Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMC સાંસદ મિતાલી બાગની કાર પર પથ્થરમારો:કારના કાચ તૂટ્યા, આરોપ-ભાજપના સમર્થકોએ હુમલો કર્યો; સાંસદ અને ડ્રાઇવર ઘાયલ

    17 hours ago

    સોમવારે પશ્ચિમ બંગાળના હુગલીમાં ટીએમસી સાંસદ મિતાલી બાગની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસીનો આરોપ છે કે ગોગહાટમાં ભાજપના સમર્થકોએ તેમની કાર પર ઇંટો, પથ્થરો અને લાકડીઓથી હુમલો કર્યો હતો. મિતાલી બાગ અભિષેક બેનર્જીના રોડ શોમાં હાજરી આપવા માટે ગોગહાટથી આરામબાગ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા. મિતાલી બાગ અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. ઘાયલોને આરામબાગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં રેલી કરી. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બંગાળની દશા અને દિશા બંને બદલાવાની છે. મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર બંગાળ જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વ ભારતના ભવિષ્ય નક્કી કરશે. ભૂતકાળમાં જ્યારે ભારત સમૃદ્ધ હતું, ત્યારે અંગ, બંગ અને કલિંગ એટલે કે બિહાર, બંગાળ અને ઓડિશા તેના 3 મજબૂત સ્તંભ હતા. આજે વિકસિત ભારતના લક્ષ્યને પુરુ કરવા માટે આ ત્રણેય ક્ષેત્રોનું મજબૂત હોવું જરૂરી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદલમાં રવિવારે રાત્રે પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો, ફાયરિંગ અને દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્રણ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક CISF જવાનને પગમાં ગોળી વાગી હતી. આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. TMC સાંસદ પર થયેલા હુમલાની બે તસવીરો... બંગાળ ચૂંટણી સંબંધિત મોટા અપડેટ્સ… કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે રોડ શો કરશે. પહેલો રોડ શો બેહાલા થાણાથી મંથન સુધીનો હશે. બીજો રોડ શો હુગલીના ચંદનનગર બાગબજારમાં હશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે જાધવપુરના સુકાંત સેતુથી જાધવપુર અને ટોલીગંજ મતવિસ્તારના પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર રેલીમાં જોડાશે. ત્યારબાદ તેઓ પોતાનો કાર્યક્રમ યોજશે. વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતામાં તેમના રોડ શો પહેલા 'મા સિદ્ધેશ્વરી' નામથી ઓળખાતા મુખ્ય મંદિર થંથાનિયા કાલીબારીમાં મા કાલીના દર્શન કરીને આશાર્વાદ લીધા. બંગાળની ચૂંટણીઓ સંબંધિત અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Raghav Chadha joins BJP LIVE : AAP पर बड़ा वार! राघव चड्ढा का वीडियो हुआ वायरल | AAP
    Next Article
    AAPના 7 સાંસદોને ભાજપમાં વિલયની મંજૂરી:રાજ્યસભામાં ભાજપના સાંસદો 106થી વધીને 113 થયા, કેજરીવાલની પાર્ટી 3 પર સિમિત રહી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment