Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VHP, બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રા યોજાઈ:અમદાવાદમાં હજારો રામભક્તો જોડાયા, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી

    14 hours ago

    વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના દરિયાપુર તથા દુધેશ્વર પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારો રામભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેર રામમય બન્યું હતું. આ શોભાયાત્રા સરયુ મંદિર, પ્રેમ દરવાજાથી શરૂ થઈ હતી. આ ચોથું વર્ષ હતું જ્યારે આ શોભાયાત્રાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરિયાપુર, દુધેશ્વર પ્રખંડ અને અસારવા જિલ્લાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામનવમીના પવિત્ર અવસરે આયોજિત આ શોભાયાત્રામાં હોદ્દેદારો સહિત હજારો રામભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર આરતી ઉતારવામાં આવી હતી અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે શરબત, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભંગાર ગેંગનો પર્દાફાશ:ગાંધીનગરમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    PM Modi to speak to all CM LIVE | PM મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે | Iran US conflict | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment