Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠાનો જાગીર મઠ વિવાદમાં:પાટણના આધેડનું અપહરણ અને મારપીટ મામલે ચૌધરી સમાજમાં રોષ, મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ સાથે SPને રજૂઆત

    4 days ago

    બનાસકાંઠાના થરામાં આવેલો જાગીર મઠ વિવાદમાં આવ્યો છે. પાટણના એક આધેડના અપહરણ અને મારપીટના આરોપને કારણે વિવાદમાં આવ્યો છે. આ મામલે ચૌધરી સમાજના લોકોએ પાલનપુર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. આ ઘટના 11 જુલાઈના રોજ બની હતી. પાટણના દાદર ગામના અરજણ ચૌધરીનું અપહરણ કરી તેમને થરા જાગીર મઠની જગ્યામાં લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. પીડિત આધેડના જણાવ્યા અનુસાર, જાગીર મઠના મહંતે તેમના માણસો પાસે તેમનું અપહરણ કરાવી મઠમાં માર મરાવ્યો હતો. આ ઘટના બાદ અરજણે પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. જોકે, પોલીસે પાંચ દિવસ પછી પાંચ લોકોના નામજોગ અને છ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ દાખલ ન થતાં પીડિત પરિવાર સહિત ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે ચૌધરી સમાજના લોકોએ પાલનપુરમાં એકઠા થઈ SP કચેરીએ રજૂઆત કરી હતી. તેમણે અપહરણ મામલે નોંધાયેલી ફરિયાદમાં વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કર્યો હતો. સમાજે પીડિત આધેડની લેખિત અરજી મુજબ ફરિયાદ દાખલ કરી મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ કરી છે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અંગે સમાજ આગેવાન ભેમા ચૌધરીએ જણાવ્યું કે, આજે અમે એસપી સાહેબને આવેદન આપ્યું છે. જેમાં અમારી લેખિત સ્વરૂપે મૂળ ફરિયાદ હતી તે ફરિયાદ લેવામાં આવે, એની અંદર જે મુખ્ય આરોપી છે એમનં નામ દાખલ કરવામાં આવે, અપહરણ, લૂંટ, માર મારવાની, ધમકી સહિતની કલમો એડ કરવામાં આવે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, કોઈ નિર્દોષ ન દંડાવો જોઈએ. પણ જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3 બાળકો સહિત 9 ભડથું:સળગતા શ્રમિકને ઠંડો પાડવા પાણીના નળ નીચે મૂક્યો, 300 મીટર દૂર કાટમાળ પડ્યો; ઉભો પાક સળગ્યો
    Next Article
    'જમીન અમારી માં છે, વળતર નહીં તો ટાવર નહીં':સુરતમાં સરકારી પરિપત્રની હોળી કરી ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment