Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સદગુરૂ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર SOG-ફૂડ વિભાગનો દરોડો:તેલના સેમ્પલ લેબમાં મોકલાયા, ભેળસેળની આશંકાએ વેપારીઓમાં ફફડાટ

    14 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં જન આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે પોલીસ તંત્રે સખત વલણ અપનાવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે વેરાવળના વખરીયા બજાર વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓ પર અચાનક દરોડા પાડતા વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર SOGની ટીમે ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને વખરીયા બજારમાં આવેલી સદગુરૂ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર દરોડો પાડ્યો હતો. ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની આશંકાને આધારે ટીમે દુકાનમાં રાખેલા વિવિધ તેલના જથ્થાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓએ તેલના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લેબ ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેલમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં. જો રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી બજારમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અંગે મળતી બાતમીને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે. વેરાવળ શહેરના વેપારી વિસ્તારમાં થયેલી આ અચાનક કાર્યવાહીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસ અને ફૂડ વિભાગ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ કાર્યવાહીને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કારણ કે બજારમાં વેચાતા ખાદ્ય તેલની ગુણવત્તા અંગે લોકોમાં છેલ્લા કેટલાક સમયથી શંકા વ્યક્ત થતી હતી. હવે લેબ રિપોર્ટ બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ બનશે.
    Click here to Read More
    Previous Article
    હોટેલ-રેસ્ટોરાં સહિતને PNG કનેક્શન અપાશે:તાત્કાલિક કનેક્શન આપવા CMની સૂચના, ગેસ પુરવઠા મુદ્દેની બેઠકમાં નિર્ણય; લાકડાના મોટા ચૂલા સળગ્યા, વેપારીઓ પરેશાન
    Next Article
    ‘તેરા તુજ કો અર્પણ’:ગાંધીનગરના મોલમાં ભુલાયેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને પરત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment