Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે કહ્યું- UCC લાગુ કરવાનો સમય આવી ગયો છે:સંસદ નિર્ણય કરે, શરિયત કાયદાની કલમો રદ કરવાથી કાયદાકીય શૂન્યાવકાશ સર્જાઈ શકે છે

    1 day ago

    સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું કે દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાનો સમય આવી ગયો છે. કોર્ટ મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવનો આરોપ લગાવીને શરિયત કાયદો 1937ની કેટલીક કલમો રદ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહ્યું હતું. CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ આર મહાદેવનની ત્રણ જજોની બેન્ચે જણાવ્યું કે અરજીમાં ભેદભાવનો મુદ્દો ગંભીર છે, પરંતુ તેના પર નિર્ણય લેવાનું કામ કોર્ટને બદલે સંસદનું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે જો શરિયત કાયદાની કલમો રદ કરવામાં આવે તો મુસ્લિમ સમુદાયમાં સંપત્તિના વિભાજનને લઈને કોઈ સ્પષ્ટ કાયદો રહેશે નહીં. તેનાથી કાયદાકીય શૂન્યાવકાશ થઈ શકે છે. CJI સૂર્યકાંતે જણાવ્યું કે સુધારાની ઉતાવળમાં એવું ન થાય કે જે લોકોના અધિકારોની વાત થઈ રહી છે, તેમને જ નુકસાન થાય. કોર્ટ લાગુ કરવાની વાત ઘણી વાર કહી ચૂક્યું છે શું છે શરિયત કાયદો 1937 આ કાયદો મુસ્લિમ સમુદાયમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજન જેવા મામલાઓમાં ઇસ્લામિક પર્સનલ લો લાગુ કરે છે. ભારતમાં ફક્ત ઉત્તરાખંડમાં UCC ભારતમાં હાલ ફક્ત ઉત્તરાખંડમાં UCC લાગુ છે. ત્યાં 28 જાન્યુઆરી 2025 ના રોજ UCC લાગુ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી આવાસમાં સીએમ પુષ્કર સિંહ ધામીએ તેની જાહેરાત કરી હતી. --------------------------- આ સમાચાર પણ વાંચો: ઉત્તરાખંડમાં UCC લાગુ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું:CM પુષ્કર સિંહની જાહેરાત, લગ્ન, લિવ-ઇન રજિસ્ટ્રેશન ફરજિયાત, લગ્ન, છૂટાછેડાથી લઈને વસિયતનામા સુધી નવા નિયમો ઉત્તરાખંડમાં આજથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ ગયો છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી આવાસ પર આની જાહેરાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ- 2024ના અમલીકરણ માટેના નિયમો અને પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આ પોર્ટલ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. તમે https://ucc.uk.gov.in પર લોગ-ઇન કરી શકો છો. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    'પંજાબી ગીતોમાં માત્ર દેખાડો હોય છે':શ્રેયા ઘોષાલે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર વિવાદિત નિવેદન આપ્યું; સોશિયલ મીડિયા પર સિંગર ટ્રોલ થઈ
    Next Article
    3 કંપની ને એલોવેરા પાવડરના નામે મોતનો ખેલ:એનેસ્થેસિયા પાવડરનું નશા માટે વેચાણ, 3 સુરતી યુવકે કસ્ટમને થાપ આપી 125 કિલો જથ્થો એક્સપોર્ટ કર્યો; વોટ્સએપ ચેટમાં ખુલાસા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment