Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું:પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતમાં 1 લાખ ભક્તો ઉમટી પડ્યાં

    1 week ago

    આદ્યશક્તિના પવિત્ર પર્વ ચૈત્રી નવરાત્રિના શુભ પ્રારંભ સાથે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવાર પાંચ કલાકે મંદિરના દ્વાર ખુલતા જ મંદિર પરિસર “જય માતાજી”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ટ્રસ્ટીઓ પૂજારી દ્વારા ઘટ પૂજા સાથે આરતી બાદ મંદિર પર ધ્વજા ચડાવી હતી. પહેલા નોરતે એક લાખ શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતાં. ચેત્રી નવરાત્રી દરમિયાન ખાસ કરીને મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાનથી યાત્રાળુઓ આવ્યા હતા. વહેલી સવારે યોજાતી મહાકાળી માતાની આરતીમાં હાજરી આપીને યાત્રાળુઓએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.ચૈત્રી નવરાત્રિના અવસરે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓને સરળતા રહે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા 60 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વિસ્તારમાં સુરક્ષા માટે 700 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ માંચી અને તળેટી વિસ્તારોમાં બેરિકેટિંગ, પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પ્રસાદ, ભોજન, આરોગ્ય સેવા અને પીવાના પાણી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંદિર પરિસર તથા ડુંગર પર સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દુધિયા તળાવમાં અસહ્ય કચરો ગંદકી પાવાગઢ ચેત્રી નવરાત્રીને લઈ પોલીસનોચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એસપી ડો હરેશ દુધાત માચીથી ડુંગર મંદિર સુધી પગપાળા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં ડુંગર પર દુકાનો હોટલો ની બહાર ગંદકી અને કચરા ના ઢગ જોઈ અંચબીત થયા હતા. દુકાનદાર હોટલોવાળા સફાઈ અંગે અવેરનેસ લાવે અને પોતાની જવાબદારી સમજે તેમ જણાવ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    મગર નજરે પડ્યો:​ગોધરામાં મેસરી નદીના સાતપુલ પાસે મગર દેખાયો
    Next Article
    પાણીનો વેડફાટ થતાં રહીશો હેરાન:ગોધરાના ધાનકાવાડમાં પાણીની લાઇનમાં ભંગાણ, તાત્કાલિક ધોરણે સમારકામની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment