Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુપાલકોમાં ચર્ચા:પશુપાલન વિભાગની ઘોર બેદરકારી: 1 વર્ષ પહેલાં પશુ ગણતરી પૂર્ણ થઈ છતાં આંકડા જાહેર ન કરાયા!

    1 day ago

    સમગ્ર રાજ્ય ઉપરાંત પોરબંદર જિલ્લામાં 1 વર્ષ પૂર્વે જિલ્લામાં પશુ ગણતરી કરવામાં આવી હતી ત્યારે આ પશુ ગણતરી પૂર્ણ થયાના 1 વર્ષ બાદ પણ પશુઓના આંકડા જાહેર ન થતા અનેક ચર્ચા જાગી છે.જિલ્લામાં પશુ ગણતરીના આંકડા કયા કારણોસર છુપાવવામાં આવી રહ્યા છે તે અંગે પશુપાલકોમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓની સ્થિતિ અને સંખ્યા જાણવા માટે પશુ ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયે એક આખું વર્ષ વીતી ગયું હોવા છતાં પણ વિભાગ દ્વારા હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. પશુ ગણતરી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ આંકડા કયા કારણોસર દબાવી રાખવામાં આવ્યા છે, તે બાબત હાલ સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પશુપાલકો અને સ્થાનિકોમાં ચર્ચા છે કે આંકડા જાહેર ન કરવા પાછળ તંત્ર કંઈક છુપાવી રહ્યું છે.તો બીજી તરફ અધિકારીઓ દ્વારા એવું જણાવી રહ્યા છે કે ગણતરીના આંકડા ગાંધીનગર ખાતે જાહેર થશે. પોરબંદર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં ગત ગણતરી મુજબ જિલ્લામાં કુલ 2.70 લાખ પશુઓ હોવાનું સામે આવ્યું છે જોકે ગત વર્ષે યોજાયેલ ગણતરીના આંકડા જાહેર ન થતા પશુપાલકોમાં ચર્ચા જાગી છે.જોકે જિલ્લામાં પશુઓના આકડાની સરખામણીમાં પશુ સારવાર કેન્દ્રની પણ ઘટ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બિલ જનરેટ ન થતાં મિલકત ધારકો પરેશાન:પોરબંદર મનપામાં સોફ્ટવેર અપડેટના લીધે મિલકત વેરાની ઉઘરાણી એક માસથી બંધ
    Next Article
    આરોગ્ય વિભાગની સઘન ચેકિંગ:પાનના ગલ્લા, ચા-નાસ્તાની લારીઓ, તમાકુ ગુટખાની સેલ્સ એજન્સીઓમાં ચેકિંગ હાથ ધરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment