Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોકરોચ જનતા પાર્ટી' પછી હવે આવી 'ઈશ્ક કરો પાર્ટી':SCના પૂર્વ જજ માર્કંડેય કાત્જુની જાહેરાત, સો.મીડિયા યુઝર્સે કહ્યું- રાજકારણમાં નફરત નહીં ઈશ્કની એન્ટ્રી

    9 hours ago

    સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી 'કોકરોચ જનતા પાર્ટી'ની ખૂબ ચર્ચા થઈ રહી હતી. લોકો મીમ્સ બનાવી રહ્યા હતા, વીડિયો શેર કરી રહ્યા હતા અને આ અનોખી પાર્ટીને લઈને ચર્ચા પણ કરી રહ્યા હતા. પરંતુ હવે ઇન્ટરનેટને એક નવો વિષય મળી ગયો છે. પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ 'ઇશ્ક કરો પાર્ટી' બનાવવાની જાહેરાત કરી દીધી છે. જસ્ટિસ કાત્જુએ X પર કરી જાહેરાત જસ્ટિસ કાત્જુએ ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આ નવી પાર્ટીની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું કે આ પાર્ટીનો હેતુ લોકો વચ્ચે પ્રેમ, શાંતિ, ભાઈચારો અને પરસ્પર સમજણ વધારવાનો છે. કાત્જુએ યુવાનોને આ પહેલનો ભાગ બનવાની અપીલ પણ કરી. એટલું જ નહીં, પાર્ટી સાથે જોડાવા ઈચ્છુક લોકો માટે તેમણે (ishqkaroparty@gmail.com) ઈમેલ આઈડી પણ શેર કર્યું છે. બસ પછી શું હતું, સોશિયલ મીડિયા યુઝર્સને મીમ્સનો નવો મસાલો મળી ગયો. કોઈએ લખ્યું, 'હવે રાજકારણમાં નફરત નહીં, ઇશ્કની એન્ટ્રી થઈ ગઈ છે.' તો કોઈએ મજાકમાં કહ્યું, 'કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ ઇશ્ક કરો પાર્ટી… હવે રાજકારણમાં પ્રેમ અને કોકરોચ વચ્ચે મુકાબલો જોવા મળશે. 'જ્યારે કેટલાક લોકો તેને જસ્ટિસ કાત્જુની ખાસ શૈલી અને વ્યંગ્ય માની રહ્યા છે. જસ્ટિસ માર્કંડેય કાત્જુ પોતાના સ્પષ્ટ નિવેદનો અને અલગ વિચારસરણી માટે અવારનવાર ચર્ચામાં રહે છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા કાત્જુ સમયાંતરે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય રજૂ કરતા રહ્યા છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે 'ઇશ્ક કરો પાર્ટી' ભવિષ્યમાં એક ઔપચારિક રાજકીય પક્ષ બનશે કે નહીં. પરંતુ એટલું નિશ્ચિત છે કે આ જાહેરાતે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે અને મીમ્સની દુનિયાને એક નવો ટ્રેન્ડ આપ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સોશિયલ મીડિયાની આ 'ઇશ્કની રાજનીતિ' થોડા દિવસોની ટ્રેન્ડિંગ ચર્ચા બનીને રહી જાય છે કે પછી ખરેખર કોઈ મોટા અભિયાનનું સ્વરૂપ લે છે. અભિજીત દીપકે દેશભરમાં પ્રદર્શનની જાહેરાત કરી બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે દેશભરમાં પ્રદર્શનની જાહેરાત કરી છે. તેમણે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું- જો 13 જૂન સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો હું પોતે અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં પ્રદર્શન કરવા જઈશ. તેમણે કહ્યું કે જો આ પછી પણ શિક્ષણ મંત્રીએ રાજીનામું નહીં આપ્યું તો દેશભરના વિદ્યાર્થીઓ ફરીથી દિલ્હી જશે અને શાંતિપૂર્ણ આંદોલન કરશે. CJP એ 6 જૂને જંતર-મંતર પર પણ પ્રદર્શન કર્યું હતું અને પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી હતી. અભિજીત 6 જૂને પ્રદર્શન માટે અમેરિકાથી ભારત આવ્યા છે. તેઓ રવિવારે સવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત પોતાના ઘરે પહોંચ્યા. તેમણે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું- છેલ્લા 10-12 વર્ષમાં દેશની રાજનીતિ હિંદુ-મુસ્લિમ મુદ્દાઓ પર કેન્દ્રિત રહી છે. આનાથી રોજગાર નહીં મળે. CJI સૂર્યકાંતનું નિવેદન CJP બનવાનું કારણ બન્યું CJP નો જન્મ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે યુવાનો પર આપેલા એક નિવેદન પછી થયો. CJI સૂર્યકાંતે 15 મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા હતા. તેમણે કહ્યું - કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ પછીથી મીડિયા, સોશિયલ મીડિયા અથવા RTI કાર્યકર્તા બનીને સિસ્ટમ પર હુમલો કરવા લાગે છે. CJI અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે એક વકીલની અરજી પર સુનાવણી કરી, જેમાં તેણે સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવવાની માંગ કરી હતી. બેન્ચે વકીલને ઠપકો આપતા કહ્યું - સમાજમાં પહેલેથી જ પરોપજીવીઓ (પેરાસાઇટ) છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે. આ પછી 16 મેના રોજ અમેરિકાથી અભિજીત દીપકેએ કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી. એક્સ-ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે 22 મેના રોજ વેબસાઇટ પર ઓનલાઈન પિટિશન મૂકી. આ પિટિશનમાં 8 લાખથી વધુ લોકોએ સહી કરી હતી. --------------------------- આ સમાચાર પણ વાંચો: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું 5 કલાક પ્રદર્શન:અભિજીતે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું; આવતા શનિવારે ફરી જંતર-મંતર પર એકઠા થવાનું એલાન NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે CJP એ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર 5 કલાક પ્રદર્શન કર્યું. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે મંત્રી આજે સાંજે 5 વાગ્યા સુધીમાં રાજીનામું આપે, નહીં તો આખા દેશમાં પ્રદર્શન કરવામાં આવશે. આવતા શનિવારે, એટલે કે 13 જૂને જંતર-મંતર પર ફરી પ્રદર્શન કરશે. CJP ને જંતર-મંતર પર આજે સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન કરવાની પરવાનગી મળી હતી, પરંતુ લગભગ 3 વાગ્યે જ અભિજીત અને સોનમ વાંગચુક ધરણા સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. આ પછી પ્રદર્શન સમાપ્ત થઈ ગયું. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ₹370ની બિરયાની વસૂલવા સેક્સની અપેક્ષા!:કોમેડિયન પ્રણિતના શૉના વીડિયો પર ભડકી દિશા પાટણીની બહેન ખુશ્બુ, કહ્યું- 'દરેક જગ્યાએ છોકરીના રેટ નક્કી કરે છે'
    Next Article
    AMCને બોમ્બની ધમકી મળીને સ્ટાફ ગાયબ થયો:પોલીસના સર્ચ બાદ ઓફિસો શરૂ કરી છતાં તાળા જોવા મળ્યા, મેયર સહિતના પદાધિકારીઓ બેઠાં પણ કર્મચારીઓ રજાના મૂડમાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment