Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં બેંકિંગ નિયમ અંગે શિબિર યોજાઈ:ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો દંડ વસૂલતાં પહેલા SMS, ઈ-મેઇલ કે પત્રથી જાણ કરવી પડે

    1 week ago

    બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલા નવા નિયમો અંગે મહેસાણામાં યોજાયેલી સહકારી બેંકિંગ માર્ગદર્શન શિબિરમાં વિગતવાર માહિતી અપાઇ હતી. નિષ્ણાતોએ જણાવ્યું કે, કોઈ ડિપોઝિટ ખાતેદાર પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી શકતો ન હોય તો બેંકે દંડ વસૂલતા પહેલાં ખાતેદારને SMS, ઈ-મેઇલ અથવા પત્ર દ્વારા ઓછામાં ઓછા એક મહિનાની નોટિસ આપવી ફરજિયાત રહેશે. વોટ્સએપ દ્વારા મોકલાયેલા મેસેજ માન્ય નથી. જિલ્લા સહકારી સંઘમાં રવિવારે કો-ઓપ ક્રેડિટ સોસાયટીઓ અને નાગરિક સહકારી બેંકોના પ્રતિનિધિઓ માટે આયોજિત શિબિરમાં એમ્કો બેંક અમદાવાદના પૂર્વ જનરલ મેનેજર પ્રદીપભાઈ ચોકસીએ જણાવ્યું કે, મિનિમમ બેલેન્સ ન હોવા બદલ વસૂલાતો દંડ ખાતામાં રહેલા શોર્ટફોલના પ્રમાણમાં જ હોવો જોઈએ. ઉપરાંત દંડ કપાત પછી ખાતું નેગેટિવ બેલેન્સમાં જવું ન જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, બેંક બંધ થવાના એક કલાક પહેલાં સુધી નોન-કેશ ટ્રાન્ઝેક્શન જેવી કે ચેક સ્વીકારવા, પાસબુક પ્રિન્ટિંગ અને ડ્રાફ્ટ ઈસ્યુ કરવાની કામગીરી ચાલુ રાખવી પડશે. બેંકના તમામ ફોર્મ,‎પાસબુક અને પે-ઇન સ્લિપ અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ હોવા‎જોઈએ.‎ ગ્રાહક દ્વારા ‘શક સંવત’ની તારીખ ધરાવતા હિન્દી ચેક પણ માન્ય ગણાશે. રાષ્ટ્રીય‎કેલેન્ડર મુજબ શક સંવત તારીખ ધરાવતા ચેકને બેંકે ફરજિયાત સ્વીકારવા અને તેની‎માન્યતા ગ્રેગોરિયન કેલેન્ડર સાથે સરખાવી નક્કી કરવી રહેશે.‎ દરેક બેંકે ગ્રાહકોના પ્રશ્નો અને સેવાઓ માટે બ્રાન્ચ સ્તરે કસ્ટમર સર્વિસ કમિટી‎બનાવવી જરૂરી રહેશે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ પાસે બેંક ખાતું ન હોય તો પણ નાના‎મૂલ્યના ડ્રાફ્ટ માટે રોકડ સ્વીકારી તેને ડ્રાફ્ટ આપવામાં આવશે. તમામ ઇલેક્ટ્રોનિક‎ટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહકોને SMS એલર્ટ મોકલવું ફરજિયાત રહેશે અને તે માટે‎ગ્રાહકનો મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલો હોવો જરૂરી છે.‎ શિબિરમાં પ્રશ્નોત્તરી : બેંક બંધ થઇ જાય તો? સવાલ : બેંક તરફથી મોકલાતા SMS ગુજરાતી ભાષામાં ન મોકલી શકાય? જવાબ : 28 નવેમ્બર 2025ના RBI સર્ક્યુલરમાં પ્રાદેશિક ભાષામાં SMS મોકલવાની ભલામણ કરેલી છે અને ભવિષ્યમાં આવી વ્યવસ્થા અમલમાં આવશે. સવાલ : કોઈ ગ્રાહકે બેંકમાં FD મૂકી હોય અને બેંક બંધ થઈ જાય તો? જવાબ : રૂ.5 લાખ સુધીની ડિપોઝિટ રકમ ખાતેદાર માટે સુરક્ષિત ગણાય છે. સવાલ : દાગીનાની શુદ્ધતા ગ્રાહકની હાજરીમાં માપવાનું ફરજિયાત હોવા છતાં જો બેંકનો વેલ્યુઅર ખોટો નીકળે તો શું કરવું? જવાબ : આવી સ્થિતિમાં ગ્રાહકે યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વીજ પુરવઠો ખોરવાયો:મહેસાણા પાટીદાર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી બે દિવસ લાઇટ બંધ રહી
    Next Article
    ખિસ્સા કાતરું ટોળકી ઝડપાઈ:પાલોદરના મેળામાં યાત્રિકોના ખિસ્સા કાપનાર અમદાવાદના 6 શખ્સ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment