Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લકઝુરિયસ કારમાં સવાર ફાઈનાન્સરે નશાની હાલતમાં અકસ્માત સર્જયો, VIDEO:ખટોદરાના ઓલિવ સર્કલ પાસે એક બાદ એક ત્રણ વાહનોને ટક્કર મારી, લોકોએ ઘેરી પોલીસને હવાલે કર્યો

    2 weeks ago

    સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ઓલિવ સર્કલ પાસે મોડી રાત્રે એક વિવાદિત અને નશામાં ધૂત ફાઇનાન્સરે પોતાની લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારથી એક પછી એક એમ ત્રણ-ત્રણ કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ ગાડીઓ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટક્કર મારનાર ફાઇનાન્સર ઉમેન્દ્ર સિંહ રાઠોડને ઘટનાસ્થળે જ ઘેરી લીધો હતો. સમગ્ર મામલે ખટોદરા પોલીસે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા (ડ્રિંક એન્ડ ડ્રાઇવ) તેમજ અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભયાનક ટક્કરથી કારના બોનેટ ખુલી ગયા, મુસાફરોનો આબાદ બચાવ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફાઇનાન્સર ઉમેન્દ્રસિંહ રાઠોડની ફોર્ચ્યુનર કારની સ્પીડ એટલી વધારે હતી કે તેની ટક્કર વાગતા જ આગળ જઈ રહેલી ત્રણેય ગાડીઓ રમકડાની જેમ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ જોરદાર ટક્કરમાં બે ગાડીઓના બોનેટ ખુલી ગયા હતા અને ગાડીઓનો કુરચો બોલાઈ ગયો હતો. સદનસીબે કારમાં સવાર લોકોને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ જ્યારે ફોર્ચ્યુનર કારની નજીક જઈને જોયું તો ટક્કર મારનાર ડ્રાઈવર ભારે નશાની હાલતમાં જોવા મળ્યો હતો. આરોપી એટલો પીધેલો હતો કે કારમાંથી બહાર પણ ન નીકળી શક્યો ગાડીઓને ટક્કર માર્યા બાદ પણ આરોપી ઉમેન્દ્રસિંહ રાઠોડના ચહેરે કોઈ પસ્તાવો કે ડર દેખાતો નહોતો. તે કારની અંદર જ આરામથી બેસીને કોઈને ફોન લગાવી રહ્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે દારૂના નશામાં એટલો ચૂર હતો કે તેનાથી ગાડીમાંથી નીચે ઉતરાતું પણ નહોતું. ભીડમાંથી જ એક વ્યક્તિએ જોરથી કહ્યું કે, "આ માણસ સખત પીધેલી હાલતમાં છે અને હોશમાં નથી." લોકોએ આ સમગ્ર ડ્રામાનો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેમાં ફાઇનાન્સરની શરમજનક કરતૂત સાફ દેખાઈ રહી છે. બચાવવા આવેલા મળતિયાઓ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો અકસ્માતની થોડી જ વારમાં ફાઇનાન્સર ઉમેન્દ્રસિંહના કેટલાક પરિચિતો અને મળતિયાઓ પણ લક્ઝરી કારો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મામલો થાળે પાડવાના બદલે, પરિચિત વ્યક્તિએ કાયદાનો ભંગ કરીને ટક્કર મારનાર ફોર્ચ્યુનર કારને ત્યાંથી હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ જોતા જ ત્યાં હાજર સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકોએ ફાઇનાન્સર અને તેના મિત્રોને ચારેય તરફથી ઘેરી લીધા હતા. લોકોએ રોષે ભરાઈને તેને ખખડાવતા કહ્યું કે, "તું શું કોઈ મોટો કાયદાથી ઉપર છે? પોલીસની હાજરી હોવા છતાં તું અહીંથી ગાડી હટાવવાની હિંમત કઈ રીતે કરે છે, નીચે ઉતર!" સ્થાનિકોએ મોબાઈલ વીડિયો પોલીસને સોંપ્યા, આરોપીની ધરપકડ ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઓલિવ સર્કલ ખાતે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લેવાના બદલે સમજદારી પૂર્વક કામ લીધું હતું અને ફાઇનાન્સર ઉમેન્દ્રસિંહ રાઠોડની પીધેલી હાલતના તેમજ અકસ્માત સમયના તમામ મોબાઈલ વીડિયો પુરાવા તરીકે પોલીસને સોંપી દીધા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત ફાઇનાન્સર ઉમેન્દ્રસિંહ રાઠોડની અટકાયત કરી હતી અને તેને પોલીસ જીપમાં બેસાડીને ખટોદરા પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં તેની સામે અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ફાઇનાન્સર ઉમેન્દ્રસિંહ રાઠોડનો વિવાદો સાથે જૂનો નાતો અત્રે ઉલ્લેખનીય છે કે, 3 કારને ટક્કર મારનાર ફાઇનાન્સર ઉમેન્દ્રસિંહ રાઠોડ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ અગાઉ પણ ઘણી વખત મોટા વિવાદોમાં આવી ચૂક્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કડોદરા વિસ્તારમાં પણ તેમની વિરુદ્ધ અગાઉ ગંભીર ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આટલું જ નહીં, આશરે એક વર્ષ પહેલાં ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ તેમની સામે એક બંગલો પચાવી પાડવાના મુદ્દે ગંભીર અરજી થઈ હતી, જો કે બાદમાં તે મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. હવે ફરી એકવાર દારૂના નશામાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકીને આ વિવાદિત ફાઇનાન્સર જેલના સળિયા ગણતો થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા પછી હવે દિલ્હીમાં આંદોલન!:અભિજીત દીપકે 6 જૂને ભારત આવશે, શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈ જંતર-મંતર પર પ્રદર્શન કરશે
    Next Article
    જામનગરમાં 13.46 કરોડના 414 વિકાસ કામો મંજૂર:પ્રભારીમંત્રી મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment