Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામના પ્રતિનિધિઓએ કરી TDOને રજૂઆત:રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના વિભાજન સામે વિરોધ,

    17 hours ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાની રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના ગેરકાયદેસર વિભાજનની પ્રક્રિયા અટકાવવા માટે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી, વ્યારા સમક્ષ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં જ રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી પૂર્ણ થઈ નવી બોડી કાર્યરત બની છે, ત્યારે રાજકીય હિતોથી પ્રેરિત અમુક તત્વો દ્વારા પંચાયતનું વિભાજન કરવાની પેરવી શરૂ કરાઈ છે. રજૂઆત અનુસાર હાલની 7 ગામોની જૂથ ગ્રામ પંચાયતને વિભાજિત કરી 2 તથા 3 ગામોની અલગ પંચાયત બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં પંચાયતની ચૂંટાયેલી બોડી કે સરપંચને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, જે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક વભન-1099-3371-ચ, તા. 30/08/2022 ની સ્પષ્ટ જોગવાઈઓનો ભંગ કરે છે. ઠરાવની કલમ-4 મુજબ જરૂરી એવી ચેકલિસ્ટ આઇટમ નં. (6-અ) અને (9) મુજબ “ગ્રામ પંચાયતનો ઠરાવ” તથા “વાંધા-હરકત ન હોવાનો પ્રમાણપત્ર” અનિવાર્ય હોવા છતાં તે લેવામાં આવ્યા નથી. વધુમાં, વિભાજન માટે જરૂરી 5 ટકા મતદારોની સહીઓ કે અંગૂઠાના નિશાન લેવાની પ્રક્રિયામાં પણ ગેરરીતિ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજુઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલની ગ્રામ પંચાયત બોડીના સભ્યો, સરપંચ અને ડે. સરપંચ દ્વારા હોદ્દો છોડવા અંગે કોઈ બાંહેધરી આપવામાં આવેલી નથી. માત્ર રાજકીય દ્વેષભાવથી પ્રેરાઈને કરવામાં આવતું આ વિભાજન વહીવટી દ્રષ્ટિએ પણ અયોગ્ય હોવાનું જણાવાયું છે, જેનાથી ગ્રામ વિકાસની કામગીરીમાં અવરોધ ઉભો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આથી, ગ્રામજનોએ માંગણી કરી છે કે જો રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના વિભાજન અંગે કોઈ દરખાસ્ત તલાટી-કમ-મંત્રી મારફતે કે અન્ય રીતે રજૂ થાય, તો પંચાયત અધિનિયમ તથા તા. 30/08/2022 ના સરકારના ઠરાવની જોગવાઈઓના આધારે તેને તાત્કાલિક અસરથી નામંજૂર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ભારે ટ્રાફિકજામ સાથે લોકોની હાલાકીમાં થયો વધારો:ચીખલી માર્ગ મકાન વિભાગનું ‘અક્કલનું પ્રદર્શન’, અડધો કિમી દૂર રસ્તો બંધ કરી દેતા ભારે ટ્રાફિક જામ
    Next Article
    ગોઝારો અકસ્માત સર્જાયો:સાદકપોરમાં વાહનની ટક્કરે બાઇક પર જતા યુવાનનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment