Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડામાં ક્રિપ્ટો-શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની છેતરપિંડી:રાજકોટમાં ભાડૂઆત માતા-પુત્રે ઠગતા યુવાનનો આપઘાત, સોનુ-વાહન ગિરવે મૂકી લોન લીધી પણ વળતર ન મળ્યું

    13 hours ago

    રાજકોટમાં કેનેડાની શેરબજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી યુવાન પાસેથી ભાડૂઆત માતા-પુત્રે રૂ.1 કરોડ ખંખેરી લીધા બાદ પરત ન આપતા 29 વર્ષીય આશાસ્પદ યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. નોન વુવન કાપડની થેલીની ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરતા હિતેષભાઇના મોતથી તેમના પત્ની મોસમીબેનનું સર્વસ્વ છીનવાઈ ગયું છે. લગ્નના બે વર્ષ બાદ જ પતિના મૃત્યુથી પત્ની પર આભ તૂટી પડ્યું છે. જોકે આરોપી ભાડૂઆત માતા જોસનાબેન અને તેના પુત્ર યશ ફરાર છે, ત્યારે આજીડેમ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપી માતા-પુત્રને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પુત્ર યશ અને માતા જોશનાબેન દોઢ-બે વર્ષથી ભાડેથી રહેતા હતા રાજકોટ શહેરના સરદાર ચોક પાસે વીરાણી રેસીડેન્સીમાં રહેતા ધર્મેશભાઈ બારસીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના નાના ભાઈ હિતેષ બારસીતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. તેમના મકાનના નીચેના માળે છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી યશ ધીરુભાઈ લુણાગરીયા અને તેની માતા જોશનાબેન ભાડેથી રહેતા હતા. ક્રિપ્ટોમાં રોકાણથી ઊંચું વળતરની લાલચ આપી ફરિયાદ મુજબ, યશ અને તેની માતાએ હિતેષને કેનેડાની શેરબજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં હિતેષે રૂ. 1 લાખ આપ્યા હતા. જે બાદમાં પરિવારના દબાણથી પરત મેળવી લેવાયા હતા. જોકે ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર ફરીથી વિવિધ રીતે સમજાવીને હિતેષ પાસેથી તબક્કાવાર આશરે રૂ. 1 કરોડ જેટલી રકમ મેળવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. સોનુ-વાહન ગિરવે મૂકી લોન લીધી હતી આ રકમ મેળવવા માટે હિતેષે પોતાનું આશરે 163 ગ્રામ સોનું ગીરવે મૂક્યું, વાહન પર લોન લીધી, મિત્રો તથા સાસરીયા પાસેથી ઉછીના લીધા અને વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી પણ લોન લીધી હતી. બાદમાં પત્ની મોસમીબેનના જણાવ્યા અનુસાર વધુ રૂ.40 લાખ જેટલી રકમ પણ લોન અને સોનું ગીરવે મૂકીને યશને આપવામાં આવી હતી. રોકાણનું વળતર કે મૂળ રકમ પરત માગતા યશ અને તેની માતા સતત વાયદા કરતા રહ્યા પરંતુ પૈસા પરત આપ્યા નહીં. આ દરમિયાન હિતેષ ભારે માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. 14 જૂનના રોજ હિતેષનું સારવાર દરમિયાન મોત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 9 જૂન, 2026ના રોજ સવારે હિતેષ પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ તેને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ લેન્ડમાર્ક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હોસ્પિટલ લઈ જતી વખતે હિતેષે ઓક્સિજન માસ્ક કાઢીને પોતાના મોટા ભાઈને જણાવ્યું હતું કે, "આપણા નીચે રહેતા યશ અને તેની મમ્મીના ત્રાસથી મેં આ પગલું ભર્યું છે." ત્યારબાદ તે ફરી બેભાન થઈ ગયો હતો. હિતેષનું સારવાર દરમિયાન 14 જૂન, 2026ના રોજ મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને વતન ગુંદાસરામાં અંતિમવિધિ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તપાસ તેજ કરી ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે, પરિવાર શોકમાં હોવાથી તેમજ હિતેષની પત્ની મોસમીબેન ફરિયાદ નોંધાવી શકે તેવી માનસિક સ્થિતિમાં ન હોવાથી અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ધર્મેશભાઈએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોટડાસાંગાણીના યશ લુણાગરીયા અને તેની માતા જોશનાબેન સામે રોકાણના નામે મોટી રકમ મેળવી પરત ન આપવી, સતત માનસિક ત્રાસ આપી હિતેષને મરવા મજબૂર કરવા અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મનપાની કચરાગાડીમાં કચરાને બદલે નીકળ્યો દેશી દારુ!:ડિવાઈડર કૂદી સામેથી આવતી કારને મારી જોરદાર ટક્કર, એક્સિડન્ટ બાદ ડ્રાઈવર રોડ પર બેભાન
    Next Article
    વડોદરામાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ:સુરતથી મુખ્ય સપ્લાયર મનિષ પાનસુરીયાને SOG પોલીસે દબોચ્યો, કૌભાંડના મૂળ સુધી જવા તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment