Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની બેદરકારી છતી થઈ:નિઝામપુરા બસ ડેપો પાસે ત્રીજી વખત પાણીની લાઈનમાં લીકેજ, રેલા 1 કિલોમીટર સુધી રેલાયા

    9 hours ago

    નિઝામપુરા એસટી ડેપોની નજીક મુખ્ય રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભર ઉનાળે હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. લાઈનમાંથી નીકળેલું પાણી રોડ પર ફેલાવ્યું હતું અને અંદાજિત 1 કિમી લાંબો રેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી સમારકામ શરૂ કર્યું હતું. હાલમાં તાપમાનનો પારો ઊંચે જતા પાણીની માંગ પણ વધી છે. તેવામાં નિઝામપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં પડેલા ભંગાણના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. નિઝામપુરામાં એસટી બસ ડેપો નજીક પાણીની લાઈનમાં ભંગાર થતા રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકોને પરીક્ષાની થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે, એક જ સ્થળ પર ત્રીજી વખત લાઈનમાં લીકેજ થયું છે. એક મહિનામાં આ બીજી વખતનું લીકેજ છે. વારંવાર આજ સ્થળે પાણીની લાઈન તૂટી હોવા છતાં તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેના કારણે પાણી લોકોને મળવાની જગ્યાએ ગટરમાં જઈ રહ્યું છે. ભર બપોરે પાણી નીકળતા દુકાનો અને સોસાયટીમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી. પાલિકાની વોર્ડની ટીમ સ્થળે દોડી હતી અને સમારકામ શરૂ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    10 lakh leaflets with ‘chargesheet’ against Assam govt: Why 4 Congress workers face sedition-like charges
    Next Article
    જીપીસીબી દ્વારા અલ્ટિમેટમ અપાયું:નંદેસરી જીઆઇડીસી સહિત 6 ઉદ્યોગોને 7 દિવસનું અલ્ટીમેટમ,દુર્ગંધ ન ફેલાય તે રીતે મટિરિયલ્સ વાપરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment