Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET-1 પાસ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર હૈયાવરાળ ઠાલવી:જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકની ભરતી કરવા માગ

    2 दिन पहले

    રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ અને લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોનો આક્રોશ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આજે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં TET-1 પાસ કરેલા ઉમેદવારો પોતાની પડતર માંગણીઓ સાથે રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા આ શિક્ષક યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તંત્ર સમક્ષ ફરી એકવાર ન્યાયની ગુહાર લગાવી છે. ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર સૂત્રોચ્ચાર ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકત્રિત થયેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી TET-1 ની પરીક્ષા સારા ગુણો સાથે પાસ કરીને બેઠા છે, છતાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટેની કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી નથી. ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની અનેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર કરાર આધારિત અથવા જ્ઞાન સહાયક જેવી યોજનાઓથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જે લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનો સાથે અન્યાય સમાન છે. અમને 27 ટકા અનામતનો લાભ મળે એ અમારી મુખ્ય માંગ છે. કાયમી ભરતીનું જાહેરનામું બહાર પાડવાની માગ આજના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમેદવારોએ આવેદનપત્ર સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને પોતાની વેદના ઠાલવી હતી. ઉમેદવારોની મુખ્ય માંગણી છે કે વહેલામાં વહેલી તકે TET-1 પાસ ઉમેદવારો માટે કાયમી ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે અને ખાલી પડેલી તમામ જગ્યાઓ વયમર્યાદાની મર્યાદા નડે તે પહેલાં ભરી દેવામાં આવે. અધિકારીઓએ ઉમેદવારોની રજૂઆત સાંભળીને આ બાબતને ઉચ્ચ કક્ષાએ સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ મૂકવાની હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે ભૂતકાળમાં પણ આવી અનેક આશ્વાસનો મળી ચૂક્યા છે.તેથી હવે તેઓ માત્ર લેખિત ખાતરી અથવા સીધી ભરતીની જાહેરાત ઈચ્છે છે. આ મામલે હવે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી 16 મહિના પછી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા:G7 સમિટમાં સાથે બેઠેલા જોવા મળ્યા, 5 મિનિટ સુધી વાત કરી; કાલે ટ્રેડ ડીલ પર વાતચીત શક્ય
    Next Article
    ગાંધીનગરમાં રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ:બાળકોને જીવલેણ રોગો સામે સુરક્ષિત કવચ આપવા સરકારનો નિર્ણય, 24 લાખ બાળકોને Td અને DPT રસી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment