Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજા ઓવારા 'હુશેની મસ્જિદ' વિવાદમાં વકફ ટ્રિબ્યુનલનો ચુકાદો:બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વકફ બોર્ડની અરજી ફગાવી, મૌલવીઓને 1 લાખનો મોટો દંડ ફટકારાયો

    4 days ago

    સુરતના ઐતિહાસિક ચોક બજાર સ્થિત રાજા ઓવારા ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ધાર્મિક માળખું ઊભું કરવાના વિવાદમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં વકફ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી 'હુસૈની મસ્જિદ' અંગેની અરજીને કોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વકફ બોર્ડ તરફથી રજૂ કરાયેલા તમામ દાવાઓ કાનૂની રીતે ટકી શકે તેવા નથી. આ જમીન મૂળભૂત રીતે સરકારી માલિકીની હોવાના પુરાવાઓ સામે આવ્યા બાદ, કોર્ટે વકફની માલિકીના દાવાઓને સદંતર અમાન્ય રાખ્યા છે. આ ચુકાદાના કારણે સુરતના સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મોટા દૂરોગામી પરિણામો જોવા મળી રહ્યા છે અને કાનૂની વર્તુળોમાં આ નિર્ણયને એક મોટો દાખલો ગણાવવામાં આવી રહ્યો છે. ખોટા પુરાવા અને બોગસ પ્રમાણપત્રો બદલ મૌલવીઓને 1 લાખનો દંડ કાનૂની પ્રક્રિયા દરમિયાન વકફ બોર્ડ અને સંબંધિત પક્ષો તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓની વિશ્વસનીયતા અંગે કોર્ટે અત્યંત ગંભીર નોંધ લીધી હતી. વકફ ટ્રિબ્યુનલે તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ તારણ કાઢ્યું હતું કે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે નકલી અને બોગસ પ્રમાણપત્રોનો સહારો લેવામાં આવ્યો હતો. ન્યાયતંત્ર સમક્ષ ખોટા પુરાવા રજૂ કરવાના આ ગંભીર કૃત્ય બદલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને જવાબદાર મૌલવીઓ પર 1 લાખનો આકરો નાણાકીય દંડ ફટકાર્યો છે. કોર્ટના આ આકરા વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ધર્મના નામે સરકારી કે સાર્વજનિક મિલકતો પચાવી પાડવા માટે કરવામાં આવતા કોઈપણ ગેરકાનૂની પ્રયાસોને કાયદાકીય માન્યતા મળી શકે નહીં. રાજા ઓવારાનો ઇતિહાસ અને હજારો વર્ષ જૂના હિન્દુ મંદિરોની આસ્થા આ સમગ્ર વિવાદની પાછળની સત્યતા રજૂ કરતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ચેરમેન દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું કે, ચોકબજાર ચાર રસ્તા પાસે આવેલો ‘રાજા ઓવારો’ ઐતિહાસિક અને પવિત્ર સ્થળ છે. આ ઓવારાની નીચે હજારો વર્ષ જૂના પુરાતન હિન્દુ મંદિરો આવેલા છે, જે સ્થાનિક લોકો અને ભક્તો માટે પરમ આસ્થાનું પ્રતીક સમાન છે. ભૂતકાળમાં આ મંદિરોની આસપાસ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ હતી, જેના કારણે દર્શનાર્થે આવતા ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના નિવારણ માટે માનવતાવાદી અભિગમ અપનાવીને તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને 126 વૈકલ્પિક આવાસો ફાળવવામાં આવ્યા હતા અને આ પવિત્ર જગ્યાને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી હતી જેથી મંદિરની ગરિમા જળવાઈ રહે. જમીન ખાલી થયા બાદ દારૂ તેમજ જુગારના અડ્ડાઓ શરૂ થયા હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,મંદિર પરિસરની આસપાસની જગ્યા ખાલી કરાયા બાદ કમનસીબે બે-ત્રણ વર્ષ સુધી આ મહામૂલી સરકારી જમીન ખુલ્લી પડી રહી હતી. આ સમયગાળા દરમિયાન ત્યાં સ્થાનિક અસામાજિક તત્વો સક્રિય થયા અને દારૂ તેમજ જુગારના અડ્ડાઓ શરૂ થઈ ગયા હતા. આ સામાજિક દૂષણો બંધ કરાવવા માટે દીપક આફ્રિકાવાલાએ તત્કાલીન પોલીસ કમિશનર, લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર અને સુરત મહાનગરપાલિકાને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. ગેરકાયદેસર રીતે ખારો ખોદવાનું કામ આફ્રિકાવાલાએ કહ્યું કે, કલેક્ટર કચેરીને પણ વિનંતી કરવામાં આવી હતી કે આ સરકારી માલિકીની જમીન પર કમ્પાઉન્ડ વોલ (દિવાલ) બનાવીને સુરક્ષિત કરવામાં આવે. પરંતુ વહીવટી તંત્રની ઢીલી નીતિ અને ઉદાસીનતાના કારણે કોઈ પગલાં લેવાયા નહીં, જેનો લાભ ઉઠાવીને અસામાજિક તત્વોની દાનત બગડી અને તેઓએ આ કરોડોની જમીન પચાવી પાડવાના ઈરાદાથી ત્યાં ગેરકાયદેસર રીતે ખારો ખોદવાનું કામ શરૂ કરી દીધું. 'હુસૈની મસ્જિદ'ના નામે બોગસ વકફ રજિસ્ટ્રેશન ઊભું કરવાનો કારસો જ્યારે સ્થળ પર ગેરકાયદેસર ખોદકામ શરૂ થયું, ત્યારે દીપક આફ્રિકાવાલા તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં હાજર તત્વોએ એવો દાવો કર્યો કે આ જગ્યા વકફ બોર્ડ હસ્તકની છે અને અહીં ‘હુસૈની મસ્જિદ’નું નિર્માણ થવાનું છે. આ સાંભળીને તેમણે તાત્કાલિક સુરત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર સમક્ષ કડક પગલાં લેવા રજૂઆત કરી હતી, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલે પણ ભૂતકાળમાં અહીં દરોડા પાડીને અસામાજિક તત્વોને જેલ ભેગા કર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા બે-ત્રણ વાર બાંધકામ અટકાવી સામાન જપ્ત કરાયો હોવા છતાં, આ તત્વો વકફ નોંધણીનું એક તદ્દન ખોટું અને બોગસ પ્રમાણપત્ર બનાવી લાવ્યા. આ બોગસ પ્રમાણપત્રના આધારે વકફ બોર્ડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક કાનૂની નોટિસ મોકલી દેવાઈ કે આ વકફની મિલકત હોવાથી અહીં કોઈ પણ પ્રકારની તોડફોડ કરવી નહીં, જેથી કરીને સરકારી તંત્ર કાનૂની ગૂંચવણમાં મુકાઈ ગયું હતું. 12 વર્ષની અવિરત લડત અને ટ્રિબ્યુનલ કોર્ટમાં ચુકાદો આ કાનૂની ગૂંચવણ અને નકલી દસ્તાવેજો સામે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ હિંમત હાર્યા વિના સખત લડત ચાલુ રાખી. તેમણે વકફનું આ પ્રમાણપત્ર બોગસ હોવાના તમામ સચોટ પુરાવાઓ એકત્ર કર્યા અને મહાનગરપાલિકાને સુપ્રત કર્યા. ત્યારબાદ આ મામલો વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં અપીલ સ્વરૂપે ગયો. ત્યાં સુરત કોર્પોરેશનના કુશળ એડવોકેટ કૌશલ પંડ્યાએ આ તમામ પુરાવાઓને કોર્ટ સમક્ષ ખૂબ જ મજબૂતાઈથી રજૂ કર્યા. વકીલની ધારદાર દલીલો અને સચોટ પુરાવાઓના આધારે ટ્રિબ્યુનલ કોર્ટે સ્વીકાર્યું કે વકફ ખોટી રીતે ઊભું કરવામાં આવ્યું હતું અને આ બાંધકામ તદ્દન ગેરકાયદેસર છે. કોર્ટે વકફ બોર્ડની અપીલને ફગાવી દઈને સત્યનો વિજય કર્યો અને ખોટી રીતે હેરાન કરવા બદલ અરજી કરનારાઓ પર 1 લાખનો મોટો દંડ ફટકારી દીધો. સુરત ચોક બજારમાં હવે બનશે ભવ્ય 'સુરત હેરિટેજ' આ ઐતિહાસિક ચુકાદા બાદ અંદાજે 12 વર્ષ જેટલા લાંબા સમય પછી ન્યાય મળતા દીપક આફ્રિકાવાલાએ અત્યંત ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ પ્રિઝર્વેશન (ઐતિહાસિક વારસાના સંરક્ષણ) માટે અનામત રાખવામાં આવી છે. આ સફળતા બાદ હવે મસ્જિદ બનાવવાનો મલિન મનસૂબો નિષ્ફળ ગયો છે અને આગામી સમયમાં ચોક બજાર વિસ્તારમાં ભવ્ય ‘સુરત હેરિટેજ’ પ્રોજેક્ટ સાકાર થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જ્યારે પણ કોઈ નાગરિક સુરત શહેરમાં કે ચોક વિસ્તારમાં પ્રવેશ કરશે, ત્યારે તેને સુરતનો અસલી ઐતિહાસિક વૈભવ અને સંસ્કૃતિના દર્શન થશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષોના બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લા કરાવાયા:રસ્તા પરથી ગેરકાયદે દબાણો હટાવી ગંદકી કરનારાઓ પાસેથી રૂ. 10,500નો દંડ વસૂલાયો
    Next Article
    તલોદના હરસોલમાંથી જુગારધામ ઝડપાયું:રૂ.12.41 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment