Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMCના બંને જૂથોનો પક્ષ સાંભળશે સ્પીકર:મમતા જૂથને પણ બોલાવ્યા; બળવાખોર સાંસદોના NCPIમાં વિલિનીકરણના દાવા પર કાનૂની સલાહ લેશે

    6 days ago

    તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદોએ લોકસભામાં અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માગ કરી છે. આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બંને પક્ષોની વાત સાંભળ્યા બાદ નિર્ણય લેશે. PTI અનુસાર, અધ્યક્ષ કાર્યાલયે મમતા બેનર્જી જૂથના સાંસદોને પણ ઈમેલ મોકલીને બેઠક માટે બોલાવ્યા છે. બંને પક્ષો સાથે વાત કર્યા પછી જ નિર્ણય લેવાશે. આ નિર્ણય સંસદના ચોમાસુx સત્ર પહેલા આવી શકે છે. સૂત્રો અનુસાર, અધ્યક્ષ આ મામલે કાયદા મંત્રાલયનો અભિપ્રાય પણ લઈ શકે છે. આ અભિપ્રાય એટલા માટે લેવામાં આવી રહ્યો છે જેથી અધ્યક્ષનો નિર્ણય કોર્ટમાં પડકારવામાં આવે તો પણ કાયદાકીય તપાસમાં ટકી શકે. રવિવારે TMC ના 20 બળવાખોર સાંસદોમાંથી 17 એ અધ્યક્ષ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થા અને તેમના જૂથના નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) માં વિલિનીકરણની જાણકારી આપી હતી. નિષ્ણાતો બોલ્યા- સાંસદો પોતે કોઈ પાર્ટીમાં વિલય કરી શકતા નથી પૂર્વ લોકસભા મહાસચિવ અને બંધારણીય નિષ્ણાત પીડીટી આચાર્યના મતે, બંધારણની દસમી અનુસૂચિ હેઠળ ફક્ત કોઈ રાજકીય પક્ષ જ બીજા રાજકીય પક્ષમાં વિલય કરી શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ પાર્ટીનું નેતૃત્વ વિલયનો નિર્ણય કરે છે, તો તેના સાંસદો અને ધારાસભ્યો તેનો ભાગ બની શકે છે, પરંતુ સાંસદ કે ધારાસભ્ય પોતાના દમ પર કોઈ બીજી પાર્ટીમાં વિલય કરી શકતા નથી. એક પૂર્વ ચૂંટણી પંચ અધિકારીએ પણ બળવાખોર સાંસદોના NCPI માં વિલયના પ્રસ્તાવને "નવી વ્યવસ્થા" ગણાવી. તેમના મતે, આવી વ્યવસ્થાનો ઉલ્લેખ ન તો પક્ષપલટા કાયદામાં છે અને ન તો જનપ્રતિનિધિત્વ કાયદામાં. જ્યોતિપ્રકાશ ચેટર્જી NCPI ના નવા અધ્યક્ષ બન્યા TMC ના બળવાખોર લોકસભા જૂથના વિલિનીકરણ પછી ચર્ચામાં આવેલી NCPI એ જ્યોતિપ્રકાશ ચેટર્જીને પોતાના નવા અધ્યક્ષ બનાવ્યા છે. બળવાખોર જૂથના નેતા કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે ચેટર્જી NCPI ના નવા અધ્યક્ષ છે. કાકોલીનું આ નિવેદન 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) ના સ્થાપક શેવલી કુંડુના તે નિવેદનના એક દિવસ પછી આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ NCPI પ્રમુખનું પદ છોડી રહ્યા છે. આ પછી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઘોષ દસ્તીદારે પોતે પાર્ટીની કમાન સંભાળી લીધી છે. આ તરફ, પોતાને NCPI ના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ગણાવનાર શાંતનુ ડે એ ન્યૂઝ એજન્સી PTI ને જણાવ્યું કે તેમને નવા અધ્યક્ષ વિશે કોઈ જાણકારી નથી. ડે નું નામ પાર્ટીના જૂના કેમ્પેન પોસ્ટરોમાં NCPI ના મહાસચિવ તરીકે પણ જોવા મળે છે. ડેએ કહ્યું- મને ખબર નથી કે જ્યોતિપ્રકાશ ચેટર્જી કોણ છે. મને કોઈ અંદાજ નથી કે NCPI સાથે શું થઈ રહ્યું છે, તે પાર્ટી જેના માટે મેં આટલી મહેનત કરી. મને ખુશી છે કે મોટા નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તેમણે અમારો સંપર્ક કર્યો નથી. મને આ વાતથી નિરાશા છે કે અમને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. TMC બોલી- અભિષેકને માત્ર 2 કલાકનો સમય મળ્યો ANI અનુસાર, TMC સૂત્રોનો દાવો છે કે સ્પીકર કાર્યાલયે 15 જૂને બપોરે 2 વાગ્યે અભિષેક બેનર્જીને ઈમેલ મોકલ્યો હતો. તેમાં તેમને તે જ દિવસે સાંજે 4 વાગ્યે દિલ્હીમાં બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર, તે સમયે અભિષેક બેનર્જી EDની પૂછપરછમાં સામેલ હતા. તેમની પાસે ફોન કે ઈમેલ જોવાની સુવિધા નહોતી. TMCનું કહેવું છે કે ઈમેલ મોકલ્યાના લગભગ એક કલાક પછી સાંસદ કીર્તિ આઝાદને સ્પીકર કાર્યાલયમાંથી ફોન આવ્યો. આ પછી કીર્તિ આઝાદ ત્યાં પહોંચ્યા અને જણાવ્યું કે અભિષેક પૂછપરછમાં વ્યસ્ત છે. તેમણે બેઠક માટે બીજી તારીખ આપવા વિનંતી કરી. 15 મે: બળવાખોર TMC સાંસદોએ કહ્યું- NDA સાથે કામ કરશે TMCના 20 બળવાખોર સાંસદોમાંથી 17 સાંસદોએ રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. લોકસભા અધ્યક્ષ સાથેની મુલાકાત બાદ બળવાખોર સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું કે- TMCના બે-તૃતીયાંશ લોકસભા સાંસદોએ અલગ જૂથ તરીકે માન્યતા આપવા માટે પત્ર સુપરત કર્યો છે. અમે PM મોદીના નેતૃત્વ હેઠળ NDA સાથે કામ કરીશું. NCPI બંગાળમાં રજિસ્ટર્ડ, ત્રિપુરાથી ચૂંટણીની શરૂઆત કરી NCPIનું રજિસ્ટર્ડ સરનામું પશ્ચિમ બંગાળના હાવડાના બાનીપુર વિસ્તારમાં છે. પાર્ટીએ 2023માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ચાર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ તેના ઉમેદવારો કાં તો NOTAથી પાછળ રહ્યા અથવા તેનાથી થોડા વધુ મત મેળવી શક્યા. પાર્ટીને કુલ મળીને લગભગ 1,198 મત મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup 2026, France vs Senegal Football Live Score: FRA look to banish ghosts of 2002 vs SEN at Metlife
    Next Article
    અરવલ્લી LCBએ 49 ગુનાના આરોપીને ઝડપ્યો:અરવલ્લીના 8 ગુના ઉકેલાયા, ₹2.18 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment