Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણીમાં કોણ રીપિટ થશે, કોના પત્તા કપાશે?:શહેર પ્રમુખની સ્વૈચ્છિક પીછેહઠ, SIR વિવાદમાં ફસાયેલા વિક્રમ પાટીલનું પત્તું કપાશે; જુઓ લિસ્ટ

    3 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કડક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેના કારણે અનેક જૂના જોગીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને 60 વર્ષની વયમર્યાદા અને 'નો રિપીટેશન'ની થિયરીને કારણે શહેર પ્રમુખ પરેશ પટેલ અને વિવાદોમાં ઘેરાયેલા વિક્રમ પાટીલ જેવા મોટા માથાઓની ટિકિટ કપાશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પરેશ પટેલની સ્વૈચ્છિક પીછેહઠ ભાજપ દ્વારા સંગઠન અને સત્તામાં યુવા લોહીને પ્રાધાન્ય આપવાની નીતિને કારણે આ વખતે અનેક સિનિયર નેતાઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ પોતે 60 વર્ષની વય વટાવી ચૂક્યા હોવાથી, તેમણે પક્ષની શિસ્તને માન આપી આ વખતે દાવેદારી કરી નથી. પરેશ પટેલના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે જો શહેર પ્રમુખ પોતે જ મેદાનમાંથી ખસી જતા હોય, તો અન્ય વયસ્ક કોર્પોરેટરો માટે પણ હવે કોઈ જગ્યા બચી નથી. SIR વિવાદમાં ફસાયેલા વિક્રમ પાટીલનું પત્તું પણ કપાશે વોર્ડ દીઠ બેઠકોના સમીકરણોમાં આ વખતે સૌથી વધુ ચર્ચા વિક્રમ પોપટ પાટીલની થઈ રહી છે. માત્ર ઉંમર જ નહીં, પણ તેમના મત વિસ્તારમાં થયેલી કામગીરીને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. એસઆઈઆર (SIR) ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિક્રમ પાટીલ વિવાદમાં આવ્યા હતા. આરોપ છે કે મુસ્લિમ વિસ્તારોમાં અનેક ફોર્મમાં તેમણે જીવિત વ્યક્તિઓને પણ મૃત જાહેર કરી દીધા હતા. આ પ્રકારની ગંભીર બેદરકારી અને વિવાદોને જોતા ભાજપ હાઈકમાન્ડ તેમને ટિકિટ ન આપીને ડેમેજ કંટ્રોલ કરવાના મૂડમાં છે.
    Click here to Read More
    Previous Article
    ‘સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ’:આવું કહેનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા; જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો: પ્રવીણ રામ
    Next Article
    RTE હેઠળ પ્રવેશને લઈ વાલીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ:હેલ્પ લાઈન નંબર પરથી પણ માર્ગદર્શન, દરોજ 100 વાલીઓની સમસ્યાનું નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment