Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુ વ્હિલરનો ટેસ્ટ આપવા આવેલા અરજદારોને પડ્યા ધક્કા‎:પાટણ RTOમાં ટેકનિકલ ખામીના કારણે 15 જાન્યુ.સુધી ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ

    3 days ago

    પાટણ જિલ્લા આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં આગામી 15 જાન્યુઆરી 2026 સુધી ટુ-વ્હીલરના તમામ ટેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત બે દિવસથી સર્જાયેલી આ સમસ્યાને કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા નવી આર.એફ.આઈ.ડી (RFID) સિસ્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મંગળવારે સમગ્ર રાજ્યમાં સર્વરની સમસ્યાને કારણે કામગીરી ઠપ રહી હતી. ત્યારબાદ બુધવારે સવારે જ્યારે નિત્યક્રમ મુજબ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે ટુ-વ્હીલર ટેસ્ટ માટે અનિવાર્ય એવી RFID સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને પગલે આખો દિવસ ટેસ્ટ પ્રક્રિયા બંધ રહી હતી. વહીવટી પ્રક્રિયા મુજબ નવી સિસ્ટમ મંગાવવામાં સમય લાગે તેમ હોવાથી, તંત્રએ 15 જાન્યુઆરી સુધી ટુ-વ્હીલર ટેસ્ટ મુલતવી રાખ્યા છે. સમય અને નાણાંનો વેડફાય થાય છે : અરજદાર ટેસ્ટ આપવા આવેલા અરજદારો ચેતન પ્રજાપતિ, શૈલેષ પ્રજાપતિ અને રોશની પટેલે જણાવ્યું હતું કે, અમે બુધવારથી અહીં રાહ જોઈ રહ્યા છીએ. ગુરુવારે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે 15 તારીખ સુધી ટેસ્ટ બંધ છે. અમને કોઈ અગાઉથી મેસેજ આપવામાં આવ્યા નથી, જેના કારણે અમારે ખોટા ધક્કા ખાવા પડે છે અને આર્થિક નુકસાન સાથે સમય પણ વેડફાય છે. ટુ-વ્હીલર ટેસ્ટ પ્રક્રિયા RFID ખામી સર્જાતાં નિર્ણય ટુ-વ્હીલર ટેસ્ટ પ્રક્રિયા RFID દ્વારા જનરેટ થાય છે, જેમાં ખામી આવતા નવી સિસ્ટમ માટે વડી કચેરીએ પ્રક્રિયા હાથ ધરી છે. અરજદારોને વધુ ધક્કા ન થાય તે માટે 15 જાન્યુઆરી સુધી ટુ-વ્હીલર ટેસ્ટ બંધ રખાયા છે. જોકે, ફોર-વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે. જો સિસ્ટમ વહેલી કાર્યરત થશે તો અરજદારોને મોબાઈલ પર મેસેજ દ્વારા જાણ કરાશે.તેવું. કે. એન. ચૌધરી આરટીઓ ઇન્સ્પેક્ટર, પાટણ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વિકાસની અટકેલી ગાડી ફરી પાટા પર ચડશે:પાટણમાં ચોમાસામાં ધોવાયેલા રોડ રસ્તાઓનું અટકી પડેલ રિસરફેસિંગનું કામ હવે શરૂ થશે
    Next Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:મનપામાં ભળેલાં 25 ગામોમાં પણ આકારણી પત્રક મળતાં થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment