Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરપંચનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વૃદ્ધને જાનનું જોખમ:માથાભારે ગેંગ સામે પોલીસ રક્ષણ મેળવવા SPને રજૂઆત

    2 days ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામમાં ભ્રષ્ટાચાર સામે નીડરતાથી અવાજ ઉઠાવનાર એક સિનિયર સિટીઝનને હવે સત્યની લડાઈ લડવા બદલ પોતાની જાન ગુમાવવાનો વારો આવે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના જાગૃત નાગરિક રાજાભાઈ રાણાભાઈ સોલંકીની પુરાવા સાથેની ફરિયાદના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ (DDO) આખા ગામના મહિલા સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો કડક હુકમ કર્યો હતો. જોકે, સરપંચ પદ ગુમાવવું પડતાં જ અકળાયેલા ભ્રષ્ટાચારી તત્વો અને તેમની આખી ગેંગ હવે આ 70 વર્ષના દલિત વૃદ્ધની પાછળ પડી ગઈ છે અને તેમને જાનથી મારી નાખવાના કાવતરાં ઘડાઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 7 માથાભારે શખસો સામે નામજોગ આક્ષેપ સરપંચ પદેથી હનીફાબેન સસ્પેન્ડ થતાં જ તેમના પરિવારના સભ્યો અને ગામના અન્ય કેટલાક લોકો ભારે રાગ-દ્વેષ અને વેરભાવ રાખીને રાજાભાઈ પર ગમે ત્યારે ખૂની હુમલો કરે એવી ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ભયના ઓથાર હેઠળ જીવતા વૃદ્ધ રાજાભાઈ સોલંકીએ જૂનાગઢના જિલ્લા પોલીસ વડા (SP) ને લેખિતમાં અરજી કરીને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવા અને કાયદાકીય પગલાં ભરવા માટે ગુહાર લગાવી છે. રાજાભાઈએ પોતાની અરજીમાં સસ્પેન્ડેડ સરપંચના પતિ સુલેમાન હુશેન દલ (જેમના પર અગાઉથી જ મારામારી અને લૂંટના અનેક ગુનાઓ દાખલ થયેલા છે) તેમજ તેમના પુત્ર રફીક સુલેમાન દલ, ભત્રીજા અનીશ કાસમ દલ, ગામના ઉપસરપંચ નારણ ભીખા કટારા, મેપા હાદા કોડીયાતર, દાના વીરા હુણ અને સુલેમાન ઈસા દલ સહિતના સાત માથાભારે શખસો સામે નામજોગ આક્ષેપો કર્યા છે. રાજાભાઈનો દાવો છે કે, આ લોકો અગાઉ પણ તેમને રસ્તામાં રોકીને હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચૂક્યા છે, જેની વીડિયો ક્લિપ પણ પુરાવા તરીકે તેમની પાસે મોજૂદ છે. "હું ઘરની બહાર પણ નીકળી શકતો નથી" પોતાની આપવીતી જણાવતા પીડિત રાજાભાઈ સોલંકીએ કહ્યું કે, "આખા ગામના સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હતો, જેની લાંબી તપાસ બાદ કલેક્ટર/ડીડીઓ તંત્રે તેમને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી બાદ પૂર્વ સરપંચ અને તેમની આખી ગેંગ મારા પર ભારે ખાર રાખીને બેઠી છે. મને ડર છે કે આ લોકો મારા પર ગમે ત્યારે જીવલેણ હુમલો કરી શકે છે, જેના કારણે હું ઘરની બહાર પણ નીકળી શકતો નથી. ગઈકાલે જ પૂર્વ સરપંચ કેટલાક અધિકારીઓ અને વિતરણ અધિકારીને સાથે રાખીને મારી વાડીએ આવ્યા હતા અને જમીન બાબતે ખોટો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બધુ માત્ર વેરભાવ રાખીને મને ડરાવવા અને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે." માત્ર સસ્પેન્શન કેમ? અરજદાર રાજાભાઈએ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં ધારદાર રજૂઆત કરી છે કે, સરપંચને પદ પરથી સસ્પેન્ડ તો કરવામાં આવ્યા, પરંતુ તેમણે સરકારી નાણાંનો જે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તે બદલ તેમની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ (FIR) કેમ દાખલ કરવામાં નથી આવી? તેમણે ઉમેર્યું કે, અન્ય તાલુકાઓમાં જ્યારે આવા ભ્રષ્ટાચારના કેસ થાય છે ત્યારે દોષિતો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ થાય છે અને તેમની પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવે છે. પરંતુ અહીં સરપંચ સામે હજુ સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. રાજાભાઈ સોલંકીની મુખ્ય માંગણી છે કે, ભ્રષ્ટાચારની રકમની યોગ્ય રિકવરી થવી જોઈએ, દોષિતો સામે કડક પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ અને તેમને જાનથી મારી નાખવાની જે ભીતિ છે, તેમાંથી મુક્તિ અપાવી યોગ્ય ન્યાય મળવો જોઈએ. જો પોલીસ તંત્ર દ્વારા આ માફિયા તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ સામાન્ય નાગરિક સિસ્ટમના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા આગળ નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કોંગ્રેસ આગેવાનોએ અમિત ચાવડા સાથે મુલાકાત કરી:અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી
    Next Article
    Serious pollution in river | બહુચરાજી તાલુકાની ખારી નદીમાં પ્રદૂષણ | Chemically contaminated water

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment