Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSS હવે લોકો સુધી પહોંચશે:ગુજરાતમાં બે પ્રાંતની જગ્યાએ 3 ભાગ બનશે, ગૃહ સંપર્ક અભિયાનમાં મુસ્લિમ અને ખ્રિસ્તી ઘરોનો પણ સંપર્ક કર્યો

    2 days ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ની બેઠક હરિયાણામાં યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક માળખાને લઈને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સંઘ હવે દેશભરમાં કેન્દ્રીય વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં હવે બે પ્રાંતને બદલે ત્રણ 'સંભાગ' સાથે નવું માળખું કાર્યરત થશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ ત્રણ સંભાગ બનાવવામાં આવશે. એક સંભાગમાં 2થી 3 કરોડ વસ્તીનો સમાવેશ કરશે. 'ઘર ઘર સંપર્ક અભિયાન' દ્વારા અંદાજે 10 કરોડ પરિવારો સુધી પહોંચવાનો પ્રયત્ન હરિયાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આગામી સમય માટે મોટું રણશિંગુ ફૂંક્યું છે. 1500 જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં મળેલી આ બેઠકમાં સંઘના વ્યાપ અને કાર્યપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. સંઘે દેશભરમાં કરેલા 'ઘર ઘર સંપર્ક અભિયાન' દ્વારા અંદાજે 10 કરોડ પરિવારો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. હવે સંઘનો લક્ષ્યાંક તાલુકા સ્તરે જઈને 'સદભાવ સંમેલન' યોજવાનો છે, જેમાં દરેક સમાજના લોકોને એક મંચ પર લાવવામાં આવશે. દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના પ્રાંત સંઘચાલક ડો . ભરત પટેલે જણાવ્યું હતું કે વર્તમાનમાં સંઘની દેશભરમાં 88,949 દૈનિક શાખા, 32,606 સાપ્તાહિક મિલન, 13,211 સંઘ મંડળી મળી કુલ 1,34,766 શાખાઓ ચાલે છે. દેશભરમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 96,045 સેવાકાર્યો ચાલી રહ્યા છે. ગુજરાત પ્રાંતમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 2,688 સેવાકાર્યો ચાલી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે. સંત શિરોમણિ સદગુરુ રવિદાસજીના 650માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે સંઘ દ્વારા દેશભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં અગાઉ સંઘનું કામ 'ગુજરાત પ્રાંત' અને 'સૌરાષ્ટ્ર પ્રાંત' એમ બે ભાગમાં વહેંચાયેલું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 13-15 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1487 કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માટે આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ગુજરાતમાં સંઘનું કામ 'ગુજરાત પ્રાંત' અને 'સૌરાષ્ટ્ર પ્રાંત' એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. પરંતુ હવે ભૌગોલિક સુધારા સાથે ત્રણ સંભાગની રચના કરવામાં આવી છે. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ 'વહીવટી સરળતા' છે. સંઘનું માનવું છે કે નીચેથી આવતો ફીડબેક ઉપર પહોંચવામાં અને ઉપરથી લેવાયેલા નિર્ણયો નીચે અમલી કરવામાં સમય લાગે છે. સામાજિક સમરસતા અને 'પંચ પરિવર્તન' જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી ગુજરાતમાં વર્તમાનમાં 1610 દૈનિક શાખા, 1270 સાપ્તાહિક મિલન તથા 1133 સંઘમંડળી છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2688 સેવાકાર્યો ચાલી રહ્યા છે. સંઘની રચનામાં કુલ 46 પ્રાંતો છે, જેમાંથી 37 પ્રાંતોની માહિતી પ્રમાણે દરેક ઘર અને દરેક ગામમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 3.89 લાખ ગામો અને શહેરોમાં 31,000 વિસ્તારોના 10.02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તમામ ઘરોમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન સામાજિક સમરસતા અને 'પંચ પરિવર્તન' જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સ્વયંસેવકોએ 55,000 મુસ્લિમ ઘરો અને 54,000 ખ્રિસ્તી ઘરોમાં પણ સંપર્ક કર્યો હતો ગૃહ સંપર્ક અભિયાનમાં કેરળમાં સામ્યવાદી (કમ્યુનિસ્ટ) વિચારધારા ધરાવતા ઘરો પણ હતા અને ભિન્ન પૂજા પદ્ધતિ પાળતા પરિવારો પણ હતા. સ્વયંસેવકોએ 55,000 મુસ્લિમ ઘરો અને 54,000 ખ્રિસ્તી ઘરોમાં પણ સંપર્ક કર્યો હતો, જ્યાં તમામ સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે (અમુક પ્રાંતોમાં સમ્મેલન થવાના બાકી છે.) અરુણાચલ પ્રદેશ અને અંદમાન અને નિકોબાર સહિત પૂરા દેશમાં સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમો ઉત્સાહભેર આયોજિત થઈ રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ:બહુચરાજીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના આપઘાત, નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી મંજૂર
    Next Article
    પ્રામાણિક કારદાતાઓએ તિજોરી છલકાવી:રાજકોટ મનપાનાં વેરાવિભાગની આવક રૂ. 400 કરોડને પાર, રૂ. 10,000 સુધી વ્યાજમાફીની યોજના 31 માર્ચ સુધી ચાલુ, રજાના દિવસોમા પણ વેરો ભરી લાભ લઇ શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment