Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીરછલ્લા વોર્ડમાં જંગ 'પંજા'નો પરિવર્તનનો નારો vs ભાજપનો 'વિકાસ'નો દાવો:વિપક્ષનો 'ગાયબ નેતાઓ' પર પ્રહાર, તો શાસક નો ગાર્ડન અને પાણીના સહિત અનેક વિકાસના કામોના જોરે જીતનો વિશ્વાસ

    2 days ago

    30 વર્ષના શાસનમાં જનતા ત્રાહિમામ, આ વખતે પરિવર્તન નક્કી, વોટ લીધા પછી ભાજપના નેતાઓ દેખાયા નથી, અમે હારીએ કે જીતીએ જનતા સાથે રહીશું.. કરોડોના ખર્ચે પાણીની લાઈનો અને ગાર્ડન બનાવ્યા, વિકાસના જોરે જનતા ફરી જીતાડશે - કુમાર શાહ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર ભરમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જોરોશોરથી પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે ત્યારે પીરછલ્લા વોર્ડ નંબર 6ના મતદારોનો મિજાજ અને ઉમેદવારોના દાવાઓ વચ્ચે રસાકસીભરી સ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ 10 વર્ષમાં થયેલા કરોડોના વિકાસ કાર્યો, નવી પાઈપલાઈન અને આધુનિક ગાર્ડનનો હવાલો આપી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી ઉમેદવારો જનતાની પાયાની સમસ્યાઓ જેવી કે પાણીની અછત, ગટર અને રસ્તાના મુદ્દે પરિવર્તનની હાકલ કરી રહ્યા છે, ​વોર્ડના પ્રવાસ દરમિયાન જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે નળ છે પણ પાણી નથી, વેરો ભરો છતાં સુવિધા નથી અને વર્ષો જૂના રહેણાંક મકાનો પર ફરેલા જેસીબીના કારણે લોકોમાં રોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે, કોંગ્રેસના ઉમેદવારો જનતાના આક્રોશને 'પરિવર્તનની લહેર' ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારો કરેલા કાર્યોના આધારે ફરી એકવાર ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પીરછલ્લાની જનતા 'વિકાસ' ના નામે મત આપે છે કે પછી 'પરિવર્તન' ને તક આપે છે. પીરછલ્લા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર સલીમ રાધનપુરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ લોકોના જ્યારે ભાવનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે લોકોના મુખ્ય પ્રશ્નો પાણી, નળ, ગટર અને રસ્તાના હોય છે અમે આ વિસ્તારમાં આવ્યા, આ વિસ્તારમાં અમે લોકોની સમક્ષ અમારો પ્રચાર કરવા ગયા ત્યારે લોકોએ અમને સ્પષ્ટ એવું કીધું કે 5 વર્ષ થયા અમને અહીંયા કોઈ મળવા આવ્યું નથી, ​અમે એમને એવી ગેરેન્ટી આપી છે કે અમે જીતીએ કે હારીએ, તમારા પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે હંમેશા તૈયાર રહેશું અને આ વિસ્તારની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન પાણીનો છે, દરેક વ્યક્તિઓએ એવું કીધું કે ભાઈ અહીંયા પાણી આવતું નથી, પણ ભાવનગરની જનતાને એવી અમે અપીલ કરીએ છીએ કે દરેક જગ્યાએ આ પ્રશ્ન ભાવનગરમાં છે તો હવે પરિવર્તનની લહેર ફૂંકાઈ ગઈ છે તો 'પંજા' ને વોટ આપી અને પરિવર્તન જરૂરી હોય, પરિવર્તન એક વખત લાવીને બતાવો. આ વખત ખૂબ જ સરસ રિસ્પોન્સ છે અને ખૂબ જ... કારણ કે લોકોમાં તકલીફ છે અને રોષ છે, ગુસ્સો છે, એ અમારી ઉપર ઠાલવે છે કે અહીંયા તમે આવો છો એક વખત મત માંગવા, પછી ક્યારેય આવતા નથી. એટલે અમે સ્પષ્ટ એવું કીધું કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે અમને મોકો નથી મળ્યો, આ વખતે મોકો આપો અને પછી જોઈ જોજો. તમારી ફરિયાદ હશે તો તમારે અમને કહેવા નહીં આવવું પડે, એ પહેલા ફરિયાદ સોલ્વ થઈ જશે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની અંદર રોડ હોય, બ્લોક હોય કે પાણીની જે સમસ્યાઓ હતી એ 10 વર્ષ દરમિયાન પૂરા કરવાના પૂરા પ્રયત્ન કર્યા છે, આ વોર્ડની અંદર બે કે ત્રણ વિસ્તાર એવા હતા કે જ્યાં થોડીઘણી પાણીના વિસ્તારની તકલીફ હતી, થોડોક ઊંચાણવાળો વિસ્તાર સેનોટેરિયમની હતી ત્યાં પણ થોડી તકલીફ હતી ત્યારે ત્યાં આગળ પાણીની નવી લાઈન નાખી છે સેનોટેરિયમની અંદર લગભગ અંદાજે 25 લાખના ખર્ચે પાણી ની લાઈન નાખી છે, સ્વસ્તિકનો સોસાયટીનો જે આંબાવાડીની અંદર ત્યાં પણ 45 લાખના ખર્ચે પાણીની લાઈન સ્વસ્તિક સોસાયટીની અંદર નાખવાનું કામ ચાલુ છે, એ જ રીતે ચારભાઈ બીડી વાળો ખાંચો છે ત્યાં આગળ પણ પાણીનો થોડો ઘણો પ્રેશરનો પ્રોબ્લેમ હતો ત્યાં આગળ પણ લાખ 60 થી 65 લાખના ખર્ચે પાણીની લાઈન નખાવી છે ​એ જ રીતે ડ્રેનેજ લાઈન જે વર્ષોથી રાજાશાહી વખતની હતી તે ડ્રેનેજ લાઈન પણ મંગળા માતાનું મંદિર હોય કે અલગ અલગ વિસ્તાર હોય ત્યાં આગળ બદલવાનું કામ કર્યું છે, મહિલા કોલેજ બગીચો આ વોર્ડની અંદર આવતો હોય છે ત્યારે આ મહિલા કોલેજ અઢી થી પોણા ત્રણ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ કર્યું છે, વધુમાં જણાવ્યું હતું કે, ટર્મ પૂરી થઈ એ પહેલા જ તે મહિલા કોલેજના વિસ્તારની અંદર યશવંતરાય નાટ્યગૃહની બાજુની અંદર જે જર્જરિત સ્કૂલ હતી તેને તોડી પાડીને અત્યારે પીક્યુસી એટલે કે સીએચસી સેન્ટર ત્યાં આગળ બનાવવા જઈ રહ્યા છીએ ત્રણ માળનું જેથી લોકોને નાનામાં નાની કાંઈ પણ હોસ્પિટલની અગવડતા હોય તો ત્યાં આગળ મળી રહે, ​આ સિવાય મેઈન બજાર હોય, રસાલા કેમ્પ હોય તમામની અંદર રોડ રસ્તા કર્યા છે અને નાનામાં નાની ગલીઓની અંદર કોઈપણ બ્લોક પણ બાકી ન રહી જાય તેની ચિંતા કરી છે ચારેય નગરસેવકોને જે અભૂતપૂર્વ પિરછલ્લા વોર્ડના મતદારોએ જે આવકાર આપ્યો છે એ આવકાર આગામી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમને પણ મળશે જ કામ કારણ કે અમે નાનામાં નાના લોકો સુધી પાણી માટે થઈ કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તા તેની માટે થઈ અને નાનામાં નાના લોકો સુધી પહોંચ્યા છીએ ત્યારે આ તકે તમામ મતદારો સાથ આપશે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, 10 વર્ષ સુધી જે રીતે વિકાસ કાર્યો કર્યા છે આ વિકાસ કાર્યોને વેગવંતુ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે આ વેગવંતુને આગામી દિવસોમાં મતદારો ચાલુ રાખશે.. ઈકબાલભાઈ ફ્રુટવાળાએ જણાવ્યું હતું કે, નવાપરા ગ્રીન આ વોર્ડમાં પાણીની થોડીક તકલીફ છે અને સફાઈની પણ છે, અમે ઘરવેરો અને અન્ય તમામ વેરા ભરીએ છીએ, તેમ છતાં પાણી અને સફાઈ કામની સમસ્યા રહે છે અમારા નવાપરા રાજપૂત વાડી પાસેનો જે વિસ્તાર છે ત્યાં જો સફાઈ સારી રીતે થાય તો સારું રહે, જેથી કરીને બાળકો બીમાર ન પડે.. પીરછલ્લા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ મણિયાર એ જણાવ્યું હતું કે, ખાસ તો પાણીના પ્રશ્નો આવે છે બીજું કહેવાનું કે 2010 માં આ વિસ્તારમાં રાજેશ જોશી જ્યારે કોર્પોરેટર હતા, ત્યારે અહીં મહિલા કોલેજમાં ઓવરહેડ ટાંકી બનાવી, ઓવરહેડ ટાંકી અહીંથી 200-300 ફૂટ આઘી છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પાણીની લાઇન આપવામાં પણ તકલીફ પડે છે, ​અહીં એક વડીલ હતા, જેમણે અમને ખુદ કીધું કે આ વિસ્તારમાંથી કુમાર શાહ કોર્પોરેટર હતા પણ એ એક વાર મત લઈને હજી સુધી દેખાયા નથી. એવું ન બને એટલે અમે એ લોકોને ખાતરી આપી કે ચૂંટણી આજે છે, કાલે પતી જશે, અને અમે ચૂંટણી હારીએ કે જીતીએ, અમે તમારા પ્રશ્નો માટે 24 કલાક તૈયાર રહીશું... વિસ્તારમાં રહેતી સંધ્યાએ જણાવ્યું હતું કે, અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા મકાનના ડિમોલેશન થઈ ગયા છે અને કેટલાય વર્ષોથી અમે વાલ્મિકી સમાજ અહીંયા રહેણાક કરતા હતા અને છતાં જ અચાનક કરીને ડિમોલેશન આવી ગયા, અહીંયા કરીને કેટલાય મજૂર હોય, મજૂરી કરીને પોતાના 7-7, 8-8 લાખના મકાનો કર્યા હોય અને તમે ડાયરેક્ટ આવીને મકાન જેસીબીથી તમે પાડી દો છો, તો તમે આ વિકાસ કર્યો કહેવાય છે?, ​અને મારી પાછળ જ તમે જોઈ શકો છો કે અહીંયા જોગર્સ પાર્ક છે, તમે જોઈ શકો છો, મસ્ત આમ કઈ હરિયાળી છે, સ્વચ્છતા અને પાછળ જ ગંદકી છે તો આ તમારો વિકાસ છે? નળ અને પાણીની સુવિધા તો સરસ કરી છે, પણ પાણી આવતું નથી, મોટર ચડાવવી પડે છે. આ છે વિકાસ? ​હવે અમારે વિકાસ નથી જોતો પણ હવે અમારે પરિવર્તન જોઈએ છે, હવે સમાજ અને વાલ્મિકી સમાજ બહુ કંટાળી ગયા છે, ખરેખર જે આ વિસ્તારનું જે ડિમોલેશન થયું છે ને એનાથી તો ખરેખર બહુ દુઃખ થયું છે. જે માણસોએ તો નવા નવા મકાન કર્યા હતા એનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને વોટ માંગવો હોય ત્યારે સફાઈ કામદાર, ત્યારે વાલ્મિકી સમાજ યાદ આવે છે! ભાજપના પીરછલ્લા વોર્ડ ના ઉમેદવાર વૈભવ પારેખએ જણાવ્યું હતું કે, લગભગ દરેક પ્રકારના કામ વોર્ડમાં થયા છે અને હજી પણ કાર્ય ગતિમાં જ છે તમે મહિલા કોલેજ ગાર્ડન જુઓ, ગંગાજળિયા તળાવ જુઓ કે જે ક્યારેય પહેલા લોકોએ જોયું નહોતું એવું અદ્યતન બનાવી દીધું છે. અને હજી પણ આવા જ દરેક કામ ચાલુ રહેશે. એટલે દરેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટનો અત્યારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી, ગલીના ખૂણે ખૂણેમાં સ્ટ્રીટ લાઈટ પહોંચી ગઈ છે. એવી જ રીતે વિકાસના દરેક કાર્યો પીરછલ્લા વોર્ડ સહિત સમગ્ર ભાવનગરમાં ચાલુ જ રહેવાના છે, ભાજપની સરકાર આવતા દરેક વોર્ડમાં આ કાર્ય ચાલુ જ રહેશે. અમે આટલા દિવસોથી પ્રચાર કરી રહ્યા છીએ પણ હજી કોઈ આવા પ્રશ્નો નથી આવ્યા, દરેક જગ્યાએથી અમને ખૂબ જ સરસ આવકાર મળ્યો છે અને સામેથી એમ કહે છે કે આ વસ્તુ અમારી થઈ ગઈ, તમે ખૂબ સારું કામ કરી દીધું. બ્લોકની અમને જે ફરિયાદ હતી કે હવે આ જૂના થઈ ગયા છે તો તમે નવા પણ નાખી દીધા. એટલે ખૂબ જ સરસ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે, કોંગ્રેસના પીરછલ્લા વોર્ડ ના ઉમેદવાર દર્શના જોષીએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં મુખ્ય પ્રશ્ન પાણીનો છે ક્યાંક ખૂબ મોટર મૂકીને બહુ પ્રેશરથી કરે ત્યારે એમને પાણી આવે છે અને ઘણા વિસ્તાર એવા છે કે પાણી નથી આવતું અને પાણીનું બિલ રૂપિયા 1800 ભરી રહ્યા છે, વેરો અને પાણીને બધું બિલ નો ભરે તો ઈ લોકો ઇરરેગ્યુલરમાં આવે અને ભરે છે છતાં પાણી નથી આવતું. અને ઘણા સુખી સમૃદ્ધ મકાનો દેખાય છે પણ એમાં પાણીની સમસ્યા મુખ્ય છે, ​અને લોકો આ શાસનથી ત્રાહિમામ પોકારી ગયા છે કે જેને કારણે એમને કહે છે, એ લોકો તો સમજતા નથી કે કોણ અમારે ત્યાં આવ્યા છે, ઘણા તો અભણ બૈરાઓ હોય, એને ખબર નથી કે આ ભાજપવાળા છે કે કોંગ્રેસવાળા છે એન તો એમ કહે છે કે અમે આટલા ટાઈમથી મત દઈએ છીએ તમે અમારું કામ નથી કર્યું, હકીકતમાં કામ આ લોકોએ નથી કર્યું ને એનું અમારે સાંભળવું પડે છે મહિલાઓ બહુ ત્રાહિમામ પોકારી ગયેલી છે. 2021માં જીતેલા ઉમેદવાર પૂર્વ નગરસેવક અને મેળવેલ મત કુલ મનીષાબેન અમિતભાઇ વાધેલા 9605 ભાજપ યોગીતાબેન પર્યકભાઈ ત્રિવેદી 10,162 ભાજપ કૃણાલ ખાંતિલાલ શાહ 11,144 ભાજપ દિલીપ નારાયણદાસ જોબનપુત્રા 9605 ભાજપ પીરછલ્લા વોર્ડ માં આવતા વિસ્તારો આંબાવાડી, ઘોઘા સર્કલ, છાપુરૂ હોલ, ક્રેસન્ટ, બોરડીગેટ, ચારભાઈ બીડીવાળો ખાંચો, તિલકનગર, વાલ્મિકી વાસ, ગીતાચોક, નવાપરા, શેલારશા ચોક, રસાલા કેમ્પ, પીરછલ્લા, સંત કવરરામ ચોક, મહિલા કોલેજ, ડોન ચોક તથા મુનિ ડેરી સહિતના વિસ્તારો પીરછલ્લા વોર્ડ માં મતદારો પુરુષ મતદારો - 18,787 સ્ત્રી મતદારો - 18,158 કુલ મતદારો - 36,945 મતદાન મથકો -36
    Click here to Read More
    Previous Article
    મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા:સરસપુર-રખિયાલ વોર્ડમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારકનો વિરોધ કર્યો
    Next Article
    કર્ણાવતીમાં ધર્મ-સંસ્કૃતિ સંરક્ષણ માટે હિન્દુ સંમેલન:પરશુરામ જયંતિ નિમિત્તે 19 એપ્રિલે યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment