપકડ બાદ અત્યાર સુધીમાં 90 લાખથી વધુના ફ્રોડની વિગતો બહાર આવી છે. ચાઈનાથી કાપડ મંગાવવાના નામે શિપિંગ એજન્ટ તરીકેની ઓળખ પકડાયેલ આરોપી કૃણાલ જનકભાઈ ભોજક (ઉ.વ. 42) ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર 'રાધા ઇમ્પેક્સ' અને 'એસ કે એન્ટરપ્રાઇઝ' નામે આકર્ષક જાહેરાતો ચલાવતો હતો. પોતે મોટો શિપિંગ એજન્ટ હોવાનું જણાવી તે વેપારીઓને વિશ્વાસમાં લેતો કે તે ચાઈનાથી સસ્તા દરે ટેક્સટાઇલ મટીરીયલ અને કાપડના કન્ટેનર મંગાવી આપશે. સુરતના ફરિયાદીને ચાઈનાથી કાપડ આયાત કરી આપવાની લાલચ આપી તેણે કસ્ટમ ડ્યુટી, સપ્લાયર પેમેન્ટ અને શિપિંગ ચાર્જના નામે ટુકડે-ટુકડે કુલ 29,43,400 રૂપિયા પડાવી લીધા હતા. ધોરણ 10 પાસ આરોપીની હાઈટેક મોડસ ઓપરેન્ડી સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, કૃણાલ ભોજક માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે, પરંતુ તેની ગુના કરવાની રીત અત્યંત શાતિર હતી. તે સોશિયલ મીડિયા પર પોતાની એડમાં ચાઈનાની ઓફિસના એડ્રેસ પણ આપતો હતો. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જે એડ્રેસ તે આપતો હતો તે હકીકતમાં રહેણાંક વિસ્તાર હતા અને ત્યાં કોઈ ઓફિસ જ નહોતી. તે અલગ-અલગ જગ્યાએ ભાડે ઓફિસો રાખી વેપારીઓને મીટિંગ માટે બોલાવતો, જેથી કોઈને શંકા ન જાય. ક્યારેક 'પંડિત' તો ક્યારેક 'વેપારી' બની લોકોને ખંખેર્યા આરોપીના વ્યક્તિત્વ વિશે વિગતો આપતા ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આ શખ્સ બહુરૂપી છે. તે પંડિત તરીકે પણ કામ કરતો હોવાનું અને પૂજા-પાઠના નામે પણ લોકોના સંપર્કમાં આવતો હોવાનું જણાયું છે. તેની મુખ્ય MO વેપારીઓને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં મોટો નફો બતાવી લલચાવવાની હતી. એકવાર પૈસા ખાતામાં આવી જાય એટલે તે 45 દિવસ સુધી વાયદા કરતો અને ત્યારબાદ ફોન ઉપાડવાનું બંધ કરી ગાયબ થઈ જતો હતો. અલગ અલગ શહેરના 6 વેપારીઓને શિકાર બનાવ્યા કૃણાલ ભોજકની ધરપકડ બાદ તપાસનો ધમધમોટ તેજ કરાતા જાણવા મળ્યું કે માત્ર સુરત જ નહીં, પરંતુ રાજકોટ, આણંદ, અમદાવાદ અને તેલંગાણાના વેપારીઓ પણ તેની ઠગાઈનો ભોગ બન્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એડની નીચે જ્યારે લોકોએ છેતરપિંડીની કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું, ત્યારે અન્ય ભોગ બનનારાઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ તમામ લોકોએ ભેગા મળી સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંક એકાઉન્ટમાં પૈસા રાખવાના બદલે તરત જ ટ્રાન્સફર કરી દેતો પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે આરોપી પોતાના મુખ્ય બેંક એકાઉન્ટમાં વધુ રકમ રાખતો નહોતો. જેવો કોઈ વેપારી RTGS કે ટ્રાન્સફર દ્વારા પૈસા મોકલે, તે તરત જ એ રકમને અન્ય નાના-નાના અસંખ્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેતો હતો. પોલીસ હાલ આ બેંક સ્ટેટમેન્ટ્સનું એનાલિસિસ કરી રહી છે જેથી આ મની ટ્રેઇલ ક્યાં સુધી જાય છે તે જાણી શકાય. આ ગુનામાં અન્ય શખ્સોની સંડોવણીની પણ પૂરેપૂરી શક્યતા છે. આરોપી સામે મુંબઈ અને કામરેજમાં પણ ફરિયાદ આ પહેલીવાર નથી કે કૃણાલ પોલીસના હાથે ચડ્યો હોય. આ અગાઉ 2021માં સુરતના કામરેજ પોલીસ મથકે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 138ના કેસમાં સમાધાન થયું હતું. આ ઉપરાંત મુંબઈની થાણે પોલીસમાં પણ તેની સામે છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. આરોપી મૂળ ભાવનગરના સંસ્કાર મંડળ વિસ્તારનો રહેવાસી છે અને અડાજણ, સુરત ખાતે પણ તેની અવરજવર હતી. સાયબર ક્રાઇમે તેની સામે BNS ની કલમ 316(5) અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની જનતાને અપીલ, છેતરપિંડી થઈ હોય તો સંપર્ક કરો ડીસીપી બિશાખા જૈને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લલચામણી જાહેરાતો જોઈને સીધા નાણાકીય વ્યવહાર ન કરવા જોઈએ. કોઈપણ પેમેન્ટ કરતા પહેલા સામેની વ્યક્તિની ઓફિસ અને તેના બિઝનેસની ખરાઈ કરવી અત્યંત અનિવાર્ય છે. જે લોકો કૃણાલ ભોજકની આવી જ કોઈ સ્કીમનો ભોગ બન્યા હોય, તેઓ તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવી વિનંતી કરવામાં આવી છે. હાલમાં આ ઠગાઈનો આંકડો 90 લાખ સુધી પહોંચ્યો છે, જે તપાસના અંતે કરોડોમાં જઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂરનું એક વર્ષ, સેના બોલી- આતંકવાદ સામે લડતા રહીશું:એર માર્શલ અવધેશ ભારતીએ કહ્યું- સુનિશ્ચિત કરીશું કે આવો હુમલો બીજીવાર ન થાય
    Next Article
    બોટાદમાં યુવક પર ત્રણ શખ્સોનો હુમલો:અગાઉની ફરિયાદની દાઝ રાખી માર માર્યો, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment