Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-દાહોદ હાઈવે પર બે ST બસ વચ્ચે અકસ્માત:પૂરઝડપે આવી રહેલી ઝાલોદ-સુરત રૂટની બસે અન્ય બસને ટક્કર મારી, 15થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા

    16 hours ago

    ગોધરા-દાહોદ હાઈવે પર ચંચેલાવના કેવડિયા ગામ પાસે બે એસ.ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદથી તારાપુર તરફ જઈ રહેલી એક એસ.ટી. બસ ચંચેલાવ નજીક કેવડિયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ઝાલોદ-સુરત રૂટની અન્ય એક એસ.ટી. બસે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે એસ.ટી. વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તેઓ દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તાલુકા પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર:22 ડિસેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝનો પ્રથમ મેચ નિરંજન શાહ સ્ટેડિયમ રમાશે
    Next Article
    ડાંગ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ:સાપુતારા પંપ પર ભીડ,અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment