Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMCમાં ભંગાણથી રાજ્યસભામાં NDAને ફાયદો:NDA રાજ્યસભામાં બે-તૃતીયાંશથી 16 બેઠક પાછળ, લોકસભામાં પણ સંખ્યા ઓછી

    5 days ago

    તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભંગાણથી સંસદના બંને ગૃહોમાં NDAને ફાયદો થઈ શકે છે. TMCના બળવાખોર સાંસદો અને રાજ્યસભા ચૂંટણીથી NDA રાજ્યસભામાં બે-તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી શકે છે. જોકે, લોકસભામાં બળવાખોર સાંસદોનો ટેકો મળ્યા પછી પણ ગઠબંધન આ આંકડાથી ઘણું દૂર રહેશે. કેન્દ્ર સરકાર માટે આ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે બંધારણ સુધારા વિધેયકોને પસાર કરાવવા માટે બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હોય છે. છેલ્લી વખતે 54 બેઠકોથી બિલ પડી ગયું હતું. રાજ્યસભામાં NDAની સંખ્યા 154 સુધી પહોંચી શકે છે હાલમાં રાજ્યસભામાં NDA પાસે 148 સાંસદો છે. ગઠબંધન બે-તૃતીયાંશ બહુમતીથી 16 બેઠકો પાછળ છે. 18 જૂને ઝારખંડ અને મિઝોરમની રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓ અને કેટલાક અપક્ષ સભ્યોના સમર્થનથી NDAની સંખ્યા 151 સુધી પહોંચી શકે છે. TMCના 3 રાજ્યસભા સાંસદોના રાજીનામાથી પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ખાલી પડશે. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં આ બેઠકો પર NDA સમર્થિત ઉમેદવારોની જીતની સંભાવના છે. આવું થવાથી ગઠબંધનની સંખ્યા 154 સુધી પહોંચી શકે છે. રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે. બે-તૃતીયાંશ બહુમતી માટે 163 સાંસદોની જરૂર હોય છે. એટલે કે NDA આ સંખ્યાથી માત્ર 9 બેઠકો પાછળ રહેશે. જો TMC ના વધુ રાજ્યસભા સાંસદો રાજીનામું આપે છે તો ગઠબંધન આ આંકડો પણ મેળવી શકે છે. જોકે NDA સામે આગળ પડકાર પણ છે. નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાંથી 10 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભામાં મજબૂત સ્થિતિને કારણે સમાજવાદી પાર્ટી પોતાની બેઠકો વધારી શકે છે, જેનાથી રાજ્યસભાનું સમીકરણ બદલાઈ શકે છે. INDIA બ્લોક 64 બેઠકો પર રાજ્યસભામાં INDIA બ્લોક પાસે હાલમાં 64 સાંસદોનું સમર્થન હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા TVKને સમર્થન આપવાથી DMK નારાજ છે અને તેણે ગઠબંધનથી અંતર બનાવી લીધું છે. જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) પણ INDIA બ્લોકથી અલગ થઈ ચૂકી છે. જ્યારે YSRCP, BJD અને MDMK જેવા પ્રાદેશિક પક્ષો પાસે પણ પર્યાપ્ત સંખ્યામાં સાંસદો છે. કોઈ નજીકના મતદાનની સ્થિતિમાં આ પક્ષોની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. લોકસભામાં 20 બળવાખોરોનું સમર્થન પણ પુરતુ નથી લોકસભામાં NDA પાસે હાલમાં 294 સાંસદો છે. TMC ના 20 બળવાખોર સાંસદોએ NCPI માં વિલય કરી લીધો છે. તેમણે NDA ને સમર્થન આપવાની વાત કહી છે. આનાથી NDA સાંસદોની સંખ્યા 314 સુધી પહોંચી જશે. આમ છતાં, NDA લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી માટે જરૂરી 363 સાંસદોના આંકડાથી ઘણું પાછળ રહેશે. હાલમાં લોકસભાની 543 માંથી 3 બેઠકો ખાલી છે. આવી સ્થિતિમાં, ગૃહની અસરકારક સંખ્યા 540 છે અને બે-તૃતીયાંશ બહુમતી માટે 360 સાંસદોના સમર્થનની જરૂર પડશે. લોકસભામાં 54 વોટથી બિલ પડ્યું હતું લોકસભામાં 16 એપ્રિલ 2026ના રોજ બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મો સુધારા બિલ લોકસભામાં પાસ થયું નહોતું. લોકસભામાં બિલ પર 21 કલાકની ચર્ચા બાદ વોટિંગ થયું. હાજર 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. બિલ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતથી પડી ગયું. 12 વર્ષના શાસનમાં આ પહેલો પ્રસંગ હતો, જ્યારે મોદી સરકાર ગૃહમાં કોઈ બિલ પાસ કરાવી શકી ન હતી.
    Click here to Read More
    Previous Article
    વરસાદ ખેંચાયો, સેટેલાઇટ તસવીરોમાંથી ચોમાસાના વાદળો ગાયબ થયા:ગુજરાત-MP-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં વરસાદ માટે હજુ વધારે રાહ જોવી પડશે; 4-15 જૂન વચ્ચે 64% ઓછો વરસાદ
    Next Article
    બાઈકનું સ્ટેન્ડ યુવકના પગ સોંસરવું ઘૂસી ગયું:લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ પહોંચ્યો; દૃશ્યો જોઈને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment