Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારા પતિનો હાથ કાપ્યો હતો, બદલો લેતા રહીશું':RSSની 5000 શાખા, 4 લાખ મેમ્બર, 300 સ્વયંસેવકોની હત્યા; BJP ફેલ કેમ?

    5 days ago

    20 માર્ચ, 1942ના રોજ દત્તોપંત ઠેંગડીએ કેરળના કોઝિકોડના ચેલ્લાપુરમમાં 12 સ્વયંસેવકો સાથે RSSની પહેલી શાખા શરૂ કરી. હવે આ સંખ્યા વધીને 5000 થઈ ગઈ છે. દરરોજ 84,000 લોકો હાજરી આપે છે. 2,00,000 સક્રિય સભ્યો પણ છે. છતાં, રાજધાની તિરુવનંતપુરમમાં BJP મેયર પસંદ કરવામાં RSSને 84 વર્ષ લાગ્યા. અને માત્ર એક વર્ષ પહેલાં, BJPના પ્રથમ સાંસદ સુરેશ ગોપી ત્રિશૂરથી જીત્યા હતા. 9 એપ્રિલે કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. RSS અને BJP માટે કેરળ એક પડકાર છે. BJPનો દાવો છે કે આ રાજકીય હિંસામાં 300 થી વધુ સ્વયંસેવકો અને કાર્યકરો માર્યા ગયા હતા. આમ છતાં, પાર્ટીનો મત ટકાવારી વધી રહી છે, પરંતુ તે બેઠકોમાં રૂપાંતરિત થતી નથી. શું RSSની 5,000 શાખાઓ આ વખતે BJP માટે ચમત્કાર કરી શકશે? ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચો... ‘પતિનો હાથ કાપીને ફેંકી દીધો હતો, અમે બદલો લઈ લીધો’ RSS માટે કેરળમમાં સૌથી મોટો પડકાર રાજકીય હિંસા રહ્યો છે. આ હિંસા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે CPI (M), સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે SDPI અને કોંગ્રેસના કેડર સાથે થતી રહી છે. કોઝિકોડમાં RSSની મુખ્ય ઓફિસમાં એક આખી દીવાલ પર આ લોકોના ફોટા લાગેલા છે. આમાંના જ એક છે, 2017માં હિંસાનો શિકાર થયેલા રાજેશ. આરોપ છે કે CPMના 15થી વધુ કાર્યકર્તાઓએ રાજેશનું મર્ડર કરી દીધું હતું. તેમના પર 40થી વધુ ઘા કર્યા અને એક હાથ કાપી નાખ્યો હતો. તિરુવનંતપુરમના શ્રીકારયમમાં અમે રાજેશની પત્ની રીનાને તેમના ઘરે મળ્યા. સાંજે લગભગ 6 વાગ્યે પહોંચ્યા. રીના ઉલ્લૂરમાં સ્મૃતિ ઈરાની અને પ્રકાશ જાવડેકરની ચૂંટણી સભામાં જવાની તૈયારી કરી રહી હતી. પતિનો ઉલ્લેખ થતા જ રીના રડવા લાગે છે. તેઓ જણાવે છે, ‘રાજેશ કાદાંબલીમાં શાખામાંથી પાછા આવ્યા હતા. દૂધ લાવવાનું કહીને ઘરની બહાર નીકળ્યા. CPMના ગુંડાઓએ તેમને ખૂબ નિર્દયતાથી માર્યા. મારે બે દીકરા છે, ઘરોમાં નાનું-મોટું કામ કરીને તેમને ભણાવી રહી છું. અમે અહીં (વોર્ડમાં) તેમને હરાવીને પતિની હત્યાનો બદલો લઈ લીધો છે.’ શ્રીકારયમમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. 3 મહિના પહેલા થયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં રીનાના વોર્ડમાંથી BJPની સ્વાતિ કાઉન્સિલર (પાર્ષદ) તરીકે ચૂંટાઈ છે. રીનાના જણાવ્યા મુજબ, હવે મહોલ્લામાં RSSની રેગ્યુલર શાખા ભરાઈ રહી છે. આ વિધાનસભા બેઠક પરથી BJPએ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલીધરનને ઉમેદવાર બનાવ્યા છે. રીના તેમની જીતને લઈને કોન્ફિડન્ટ છે. આ જ ઘરમાં રાજેશના માતા-પિતા પણ રહે છે. માતા જણાવે છે, ‘દીકરાના મોતથી પતિને ઊંડો આઘાત લાગ્યો. તેઓ બેહોશ થઈ ગયા. અત્યારે પણ થોડી વારમાં બધું ભૂલી જાય છે.’ બાજુમાં બેઠેલા રાજેશના પિતા કહે છે, ‘મને TV પરથી ખબર પડી કે દીકરાનું મોત થઈ ગયું છે. કેન્દ્ર સરકાર અમને પેન્શન આપવા માંગે છે, પરંતુ CPM સરકારે બધું અટકાવી દીધું. અમને વારંવાર પરેશાન કરી રહી છે.’ ‘રાજેશને મારી નાખ્યો, પણ શાખા બંધ ન કરાવી શક્યા’ રાજેશનો CPMના લોકો સાથે શાખાને લઈને વિવાદ થયો હતો. હવે આ શાખા ઈડાવાકોડ ચલાવી રહ્યા છે. તેઓ કહે છે, ‘રાજેશની વાઈફ રીનાને કોઈ મદદ નથી મળી. બાળકોને ભણાવવા માટે પૈસા નથી. ઘણીવાર ખાવાના પૈસા હોતા નથી.’ ઈડાવાકોડ આગળ જણાવે છે, ‘શાખા અત્યારે પણ સાંજે 7:30 થી 8:30 વાગ્યા સુધી ભરાય છે. જેમાં 22 લોકો આવે છે. RSSના લોકો રીનાના પરિવારની મદદ કરે છે. બાળકોને ફ્રી ટ્યુશન ભણાવે છે. CPM સરકાર અત્યારે પણ બદલો લઈ રહી છે. ઓણમ પર વીજળી-પાણી કાપી નાખ્યું હતું. BJPની કાઉન્સિલર બની તો 15 દિવસ સુધી પાણી ન આવ્યું.’ કેરળમમાં આ વખતે RSS અને BJP કેટલા કોન્ફિડન્ટ? 3.61 કરોડની વસ્તી ધરાવતા કેરળમમાં લગભગ 53% વસ્તી હિન્દુ છે. અમે ગ્રાઉન્ડ પર RSS માટે કામ કરી રહેલા લોકોને શોધતા સંગઠન સાથે જોડાયેલા અખબાર 'જન્મભૂમિ'ની ઓફિસે પહોંચ્યા. અહીં RSSના કેરળમ નોર્થ પ્રાંતના બે વરિષ્ઠ પદાધિકારીઓને મળ્યા. બંનેએ સ્પષ્ટ કહી દીધું કે અહીં થયેલી વાતો અનઓફિશિયલ જ રહેશે. અમારા નામનો ક્યાંય ઉલ્લેખ નહીં થાય. ચૂંટણીની તૈયારીઓના સવાલ પર બોલ્યા, ‘અમે અહીં સરકાર બનાવવા નહીં, જગ્યા બનાવવા માટે લડી રહ્યા છીએ. અમારું ફોકસ 20 થી 25 બેઠકો પર છે જ્યાં અમે છેલ્લા વર્ષોમાં મજબૂતીથી પગ જમાવ્યા છે. તેમાંથી 7 થી 10 બેઠકો પર જીતની શક્યતા દેખાઈ રહી છે.’ ‘25% હિન્દુ વોટર્સ અમારા, ખ્રિસ્તીઓને પણ જોડવા પડશે’ RSSના પદાધિકારી જણાવે છે, ‘સંઘ કેરળમમાં હંમેશાથી મજબૂત છે. અહીં 50% વોટર્સ હિન્દુ છે. 25% BJPના સમર્થક છે. બાકીના 25% CPMના છે. આ જ અમારા માટે ચેલેન્જ છે.’ RSS આટલું મજબૂત છે, તો BJP સ્ટ્રગલ કેમ કરી રહી છે? તેના પર તેઓ કહે છે, ‘સંઘ આઈડિયોલોજીના સ્તર પર લોકોને જોડી ચૂક્યો છે. ચૂંટણી જીતવા માટે અમારે 25 માંથી લગભગ 15% વોટ વધુ જોડવા પડશે. હિન્દુઓ તો જોડાયેલા જ છે, પરંતુ ક્રિશ્ચિયન (ખ્રિસ્તી) વોટ પણ અમારા માટે મહત્વના છે.’ ‘ક્રિશ્ચિયન અને મુસ્લિમ હંમેશાથી કોંગ્રેસના વોટર રહ્યા છે. હમણાં થયેલી કોર્પોરેશન ચૂંટણીમાં અમારા કેટલાય ક્રિશ્ચિયન ઉમેદવારો જીત્યા છે. અમે અહીં ક્રિશ્ચિયન પરિવારો સુધી પહોંચી રહ્યા છીએ અને તેમને રાષ્ટ્રપ્રેમ વિશે જણાવી રહ્યા છીએ. અમારો લક્ષ્યાંક એક લાખ પરિવારો સુધી પહોંચવાનો છે.’ BJPએ 31 માર્ચે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. આના દ્વારા પણ ક્રિશ્ચિયન વોટ મેળવવાની કોશિશ કરવામાં આવી છે. સંકલ્પ પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્ષમાં બે વાર LPG સિલિન્ડર પર સબસિડી મળશે. આ સબસિડી ઓણમ અને નાતાલ (ક્રિસમસ) પર મળશે. એક્સપર્ટ બોલ્યા- BJPને જીતવામાં 10 વર્ષથી વધુ સમય લાગશે RSSને નજીકથી સમજનારા સિનિયર જર્નાલિસ્ટ કૈલાશ પણ સંઘના પદાધિકારીઓના દાવાને સાચો માને છે. તેઓ કહે છે, ‘કેન્દ્રમાં BJPના આવવાથી ધીરે-ધીરે માહોલ બદલાઈ રહ્યો છે, નેચરલી BJPનો વોટ શેર વધી રહ્યો છે.’ ‘અહીં સંઘ ઈફેક્ટિવ નહીં હોવા પાછળનું કારણ એ છે કે આ ધાર્મિક રીતે સેન્સિટિવ સ્ટેટ છે. કોમ્યુનિસ્ટનો ટ્રેન્ડ રહ્યો છે. હવે હિન્દુઓ એકજૂથ થઈ રહ્યા છે. મુસ્લિમ પણ એક તરફ જઈ રહ્યા છે. ક્રિશ્ચિયનનો એક વર્ગ BJP તરફ ખસી રહ્યો છે. કેટલાય ક્રિશ્ચિયન ઈન્ટેલેક્ચ્યુઅલ RSS અને BJP સાથે જોડાયેલા છે. જોકે, જે ઝડપથી આ બધું થઈ રહ્યું છે, તે જોતા હજુ BJPને કેરળમ જીતવામાં 10 વર્ષથી વધુ સમય લાગી જશે.’ BJPના પ્રથમ મેયર બોલ્યા- CPM રમખાણો કરાવવા માંગે છે તિરુવનંતપુરમમાં અમારી મુલાકાત BJP કાઉન્સિલર સ્વાતિ સાથે થઈ. તેઓ માત્ર 25 વર્ષના છે. ડિસેમ્બરમાં થયેલી કોર્પોરેશન ચૂંટણીમાં જીત બાદ તેઓ રાજ્યમાં BJPનો પ્રમુખ ચહેરો બની ગયા છે. સ્વાતિ જણાવે છે, ‘આ જીત એમ જ હાંસલ નથી થઈ. હું ચૂંટણી પહેલા દરેક ઘરે ગઈ હતી. દરેક પરિવારને 6 થી 7 વાર કોલ કર્યો. પીએમની યોજનાઓને ઘરે-ઘરે પહોંચાડવાના વાદાએ પણ લોકોનું સમર્થન અપાવ્યું.’ વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે, તે સવાલ પર સ્વાતિ કહે છે, ‘અમારી સીટ કારાકોટમ છે. પૂરી આશા છે કે BJP ઉમેદવાર મુરલીધરણ જીતી જશે. સમર્થન વધતું જોઈને CPM અહીં ધાર્મિક ઈશ્યુ ઉભા કરી રહી છે. તેઓ હિન્દુ-મુસ્લિમને લડાવવા માંગે છે. ચૂંટણી સભાઓમાં કહી રહ્યા છે કે BJP વાળા મુસ્લિમોની હત્યા કરાવે છે.’ તિરુવનંતપુરમ BJP ઓફિસ- રીલ્સ, મીમ્સ, મેસેજ અને વીડિયોઝ સ્વાતિ સાથે વાતચીત કર્યા પછી અમે તિરુવનંતપુરમમાં BJPની ઓફિસે પહોંચ્યા. BJPના નેશનલ જનરલ સેક્રેટરી અને કેરળમ પ્રભારી વિનોદ તાવડે અહીં ધામા નાખીને બેઠા છે. મહારાષ્ટ્રથી કેટલાક ધારાસભ્યો પણ આવ્યા છે, જે 24 કલાક ચૂંટણીના વર્કિંગમાં સામેલ છે. દરેક ફ્લોર પર યંગ પ્રોફેશનલ્સ કામ કરતા જોવા મળી રહ્યા છે. ત્રીજા ફ્લોર પર પાર્ટીનો સોશિયલ મીડિયા વોર રૂમ છે. ટીમના ઈન્ચાર્જ યુવરાજ જણાવે છે, ‘આ કામમાં આપણી સ્પર્ધા કોઈ કરી શકે તેમ નથી. અમે સતત રીલ્સ, મીમ્સ, મેસેજ, વીડિયો સોશિયલ મીડિયા પર મોકલી રહ્યા છીએ. હું કેરળમ BJPમાં યુવા મોરચાનો પદાધિકારી પણ છું. તિરુવનંતપુરમની 3 બેઠકો પર અમારી જીત પાકી લાગી રહી છે.’ આ ઓફિસથી 5 કિમી દૂર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરની ઓફિસ છે. કાર્યકર્તાઓની ભીડ લાગેલી છે. તેમના માટે માછલી-ભાત અને રસમ તૈયાર છે. કોલ્લમ જિલ્લાથી આવેલા કાર્યકર્તા પ્રદીપ જણાવે છે, ‘46 વર્ષથી BJPમાં છું. આ વખતે ઓછામાં ઓછી 15 બેઠકો તો મળશે જ. હવે અમે પહેલાની જેમ CPMથી ડરતા નથી.’ અમે આ મુદ્દે રાજીવ ચંદ્રશેખર સાથે પણ વાત કરી. તેઓ કહે છે, ‘પહેલા અહીં BJP નબળી હતી, એટલે જ RSSને CPMની હિંસાનો સામનો કરવો પડ્યો. ઘણા લોકો શહીદ થયા.’ પાર્ટીની તૈયારીઓ પર તેઓ કહે છે, ‘તમામ 140 બેઠકો પર ચૂંટણી લડવાનો અને જીતવાનો ટાર્ગેટ છે.’ ‘કેરળમમાં ટુ-પાર્ટી સિસ્ટમ ખતમ થઈ રહી છે, મોદીના આવવાથી કોંગ્રેસની શાખ ઘટી’ કેરળ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર પ્રોફેસર જયપ્રસાદનું માનવું છે કે રાજ્યમાં ટુ-પાર્ટી સિસ્ટમ ખતમ થતી જણાય છે. તેઓ કહે છે, ‘મોદી વડાપ્રધાન બન્યા તો બે બાબતો બની, કોંગ્રેસની શાખ ઘટી અને સ્ટેટની પાર્ટીઓની પોપ્યુલારિટી ઘટી ગઈ.' 'પહેલા અહીં 95% વોટ LDF અને UDFમાં વહેંચાઈ જતા હતા. હવે BJPના 15% વોટ પાકા છે. ગત ચૂંટણીમાં લગભગ 20% થઈ ગયા હતા. લેફ્ટ પડતી તરફ છે, નેતાઓ જૂના થઈ ગયા છે. નવા નેતાઓ નથી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગની પણ આ જ હાલત છે. લોકોને લીડર દેખાઈ રહ્યો નથી.’ જયપ્રસાદ આગળ કહે છે, ‘કેરળમમાં દરેક બેઠક પર 25 થી 34% મુસ્લિમ BJP માટે સૌથી મોટો પડકાર છે. CPM અને કોંગ્રેસ આ જ વોટને BJPની હાર માટે એકજૂથ રાખે છે. ક્રિશ્ચિયન કોમ્યુનિટી 18 થી 20% છે, તેઓ કોંગ્રેસના વોટર છે, પરંતુ હવે BJP તરફ ઝૂકી રહ્યા છે. આ વખતે BJPને 22 થી 25% વોટ શેર મળવાની શક્યતા છે.’
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 'દાદા' વગર પ્રોપર્ટી ડીલ શક્ય નથી:15 કરોડમાં એક કરોડ નેતાના, TMCના જે નેતાઓ પર આરોપ તેઓ હવે BJPમાં છે
    Next Article
    'હું શિવનો અવતાર, સંભોગ કર, પવિત્ર થઈ જઈશ':SIT ઓફિસર બોલ્યા- નરબલિની શંકા; 150 મહિલા પીડિત, 58 અશ્લિલ વીડિયો મળ્યા

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment