Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુમાડ ચોકડી પાસેથી મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ:ગળામાં ગાળિયો નાંખતા જ મગર છંછેડાયો, વરસતા વરસાદમાં જીવના જોખમે પાણીમાંથી રેસ્ક્યુનો લાઈવ VIDEO

    2 days ago

    વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે મગરો વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી રહ્યા છે. દુમાડ ચોકડી વિસ્તારમાં 4.5 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન્યજીવ બચાવ કાર્યકર હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુની કામગીરી દરમિયાન મગરના ગળામાં ગાળિયો નાંખતા જ તે છંછેડાયો હતો. જોકે, ટીમોએ ચાલુ વરસાદે પાણીની અંદર જીવના જોખમે મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપી દીધો હતો. રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ દુમાડ ચોકડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 4.5 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોએ વન્યજીવ બચાવ કાર્યકર હેમંત વઢવાણાની ટીમને કરી હતી. મગર દેખાયો હોવાની જાણ થતાં જ હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. 4.5 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ વરસતા વરસાદ અને પાણી ભરાયેલા વિસ્તારમાં રેસ્ક્યૂ કામગીરી દરમિયાન મગરના ગળામાં ગાળિયો નાંખતા જ તે છંછેડાયો હતો. જોકે, ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી ચાલુ રાખી હતી. અંતે આશરે 4.5 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી અને તળાવમાં મળીને 1000 મગર ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગર હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો છે. જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવમાં મળીને 1 હજાર કરતા વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ડૂબી જવાથી બે લોકોના મોત:વાંસદામાં ખેતરના પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત, ટાઉનમાં યુવક ખાડીમાં તણાયો
    Next Article
    MHT CET CAP Round 1 Seat Allotment Result 2026 To Be OUT Today; Check, Direct Link

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment