Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ:જામનગરમાં શિક્ષકોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

    3 days ago

    સુપ્રીમ કોર્ટ દ્વારા 1 સપ્ટેમ્બર, 2025ના રોજ RTE સુધારા મુજબ વર્ષ 2011 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે પણ TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાના વિરોધમાં અને જૂના શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં અને ગુજરાતના 23 જિલ્લા તથા 12 મહાનગરપાલિકાઓમાં શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, આજે જામનગર ખાતે નગર પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો એકત્રિત થયા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વર્ષ 2011 પહેલાના શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ રજૂ કરી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઘણા વર્ષોથી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. શિક્ષક પાત્રતા કસોટી (TET) પાસ કરવાની જરૂરિયાતને કારણે તેઓ વિવિધ વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સંઘે વિનંતી કરી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભાવનાને ધ્યાનમાં રાખીને અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા, ઘણા વર્ષોથી નિયમિત અને સંતોષકારક સેવા આપી રહેલા શિક્ષકોના હિતમાં તેમને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. આ શિક્ષકોનો વર્ષોનો અનુભવ, સમર્પણ અને સાબિત શિક્ષણ કામગીરી યોગ્ય માન્યતાને પાત્ર છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં સેવા આપતા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવી, તેમના અનુભવ અને લાંબા વર્ષોની સેવાને યોગ્ય રીતે માન્યતા આપવી, TETની આવશ્યકતાઓથી પ્રભાવિત સેવા લાભો, પ્રમોશન અને અન્ય કારકિર્દી પ્રગતિ સંબંધિત બાકી રહેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવો અને સેવા આપતા શિક્ષકોના હિતમાં સ્પષ્ટ માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો જારી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંઘે આશા વ્યક્ત કરી છે કે આ મામલે સકારાત્મક નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણની શાળાના 720 વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ:ગાયત્રી પરિવાર દ્વારા 'સફળ જીવનની દિશાધારા'નું વિતરણ
    Next Article
    શિક્ષક સાથે ન્યાય કરો,TET પરીક્ષા રદ કરો:ગુજરાતના 75 હજાર, દેશના 25 લાખ જૂના શિક્ષકોને પરીક્ષા ફરજિયાત થતા રાજકોટમાં ઉગ્ર નારેબાજી સાથે રેલી નિકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment