Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા બેનર્જીની હાર થતાં ઉષા ઉત્થુપે ઉજવણી કરી?:બંગાળી ગીત 'દીદી'ને TMCની હાર સાથે જોડવામાં આવ્યું, વીડિયો વાયરલ થતાં સિંગર લાલઘૂમ

    7 hours ago

    દિગ્ગજ સિંગર ઉષા ઉત્થુપે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી, જેમાં તેમના એક ગીતને મમતા બેનર્જીની તાજેતરની ચૂંટણીની હાર સાથે જોડવામાં આવ્યું હતું. સિંગરે આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. 'સિંગરે TMCની હારની ઉજવણી કરી' ખરેખરમાં, આ આખો મામલો ત્યારે શરૂ થયો, જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક યુઝરે ઉષા ઉત્થુપનું બંગાળી ગીત 'દીદી' ગાતા હોવાનો વીડિયો શેર કર્યો. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સિંગર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની હારની ઉજવણી કરી રહી છે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 'TMC શાસન દરમિયાન તેમના કાર્યક્રમો માટે કટ મની માંગવામાં આવતી હતી, જેના કારણે તેઓ કોલકાતા છોડીને મુંબઈ ચાલ્યા ગયા હતા.' યુઝરે લખ્યું કે, 'હવે તેઓ પાછા ફર્યા છે.' સિંગરે દાવાઓને ખોટા ગણાવ્યા આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતા ઉષા ઉત્થુપે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર મારા વિશે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, તે પોસ્ટમાં કહેવાયેલી ઘણી વાતો ખોટી અને ભ્રામક છે. જે ગીતની વાત થઈ રહી છે, તે એક બંગાળી ગીત છે. તે ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતું અને તે એક અરબી ધૂનથી પ્રેરિત છે. હું છેલ્લા 20 વર્ષથી તેને માત્ર એક સંગીત પ્રસ્તુતિ તરીકે ગાતી આવી છું.’ સિંગરે આગળ લખ્યું, ‘હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું 1976થી કોલકાતામાં રહું છું. મેં ક્યારેય કોલકાતા છોડીને મુંબઈ શિફ્ટ કર્યું નથી. કોલકાતા હંમેશા મારું ઘર રહ્યુ છે અને હું આજે પણ અહીંના લોકો અને આ શહેરને ખૂબ પ્રેમ કરું છું.’ પોસ્ટના અંતમાં ઉષા ઉત્થુપે લખ્યું, ‘તે પોસ્ટમાં જે વાતો, ટિપ્પણીઓ અને વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે, તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. હું તેમની સાથે પોતાને જોડતી નથી અને તેમની કોઈ જવાબદારી લેતી નથી. કૃપા કરીને મને કારણ વગર એવા વિવાદોમાં ન ખેંચો, જેની સાથે મારો કોઈ સંબંધ નથી. ઘણો પ્રેમ, દીદી (ઉષા ઉત્થુપ).’ બંગાળ ચૂંટણીમાં TMCની હાર થઈ નોંધનીય છે કે, તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો. પાર્ટીએ 294 સભ્યોવાળી વિધાનસભામાં 207 બેઠકો જીતી, જ્યારે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 15 વર્ષ પછી સત્તામાંથી બહાર થઈ ગઈ. પાર્ટીની બેઠકોની સંખ્યા 215 થી ઘટીને 80 થઈ ગઈ અને મમતા બેનર્જી પણ પોતાની ભવાનીપુર બેઠક હારી ગયાં. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ તેમને 15,000થી વધુ મતોના અંતરથી હરાવ્યા. શુભેન્દુ અધિકારીએ 9 મે 2026 ના રોજ રાજ્યના પ્રથમ ભાજપ (BJP) મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
    Click here to Read More
    Previous Article
    ‘I am not a homewrecker’: Keneeshaa reveals heartbreaking trauma, truth of her bond with Ravi Mohan
    Next Article
    આણંદ-ગોધરા મેમુ ટ્રેન આવતીકાલે રદ:પશ્ચિમ રેલવેના બ્લોકને કારણે સેવા સ્થગિત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment