Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતે, રાજકોટનો સાંઢિયા પૂલ ખુલ્લો મૂકાયો:દરરોજ 1 લાખ વાહનચાલકોનો સમય-ઈંધણ બચશે; જામનગર તરફ જનારાને મોટો ફાયદો

    2 days ago

    રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પૂલનું 13 જૂનને શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ રૂ. 74.32 કરોડનાં ખર્ચે બનેલા આ બ્રિજને ખુલ્લો મુક્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ સમયે ટ્રાફિક પોલીસે જનતાને પૂલના છેડે રોકી રાખવામાં આવી હતી. હર્ષ સંઘવી પૂલની વિઝિટ કરતા હોવાથી ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. જોકે આ દૃશ્યો જોઈને નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવા સૂચના આપી હતી. નવા ફોરલેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને પડતી હાલાકીનો સુખદ અંત આવ્યોઃ મેહુલભાઈ બ્રિજનાં લોકાર્પણ અંગે સ્થાનિક નાગરિક મેહુલભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હર્ષ સંઘવીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી તેનો સુખદ અંત આવ્યો છે. બ્રિજ બનવામાં થોડો વિલંબ જરૂર થયો છે, પરંતુ તેના બદલામાં પબ્લિકને એક આધુનિક સુવિધા વાળો નવો બ્રિજ મળ્યો છે. ‘સિવિલથી માધાપર ચોકડી જતા વાહનચાલકોને મોટો લાભ’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલાં જે જૂનો બ્રિજ હતો તે ઘણો જૂનો હોવાથી ક્ષતિગ્રસ્ત હતો અને ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. જ્યારે આ નવો બ્રિજ આધુનિક સુવિધાઓ સાથે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે. પહેલાં આ બ્રિજ ટુ લેનનો હતો, જ્યારે હવે આ નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી સિવિલ હોસ્પિટલથી માધાપર ચોકડી તરફ જતા વાહનચાલકોને આ બ્રિજનો મોટો લાભ મળશે. આ બ્રિજ પરથી રોજ અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકો પસાર થતા હોય છે, જેમને હવે ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. મેયરની મુલાકાત સમયે બ્રિજની કામગીરીમાં ખાલી જોવા મળી હતી રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ ચાર્જ સંભાળ્યાનાં બીજા દિવસે 29 મેનાં રોજ આ બ્રિજની મુલાકાત લીધી હતી. જેમાં નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવા સહિત કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ-ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા, જેને લઈ યુદ્ધના ધોરણે ખામીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બ્રિજની વિશેષ તકનીકી કામગીરી રેલવે પોર્શનમાં હૈયાત જર્જરીત રેલવે ઓવરબ્રિજનું ડાયમંડ કટિંગ પદ્ધતિ દ્વારા 2-2 કલાકના ક્રમિક ટ્રાફિક બ્લોક દરમિયાન ડિલોન્ચિંગ કામગીરી કરવામાં આવી છે, જેથી રેલવે ટ્રાફિકને કોઈ અડચણરૂપ ન થાય. નવો સાંઢિયા ફોર લેન બ્રિજ અત્યાધુનિક ડિઝાઈન અને ટેકનોલોજીથી બન્યો છે, તેની ઊંચાઈ 6.25 મીટર અને પહોળાઈ 16.40 મીટર (ફોર લેન) છે, જે ભવિષ્યની વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાને લઈ બનાવવામાં આવ્યો છે. માધાપર ચોકડી તરફ તેની લંબાઈ 298 મીટર અને હોસ્પિટલ ચોક તરફ પણ 298 મીટર છે. રેલવે ટ્રેક ઉપરનો સ્પાન 36 મીટરનો છે, જે રેલવેના માર્ગદર્શન મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોર લેન બ્રિજનું લોકાર્પણ થવાથી હવે લાખો વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ પૂલ રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડશે. બ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી શક્યતા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 30 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેની સામે 27 માસમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ માટે ભોમેશ્વર પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ત્યાંથી ચાલતા વાહનવ્યવહારમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. જોકે સાંઢિયા પુલમાં તમામ 120 ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા છે. ઉપરાંત, પુલ પર અન્ય સ્લેબ ભરવાની પ્રક્રિયા તેમજ સર્વિસ રોડ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવતા આજે બ્રીજ લોકો માટે પણ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આગામી સમયમાં ખાસ જનરલ બોર્ડમાં ઠરાવ કરી બ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો:જટિલ પ્રસૂતિ, હાઈ રિસ્ક કેસમાં જનતા હોસ્પિટલના તબીબ અને ટીમે સફળ સિઝેરિયન કર્યું, ત્રણેય શિશુઓ તંદુરસ્ત
    Next Article
    વસતી ગણતરી માટે સોસાયટીમાં પ્રવેશ ન અપાતા પોલીસ બોલાવવી પડી:અધિકારીએ કહ્યું- લોકો સહકાર નહીં આપે તો કાયદાકીય પગલાં લેવાશે, સહકાર આપવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment