Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:2000 ફૂટની ઊંચાઈએ અચાનક ડિસ્પ્લે બંધ થયું, કેબિનમાં ધુમાડો ભરાયો; લખનઉ એરપોર્ટ પર ઉતારાયું

    6 days ago

    લખનઉમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરને શનિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ઉડાન દરમિયાન હવામાં તેમના હેલિકોપ્ટરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. આ પછી હેલિકોપ્ટરને અમોસી એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય લખનઉથી કૌશાંબી જઈ રહ્યા હતા. તેમણે સવારે હેલિકોપ્ટરથી લા માર્ટિનિયર સ્કૂલના ગ્રાઉન્ડ પરથી ઉડાન ભરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ઉડાન ભર્યા પછી 50 કિલોમીટર દૂર બછરાવાં સુધી પહોંચી ગયું હતું. 2000 ફૂટની ઊંચાઈએ હેલિકોપ્ટરનું ડિસ્પ્લે બોર્ડ અચાનક બંધ થઈ ગયું. પાયલટ સમજી ગયો કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી ગઈ છે. પાયલટે તરત જ લખનઉ ATCનો સંપર્ક કર્યો. અમોસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. પરવાનગી મળતા જ પાયલટે હેલિકોપ્ટરને એરપોર્ટ તરફ વાળી દીધું. ત્યારે તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. જોતજોતામાં કેબિનમાં ધુમાડો ભરાઈ ગયો. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હેલિકોપ્ટરને અમોસીમાં ઉતારવામાં આવ્યું. હેલિકોપ્ટરના લેન્ડ થતાં જ સુરક્ષા અને ટેકનિકલ ટીમોએ તરત તેને ઘેરી લીધું. નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. હવે તેઓ બીજા હેલિકોપ્ટરથી કૌશાંબી જશે. ત્યાં કેશવ બાબુ સિંહ ડિગ્રી કોલેજ મેદાન, સયારા ખાતે બે દિવસીય સરસ મહોત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જણાવી દઈએ કે લા માર્ટિનિયર કોલેજ (La Marts) થી અમોસી એરપોર્ટ (ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક) નું હવાઈ અંતર લગભગ 11-12 કિલોમીટર છે. હેલિકોપ્ટર યુપી સરકારનું, નાગરિક ઉડ્ડયન વિભાગ પાસે જવાબદારી કેશવ મૌર્ય જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા, તે યુપી સરકારનું છે. તેની જવાબદારી નાગરિક ઉડ્ડયન વિભાગ પાસે છે. ઇશાન પ્રતાપ સિંહ આ વિભાગના નિર્દેશક છે. તેઓ સીએમના વિશેષ સચિવ પણ છે. કેશવના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ 3 વખત તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી ચૂકી છે. કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ-
    Click here to Read More
    Previous Article
    ગોવિંદાએ કહ્યું- 'ડેવિડ ધવન વફાદાર નથી':'કરિયર માટે મામલો ખતરનાક લાગ્યો તો અંતર બનાવી લીધું'; 'વરુણ સાથે તેવી ફિલ્મો બનાવવી મુશ્કેલ'
    Next Article
    પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમ નિર્દોષ જાહેર, હાઈકોર્ટનો ચુકાદો:અન્ય 3 આરોપીની સજા યથાવત; સાધ્વીઓના યૌન શોષણ કેસમાં 10 વર્ષની સજા થઈ છે; હજુ જેલમાં જ રહેવું પડશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment