Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યસ્ત શેડ્યૂલથી WTC ફાઇનલનો માર્ગ મુશ્કેલ:ઈરાની કપ અને ઈન્ડિયા-A મેચથી તૈયારીઓ માટે પડકાર; ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં ઓછો સમય

    17 hours ago

    ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની રહ્યો છે. WTC પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને રહેલી ટીમ સામે સૌથી મોટો પડકાર વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ છે. નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ખેલાડીઓને રેડ-બોલ ક્રિકેટની પૂરતી તૈયારીનો સમય મળી રહ્યો નથી. ટીમ મેનેજમેન્ટ અને નેશનલ સિલેક્શન કમિટી સામે ઘરેલું ક્રિકેટ, ઇન્ડિયા-Aની મેચ અને ઇન્ટરનેશનલ સિરીઝ વચ્ચે ખેલાડીઓના વર્કલોડ અને તૈયારીઓનું સંતુલન જાળવવાનો પડકાર છે. ઈરાની કપ અને ઈન્ડિયા-A મેચનું શેડ્યૂલ ટકરાયું ઓસ્ટ્રેલિયા-A સામે ઈન્ડિયા-Aને 22-25 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર-2 ઓક્ટોબર સુધી બે 4-દિવસીય રેડ-બોલ મેચ રમવાની છે. જ્યારે, 1-5 ઓક્ટોબર સુધી શ્રીનગરમાં ઈરાની કપ યોજાશે. બંને ટુર્નામેન્ટના શેડ્યૂલમાં ક્લેશથી ટેસ્ટ દાવેદારોને લઈને પસંદગીકારોની મુશ્કેલી વધી ગઈ છે. ઈન્ડિયા-Aમાં વધુ ટેસ્ટ ખેલાડીઓને ઉતારવા પર ઈરાની કપની રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમ નબળી પડી શકે છે, જ્યારે ખેલાડીઓને ઈરાની કપમાં મોકલવા પર તેને રેડ-બોલ ક્રિકેટની તૈયારીનો ઓછો મોકો મળશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા પણ ટાઈમલાઈન ટાઈટ ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી 5 મેચની T20 સિરીઝ સાથે શરૂ થશે. ત્યારબાદ 24 ઓક્ટોબરથી ઈન્ડિયા-Aની ત્રણ 4-દિવસીય મેચ રમાશે, જેનું શેડ્યૂલ 5 મેચની વન-ડે સિરીઝ સાથે ઓવરલેપ થશે. સૌથી મોટી ચિંતા એ છે કે છેલ્લી વન-ડે અને પહેલી ટેસ્ટ વચ્ચે માત્ર 4 દિવસનો અંતર છે. આવી સ્થિતિમાં, ટેસ્ટ ખેલાડીઓને રેડ-બોલ ક્રિકેટની પૂરતી તૈયારીનો સમય મળવો મુશ્કેલ છે. ગિલ-ગંભીર 10-14 દિવસની તૈયારી ઇચ્છે છે કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર મોટી ટેસ્ટ સિરીઝ પહેલા 10થી 14 દિવસની તૈયારી ઇચ્છે છે. જોકે, વર્તમાન શેડ્યૂલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા આટલો સમય મળવો મુશ્કેલ લાગી રહ્યો છે. વન-ડે અને ટેસ્ટ વચ્ચે સંતુલનનો પડકાર આગામી વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ સાઉથ આફ્રિકાની પરિસ્થિતિઓમાં મુખ્ય વન-ડે ખેલાડીઓને વધુ મેચ રમાડવા માગે છે. તેમજ, WTC ફાઇનલની રેસ માટે આગામી ટેસ્ટ સિરીઝ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણોસર, મુખ્ય ટેસ્ટ ખેલાડીઓને ત્રીજી વન-ડે પછી મુક્ત કરવાની યોજના છે, જેથી તેઓ ટેસ્ટની તૈયારી કરી શકે. કેટલાક ખેલાડીઓને વન-ડે સિરીઝ પહેલા ઈન્ડિયા-Aના રેડ-બોલ મેચમાં પણ તક આપવામાં આવી શકે છે. શેડ્યૂલને લઈને તાલમેલ પર સવાલ સૂત્રો અનુસાર, આ વખતે સીઝનનું શેડ્યૂલ નક્કી કરતી વખતે ભારતીય ટીમ મેનેજમેન્ટને પૂરતા પ્રમાણમાં સામેલ કર્યું નહોતું. સામાન્ય રીતે BCCIની ઓપરેશન્સ ટીમ, સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE), ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ મળીને કાર્યક્રમ નક્કી કરે છે. જોકે, શ્રીલંકા પ્રવાસ દરમિયાન ગિલની માગ પર ટેસ્ટ સિરીઝ પહેલા ટીમને તૈયારી માટે પૂરતો સમય આપ્યો હતો. હવે WTC સાથે ડોમેસ્ટિક અને લિમિટેડ ઓવર્સના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે ટેસ્ટની તૈયારીઓને સંતુલિત કરવાનો પડકાર છે.
    Click here to Read More
    Previous Article
    Hanuman Ansh Sequel Confirmed, Story To Explore More About Neem Karoli Baba's Spiritual Journey
    Next Article
    નેપાળી PM સંસદમાં બોલ્યા- ભારતનો આભાર:કહ્યું- યોગ્ય સમયે પાડોશી દેશોએ મદદ પહોંચાડી; 7 દિવસમાં 1127 લોકોનાં મોત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment