Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ:સુરતથી મુખ્ય સપ્લાયર મનિષ પાનસુરીયાને SOG પોલીસે દબોચ્યો, કૌભાંડના મૂળ સુધી જવા તપાસ શરૂ કરી

    12 hours ago

    દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા અને જનતાને છેતરવાના ઈરાદે વડોદરામાં નકલી નોટો ઘુસાડવાના રેકેટનો વડોદરા SOGએ પર્દાફાશ કર્યો છે. અગાઉ પકડાયેલા આરોપી નીરવ મહેતાની પૂછપરછના આધારે, એસ.ઓ.જી. પોલીસે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સુરતના વેલેન્જા ખાતેથી મુખ્ય સપ્લાયર આરોપી મનિષ ખીમજીભાઈ પાનસુરીયાને ઝડપી પાડ્યો છે. 200 રૂપિયાના દરની 7 નોટ નકલી નીકળી હતી ગત તા.14 ફેબ્રુઆરીના રોજ ICICI બેંકની વાઘોડિયા રોડ શાખાના સી.ડી.એમ. મશીનમાં 1700 રૂપિયા કેશ ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. આ પૈકી 200 રૂપિયાના દરની 7 નોટ મશીનના રિજેક્શન ટ્રે બોક્સમાં જમા થઈ હતી, જે તપાસમાં નકલી માલૂમ પડી હતી. બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે તા. 2 માર્ચના રોજ વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. 200 રૂપિયાના દરની વધુ 60 નકલી નોટો મળી તપાસ દરમિયાન નેશનલ હાઈવે નં.-48, એલ એન્ડ ટી નોલેજ સિટી સામે આવેલા સાહિત્ય ગ્રીન ફ્લેટ ખાતેથી ફૂડ ડિલિવરીના રાઇડર આરોપી નીરવ પ્રભુલાલ મહેતાને શોધી કાઢવામાં આવ્યો હતો. તેની અંગઝડતી અને ઘરમાંથી 200 રૂપિયાના દરની વધુ 60 નકલી નોટો મળી આવી હતી. મનિષ પાનસુરીયાને રાત્રિના સમયે દબોચી લીધો પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન નીરવ મહેતાની કડક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ નકલી નોટો તે સુરતના મનિષ પાનસુરીયા (હાલનું સરનામું: શુભશાંતિ રેસિડેન્સી, અનિલભાઈ બાવાજીના મકાનમાં ભાડેથી, મધુવન સ્કૂલની બાજુમાં, વેલેન્જા ગામ, સુરત શહેર, મૂળ વતન: ઉજડા ગામ, નવા ફળિયું, તા. જામકંડોરણા, જી. રાજકોટ) પાસેથી લાવ્યો હતો. જેથી એસ.ઓ.જી.ની ટીમે સુરતમાં વોચ ગોઠવીને સહ-આરોપી મનિષ પાનસુરીયાને તેના રહેણાંક સરનામેથી રાત્રિના સમયે દબોચી લીધો હતો. અસલી નોટોના બદલામાં ડબલ ડુપ્લિકેટ નોટોનો જથ્થો મેળવ્યો પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મનિષ પાનસુરીયા અને નીરવ મહેતા અગાઉ સુરતમાં ઓફિસ ખોલીને ભાગીદારીમાં શેરબજારનું કામ કરતા હતા. શેરબજારના ધંધામાં મોટી ખોટ આવતા આર્થિક તંગી નિવારવા માટે મનિષ પાનસુરીયાએ બારડોલી પાસેના એક ગામમાંથી અસલ નોટોના બદલામાં ડબલ ડુપ્લિકેટ નોટોનો જથ્થો મેળવ્યો હતો. નોટો નકલી હોવાની જાણ હોવા છતાં, પોતાના આર્થિક ફાયદા માટે તેણે આ નોટો નીરવની મદદથી બજારમાં ફરતી કરી હતી. નકલી નોટો ક્યાં છપાતી હતી? આ કૌભાંડના મૂળ સુધી તપાસ કરવા અને નકલી નોટો ક્યાં છપાતી હતી તેની કડીઓ મેળવવા માટે પોલીસ દ્વારા આરોપી મનિષ પાનસુરીયાના કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કેનેડામાં ક્રિપ્ટો-શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની છેતરપિંડી:રાજકોટમાં ભાડૂઆત માતા-પુત્રે ઠગતા યુવાનનો આપઘાત, સોનુ-વાહન ગિરવે મૂકી લોન લીધી પણ વળતર ન મળ્યું
    Next Article
    Iran's "No History" Reply To Trump's "One Shot" Threat Amid Khamenei Funeral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment