Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMC રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરનું રાજીનામું, પાર્ટી પણ છોડી:દાવો- લોકસભાના 20 સાંસદો પણ મમતાથી અલગ થઈ શકે છે, દિલ્હીમાં બેઠક કરી

    1 week ago

    તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરે સોમવારે રાજ્યસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું. તેમણે સવારે લગભગ 10:30 વાગ્યે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિને રાજીનામું સુપરત કર્યું. આ સાથે જ સુખેન્દુએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પણ છોડી દીધી. ત્યારબાદ મીડિયા સાથેની ચર્ચામાં સુખેન્દુએ પાર્ટીના કામકાજ અને નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરી. જોકે, તેમનું આગળનું પગલું શું હશે, હાલ તેની કોઈ જાણકારી સામે આવી નથી. આ તરફ, લોકસભાના પણ 20 સાંસદો મમતાથી અલગ થવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સુખેન્દુ સાથે એક બેઠક કરી. દાવો કરવામાં આવી રહ્યો છે કે 14 સાંસદો BJPના ભૂપેન્દ્ર યાદવના ઘરે પહોંચ્યા છે. હજુ સુધી 5 નામ સામે આવ્યા છે, જેમાં શર્મિલા સરકાર, પ્રસુન બેનર્જી, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને અરુપ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. લોકસભામાં TMCના 28 અને રાજ્યસભામાં 13 સાંસદો છે. છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાક્રમમાં બંગાળના 80માંથી 58 ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. રાજીનામામાં ભાજપના વખાણ, TMCની પોલ ખોલી પોતાના રાજીનામામાં સુખેન્દુએ તાજેતરમાં થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર માટે પાર્ટીની ટીકા કરી. આ જનાદેશને મમતાના 15 વર્ષના અરાજક શાસનનું પરિણામ ગણાવ્યું. વાંચો રાજીનામામાં લખેલી 4 મહત્વપૂર્ણ વાતો શું હતી… સુખેન્દુ બોલ્યા- હવે હું સામાન્ય માણસ છું, ઈચ્છું છું કે નવી સરકાર બધાની તપાસ કરે પોતાનું રાજીનામું સોંપ્યા બાદ સુખેન્દુએ કહ્યું કે બંગાળના ઇતિહાસમાં પહેલીવાર, પશ્ચિમ બંગાળમાં BJP સરકાર સત્તામાં આવી છે. વોટિંગ પર્સેન્ટ 98% પહોંચી ગયું. પાર્ટીએ તેના પર કોઈ ચર્ચા કરી નહીં. 15 વર્ષથી સત્તામાં રહેલા લોકો સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગયા. અમારા પાર્ટી કાર્યકર્તાઓને બાજુ પર મૂકી દેવામાં આવ્યા. તેના બદલે, વચેટિયાઓ, ચોરો, ડાકુઓ અને બળાત્કારીઓ આગળ આવી ગયા. કરોડો રૂપિયા લૂંટવામાં આવ્યા. હવે આ બધું સામે આવી રહ્યું છે. સુખેન્દુએ કહ્યું- હું હવે એક સામાન્ય નાગરિક છું. નવી સરકાર પાસે માગ કરી શકું છું કે તેઓ છેલ્લા 5 વર્ષમાં બંગાળની દરેક હોસ્પિટલમાં થયેલી ખરીદીની તપાસ કરે. ફોરેન્સિક ઓડિટ થવું જોઈએ. આપણા દેશમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે. તે સમયે, નેતાઓ અને પ્રશાસકોએ આ વિશે કોઈ વિચાર-વિમર્શ કે ચર્ચા કરી ન હતી. પરંતુ જે લોકોએ તેમને ત્યાં મોકલ્યા હતા, તે જ લોકોએ હવે તેમને નીચે પાડી દીધા છે. તેથી બધાની તપાસ થવી જોઈએ. ----------------------- બંગાળ સંબંધિત આ સમાચાર પણ વાંચો… TMC નેતા જહાંગીર ખાનની નેપાળ બોર્ડર પરથી ધરપકડ:તેના સમર્થકોએ મહિલાઓને ગૅંગરેપની ધમકી આપી હોવાનો દાવો; ફાલતા બેઠક પરથી ઉમેદવાર હતા પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સોમવારે TMC નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. આ ધરપકડ નેપાળ બોર્ડર પરથી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલતા પોલીસ સ્ટેશનમાં ખાન વિરુદ્ધ 7 FIR નોંધવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    ફોલોઓન રમી રહેલી અફઘાનિસ્તાને પાંચમી વિકેટ ગુમાવી:વોશિંગ્ટન સુંદરે રહેમત શાહ, કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી પછી સેદિકુલ્લાહ અટલને પેવેલિયન ભેગો કર્યો
    Next Article
    ખાટુ શ્યામના દર્શને જતાં પરિવારને કાળ ભેંટ્યો, ત્રણ સભ્યોના મોત:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પૂરપાટ ઝડપે આવતા આઈસરે કારનો કુરચો બોલાવ્યો, 24 કલાકની અંદર બીજો અકસ્માત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment