Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેરિયાઓ અને પાથરણાંવાળાથી ભદ્ર ફરીથી ધમધમતું થયું:AMCએ વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરતાં ગમે તેમ બેસી ગયા, ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે

    8 hours ago

    અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર નજીક ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને ધંધો કરવા દેવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ AMC દ્વારા વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરાતાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ પોતે ગમે તેમ બેસીને જાતે ધંધો શરૂ કરી દીધો હતો. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકો અને હેરિટેજ વિસ્તારને જાળવવા માટે ભાજપના એસ્ટેટ અને લીગલ વિભાગના ચેરમેન દ્વારા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભદ્ર પરિસર મુદ્દે ઢીલુ મૂકી દેવાતાં છેવટે ભદ્ર પરિસર ધમધમતું થયું છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ AMCએ કમિટીની રચના કરી નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે નિયમ મુજબ તપાસ કરવામાં આવી નહીં અને જે પણ ફેરિયાઓ બેસી ગયા તેમને બેસવા દેવામાં આવ્યા હતાં. જગ્યા ફાળવી અને વ્યવસ્થિત રીતે બેસવા દેવા દેવાની સૂચના છતાં પણ ગમે તે જગ્યા ઉપર બેસી ગયા હતાં. હાઇકોર્ટના આદેશ બાદ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની કમિટીની રચના કરી નહીં અને ભદ્ર બજાર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. જોકે હવે આ વિસ્તારમાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવનારા અને વાહનો લઈને પસાર થનારા લોકોને ચોક્કસથી તકલીફ પડી શકે છે. 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થયું લાલદરવાજાના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો સર્વે કર્યા વિના તેમના હટાવવા બાબતે લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીથી 586 ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવા માટે આદેશ કર્યો છે. ત્યારે 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. સર્ટિફિકેટની ચકાસણી પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કર્યો હાઈકોર્ટના આદેશને અનુસરીને AMC દ્વારા ત્રણ અધિકારી અને એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફેરિયાઓને આપેલાં સર્ટિફિકેટની ચકાસણી કરીને ભદ્ર પરિસરમાં બેસવા દેવા માટેની પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારે સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તે પહેલાં જ ફેરિયાઓએ ભદ્ર વિસ્તારમાં પાથરણાં પાથરીને ધંધો કરવાનું શરૂ કરી દેવાને કારણે ભારે ભીડ જોવા મળી હતી. ગેરકાયદે બેસતાં ફેરિયાઓ પર એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી નહીં! એક પણ ફેરિયાઓની પાસે કયા સંસ્થાના ફેરિયાઓ છે અને વ્યવસ્થિત રીતે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમ એક જ લાઈનમાં અને પટ્ટા દોરી અને સરખી રીતે બેસવાનું હોવા છતાં પણ ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ બેસી ગયા હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે ધ્યાન આપ્યું નથી. ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો અને કબજો જમાવનારા લોકો સામે કાર્યવાહીની સૂચના છતાં પણ કોર્પોરેશનને કોઈ કાર્યવાહી કરી નહીં. ફરી ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતા સૂત્રોના જણાવ્યાનુસાર, હાઈકોર્ટના આદેશને પગલે ઘણાં સમય પછી ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવામાં આવશે. પરંતુ AMC રેકર્ડ પર નોંધાયેલા ફેરિયા- પાથરણાંવાળાઓની સરખામણીએ મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓને રાફડો ફાટી નીકળે તેવી શક્યતા છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતા છે. વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા AMC દ્વારા ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાવાળાને દૂર કરવા માટે દબાણની ગાડીઓ અને સ્ટાફને ખડે પગે રાખવા અને મશીનરીને કામે લગાડવાની કામગીરી કરાઈ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોમાં સફળતા મેળવનારા લીગલ કમિટી અને એસ્ટેટ વિભાગના બંને ચેરમેનો ભદ્ર પરિસરના મુદ્દે નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Max Dowman, Arsenal’s 16-year-old school boy, shatters Premier League history with goal against Everton
    Next Article
    Jay Shah's Blunt Reminder To Pak, Bangladesh Over Boycott Drama In T20 WC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment