Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિંદુ યુવકને માર માર્યો:ગાળો આપી, યૂરિન પીવાનું કહ્યું; યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા બાદ VIDEO સામે આવ્યો

    12 hours ago

    કેનેડામાં જલંધરની રહેવાસી યુટ્યુબર નેન્સી ગ્રેવાલની 3 માર્ચે થયેલી હત્યા બાદ સતત ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવાના વીડિયો સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં કેનેડાના બ્રેમ્પટનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ખાલિસ્તાની યુવકો એક હિંદુને માર મારી રહ્યા છે. હિંદુને ધક્કો મારીને ખાલિસ્તાની યુવકો પાડી દે છે અને તેને ગાળો આપે છે. પીડિતની ઓળખ યશદીપ શિંદે તરીકે થઈ છે. જ્યારે, યુવકને મારનાર જોધવીર ધાલીવાલ છે. જોધવીર ધાલીવાલ યુવકને બ્રાહ્મણ કહીને ગાળો આપે છે. તેને કહે છે કે અહીંથી ભાગી જા. જઈને યુરિન પી. આ પછી યુવકને ધક્કો મારીને રોડ પર પાડી દેવામાં આવે છે. પછી આરોપી કહે છે કે હવે તને મજા આવી? ખબર પડી ગઈ ને કે યૂરિન પીવાથી તબિયત નથી બનતી. તું યૂરિન પીવાને જ લાયક છે. આ મામલો કોરોના કાળ દરમિયાનનો છે. ઘટના તે સમયે બની જ્યારે કેનેડામાં રહેતા હિંદુઓ વેક્સિનના સંબંધમાં PM નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે કાર રેલી કાઢી રહ્યા હતા. આ રેલીનો ખાલિસ્તાનીઓએ વિરોધ કર્યો અને ઝંડા લઈને રોડ પર આવી ગયા. ખાલિસ્તાનીઓએ હિંદુ અને કેનેડાની કોમ્યુનિટીને રેલી કાઢતા રોક્યા, મારામારી કરી અને ગાળો આપી. આમાં જોધવીરની પત્ની મનજોત ધાલીવાલ પણ સામેલ હતી અને તેણે પણ ગાળો આપી. જોધવીર વિરુદ્ધ કેનેડા પોલીસે કેસ દાખલ કર્યો હતો. જાણો બ્રેમ્પટનમાં થયેલી આ અથડામણના મુખ્ય કારણો… કેનેડામાં માર્ચ 2021માં ભારતીય સમુદાયના લોકોએ કાર રેલીનું આયોજન કર્યું. તેનો હેતુ કોવિડમાં કેનેડાને ભારતની મદદ બદલ આભાર વ્યક્ત કરવાનો હતો. ભારતે કેનેડાને 20 લાખ કોવિડ વેક્સિન મોકલી હતી. આ રેલીને ફ્રેન્ડશિપ કાર રેલી નામ આપવામાં આવ્યું. આ રેલીથી ખાલિસ્તાનીઓ ગુસ્સે થયા અને રેલીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. મુખ્ય આરોપી જોધવીર ધાલીવાલે રેલીમાં સામેલ યશદીપ શિંદેની કારમાંથી ત્રિરંગો ઝંડો જબરદસ્તીથી છીનવી લીધો અને તેના પર થૂંકવા તથા અપમાનજનક ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સ્થિતિ હિંસક અથડામણમાં બદલાઈ ગઈ. અથડામણ દરમિયાન હુમલાખોરોએ ગો એન્ડ ડ્રિંક યુરિન (જાઓ અને મૂત્ર પીઓ) જેવી હિંદુફોબિક અને અપમાનજનક ગાળો આપી, જેના કારણે આ સામાન્ય ઝઘડાને બદલે બે સમુદાયો વચ્ચે વૈચારિક અને ધાર્મિક સંઘર્ષ બની ગયો. કેનેડાની પોલીસ બંને પક્ષો વચ્ચેની અથડામણને રોકી શકી નહીં. પીડિત શિંદેએ જણાવી 3 મહત્ત્વની વાતો… જાણો આરોપી જોધવીર ધાલીવાલે શું કહ્યું… બ્રાહ્મણો જાઓ અને યૂરિન પીઓ: ધાલીવાલનો હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં તેણે પીડિત યશદીપ શિંદેને ધક્કો માર્યા બાદ બૂમ પાડી અને કહ્યું કે બ્રાહ્મણો જાઓ અને યૂરિન પી લો. આનાથી તમને તાકાત નહીં મળે. આ નિવેદન સીધા હિંદુ આસ્થાઓનું અપમાન કરવા અને હિંદુફોબિયા ફેલાવવાના આરોપોનો આધાર બન્યું. રેલી કાઢીને હિંદુઓએ અમને ઉશ્કેર્યા: ધાલીવાલ અને તેના સાથીઓએ દલીલ કરી કે આ રેલી પ્રો-મોદી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતમાં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીના સમયે મૈત્રી રેલી કાઢીને તેમને ઉશ્કેરવામાં આવ્યા. તેણે ભારતીય ધ્વજ છીનવીને વિચારધારા અને ભારત સરકાર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોર્ટમાં કહ્યું- મેં કોઈ ગુનો કર્યો નથી: જ્યારે આ મામલે કોર્ટમાં સુનાવણી થઈ, ત્યારે ધાલીવાલે કોઈપણ ગુનાહિત જવાબદારી સ્વીકારી નહીં. તેણે કોર્ટ સમક્ષ પોતાને નિર્દોષ ગણાવતા ફક્ત એન્ગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સા પર કાબૂ મેળવવાની કાઉન્સેલિંગની શરત માની, જેથી તેના પરથી હુમલાના ગંભીર આરોપો હટી જાય. પોલીસ અને કોર્ટની કાર્યવાહી 3 મુદ્દામાં જાણો… આરોપીની ધરપકડ કરી મારપીટની કલમો લગાવાઈ: બ્રેમ્પટન પોલીસે વીડિયો પુરાવાના આધારે આરોપી જોધવીર ધાલીવાલની ધરપકડ કરી અને તેના પર જીવલેણ હુમલાનો કેસ દાખલ કર્યો. આરોપી પર ગુનાહિત કલમો લગાવાઈ. બીજા આરોપી જસકરણ સિંહ પર પણ અલગથી હુમલાનો કેસ બનાવવામાં આવ્યો. સરકારી વકીલે કેસ પાછો ખેંચ્યો: ધરપકડના થોડા મહિના પછી, સરકારી વકીલે અચાનક ધાલીવાલ પરના આરોપો પાછા ખેંચી લીધા. આનો આધાર એવો આપવામાં આવ્યો કે આરોપીએ એન્ગર મેનેજમેન્ટની કાઉન્સેલિંગ પૂરી કરી લીધી છે અને મેડિકલ રિપોર્ટમાં પીડિતના હાડકા તૂટવાની પુષ્ટિ થઈ નથી. કોર્ટે એક વર્ષનો પીસ બોન્ડ લગાવ્યો: કોર્ટે આરોપી પર ફક્ત એક વર્ષનો પીસ બોન્ડ લગાવ્યો, જેના હેઠળ તેને પીડિત યશદીપ શિંદેથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો. ધાલીવાલે કોઈ પણ ગુનાહિત જવાબદારી સ્વીકારી નહીં, જેના કારણે પીડિતે તેને અધૂરો ન્યાય અને રાજકીય દબાણનું પરિણામ ગણાવ્યું.
    Click here to Read More
    Previous Article
    યુટ્યુબર અનુરાગ ડોભાલની હાલત ફરી બગડી:દેહરાદૂન લઈ જતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થઈ, મેનેજરે કહ્યું- 'જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે'
    Next Article
    સાબરકાંઠાના બે ખેલાડીઓએ 3 ગોલ્ડ મેડલ જીત્યા:નેશનલ પેરા એથ્લેટિક્સમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment