Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદીગ્રામ બાદ રેજીનગરમાં પણ મમતા બેનર્જીને ઝટકો:TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, જૂનું ચૂંટણી ચિહ્ન ન મળવાનું કારણ જણાવ્યું; 6 ઓક્ટોબરે પેટાચૂંટણી

    8 hours ago

    પશ્ચિમ બંગાળની રેજીનગર વિધાનસભા પેટાચૂંટણીમાં પણ મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીયુલ આલમ ચૌધરીએ શનિવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. તેમણે આ માટેનું મુખ્ય કારણ TMCનું જૂનું ચૂંટણી ચિહ્ન 'જોડીયા ઘાસ ફૂલ' ન મળવાનું કારણ ગણાવ્યું છે. આ પહેલાં શુક્રવારે નંદીગ્રામમાં પણ મમતા જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યાર બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જોકે, તેના થોડા કલાકો બાદ મિલન પ્રધાનની 2007ના એક જૂના હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બંને બેઠકો પર 6 ઑક્ટોબરે ચૂંટણી યોજાશે. પરિણામ 9 ઑક્ટોબરે જાહેર થશે. નંદીગ્રામ બેઠક મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ છોડી હતી. રેજીનગર બેઠક હુમાંયુ કબીરના રાજીનામા બાદ ખાલી થઈ હતી. નામ પાછું ખેંચવા અને ઉમેદવારની ધરપકડ બાદ આગળ શું થશે… 10 સવાલ-જવાબમાં સમજો… સવાલ: ઉમેદવારનું નામ પાછું ખેંચાયા બાદ આગળનું પગલું શું હશે? જવાબ: નામ પાછું ખેંચવાની સમયમર્યાદા પૂરી થયા બાદ રિટર્નિંગ ઓફિસર અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરશે. સવાલ: શું નામ પાછું ખેંચનાર ઉમેદવાર પોતાનો નિર્ણય બદલી શકે છે? જવાબ: નહીં. એકવાર નામ પાછું ખેંચવાની પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થઈ જાય પછી તેને પાછું ખેંચીને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી હોતી નથી. સવાલ: જો એક બેઠક પર અનેક ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા હોય તો શું થશે? જવાબ: બધા બાકી રહેલા ઉમેદવારોનાં નામ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે અને નિર્ધારિત કાર્યક્રમ મુજબ મતદાન થશે. સવાલ: જો નામ પાછું ખેંચ્યા પછી માત્ર એક ઉમેદવાર બાકી રહે તો શું થશે? જવાબ: આવી પરિસ્થિતિમાં ચૂંટણી બિનહરીફ થઈ શકે છે. રિટર્નિંગ ઓફિસર પ્રક્રિયા પૂર્ણ કરીને તે ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કરે છે. સવાલ: શું નામ પાછું ખેંચ્યા પછી નવો ઉમેદવાર ઊભો કરી શકાય? જવાબ: નામ પાછું ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા પછી નવા ઉમેદવારને એ જ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તક મળતી નથી. સવાલ: ઉમેદવારે નામ પાછું ખેંચ્યા બાદ મમતા બેનર્જી હવે શું કરશે? જવાબ: સંચિતા ડેએ નામ પાછું ખેંચતાં જ મમતાએ નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી. સવાલ: નંદીગ્રામ બેઠક પર મમતા અને કોંગ્રેસ સાથે છે, તો શું ભાજપનો વોટ શેર ઘટશે? જવાબ: 4 મેના રોજ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં અહીંથી શુભેન્દુનો વિજય થયો હતો. ત્યારે ભાજપને 50.37% મત મળ્યા હતા. જ્યારે ટીએમસીને 46.55% મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 0.31% મત મળ્યા હતા. હવે આ દૃષ્ટિકોણથી પેટાચૂંટણીના પરિણામનો અંદાજ લગાવીએ તો મમતા અને કોંગ્રેસ સાથે આવવા છતાં બંને પક્ષો મળીને ભાજપ કરતાં વધુ મત શેર મેળવી શકશે નહીં. જોકે આ માત્ર એક અંદાજ છે. સવાલ: કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ થવાથી શું ચૂંટણી રદ થઈ જશે? જવાબ: નહીં. માત્ર ધરપકડ થવાથી ચૂંટણી રદ થતી નથી. ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલુ રહી શકે છે. સવાલ: શું ધરપકડ કરાયેલ ઉમેદવાર ચૂંટણી લડી શકે છે? જવાબ: હા, જો તે કાયદેસર રીતે ચૂંટણી લડવા માટે યોગ્ય હોય. માત્ર કોઈ કેસમાં ધરપકડ થવાથી વ્યક્તિ આપમેળે ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જતી નથી. સવાલ: તો પછી ઉમેદવારની ધરપકડની ચૂંટણી પર શું અસર પડશે? જવાબ: તે પ્રચાર, જાહેર સભાઓ અને મતદારો સાથે સીધા સંપર્કમાં સામેલ થઈ શકશે નહીં. જોકે, તેનું નામ અંતિમ ઉમેદવારોની યાદીમાં રહી શકે છે. બંગાળમાં બે બેઠકો પર પેટાચૂંટણી, TMCના બંને જૂથોને નવું નામ-ચિહ્ન ચૂંટણી પંચે TMCના બંને જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવી દીધાં છે. મમતા બેનર્જીના જૂથને ‘મમતા ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન મળ્યું છે, જ્યારે બીજા જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ અને ‘પરબિડિયું’ આપવામાં આવ્યું છે. તેના એક દિવસ પહેલાં પંચે બંને જૂથોને ‘ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘જોડીયા ફૂલ-ઘાસ’વાળું મૂળ ચૂંટણી ચિહ્ન વાપરવા પર રોક લગાવી હતી. આ વચગાળાની વ્યવસ્થા છે. મૂળ નામ અને ચિહ્ન અંગેનો અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે. હવે બંને જૂથો પેટાચૂંટણીમાં નવા પક્ષના નામ અને ચિહ્ન સાથે ચૂંટણી લડશે. નંદીગ્રામ TMC અને ભાજપ, બંને માટે મહત્વની બેઠક નંદીગ્રામ લાંબા સમયથી TMC અને ભાજપ વચ્ચેના રાજકીય સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ વિસ્તારમાં 2007ના જમીન અધિગ્રહણ વિરોધી આંદોલને મમતા બેનર્જી અને TMCને 2011માં સત્તા સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 2021માં મમતાએ અહીંથી બંગાળના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયાં હતાં. અધિકારી BJPમાં સામેલ થયા બાદ TMCના સૌથી મોટા પ્રતિસ્પર્ધી બની ચૂક્યા છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુર બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી અને બંને જગ્યાએ જીત મેળવી હતી. ભવાનીપુરમાં તેમણે મમતા બેનર્જીને 15,105 મતોથી હરાવ્યાં હતાં. અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. બાદમાં અધિકારીએ ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખી અને નંદીગ્રામમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ નંદીગ્રામ બેઠક ખાલી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    क्या है पश्चिम बंगाल में तृणमूल कांग्रेस टूटने की वजह, 75 की उम्र में फिर पार्टी को खड़ा कर पाएंगी ममता बनर्जी?
    Next Article
    રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:આંધ્રપ્રદેશની 19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી'તી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment