Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:સુઈગામથી રાધનપુર જતી ST બસમાં છૂટા પૈસા મુદ્દે હંગામો

    1 week ago

    સુઈગામ તાલુકા સેવાસદન ખાતે તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલી આંગણવાડી કાર્યકર બહેનોને એસ.ટી. કંડક્ટરની મનમાનીનો કડવો અનુભવ થયો હતો. સુઈગામથી રાધનપુર જતી બસ (GJ-18-Z-4605) માં છૂટા પૈસા જેવી મામૂલી બાબતે કંડક્ટરે મુસાફરોને બાનમાં લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે આંગણવાડી બહેનોએ ટિકિટ માટે નાણાં આપ્યા, ત્યારે કંડક્ટરે છૂટા પૈસાની જીદ પકડી હતી. બહેનો પાસે છૂટા ન હોવાનું જણાવતા જ કંડક્ટરે ઉદ્ધત વર્તન શરૂ કર્યું અને “જો છૂટા પૈસા નહીં આપો તો બસ આગળ નહીં વધે” તેમ કહી બસ ઉભી રાખી દીધી હતી. થાકેલી પાકેલી મહિલા કર્મીઓ અને અન્ય મુસાફરોએ વિનંતી કરી હોવા છતાં કંડક્ટરે પોતાની જીદ છોડી ન હતી, જેના કારણે લાંબા સમય સુધી મુસાફરો અટવાયા હતા. આ અંગે રાધનપુર ડેપો મેનેજર વિશાલ ગોહિલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે એટલે આ બાબતે ડ્રાઇવર કંડક્ટરને બોલાવી એમના નિવેદન લઈને કાર્યવાહી કરાશે. પણ એસ.ટી. નિગમના નિયમ મુજબ, છૂટા પૈસાની વ્યવસ્થા કરવી તે કંડક્ટરની પ્રાથમિક જવાબદારી છે. જો છૂટા ન હોય તો ટિકિટની પાછળ બાકી રકમ લખીને આપવાની જોગવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    થાન સિરામિક માથે સંકટ:ગેસના 9 માર્ચથી‎નવા ભાવ લગાડ્યા પણ કેટલા તે જાહેર નહીં‎
    Next Article
    પુરવઠા તંત્રની 55 સ્થળે તપાસ હાથ ધરી:હોટલ, ફાસ્ટફૂટ સ્ટોલ પરથી ઘરેલુ ગેસના 14 બાટલા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment