Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિરોઈન બનવાની આંધળી દોટમાં સગીરાએ ઘર છોડ્યું:₹500 લઈ સપનું પૂરું કરવા જતાં ટ્રેનમાં બેસી ભરૂચ આવી, સખી સેન્ટરની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

    3 days ago

    આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવથી કિશોરવયના બાળકો અનેકવાર કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ભરૂચમાં સામે આવી છે, જેમાં બિહારના પટનાની 13 વર્ષની સગીરા ફિલ્મી દુનિયામાં હિરોઈન બનવાના સપના જોઈ ઘરેથી ₹500 લઈ નીકળી પડી હતી અને ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી.જોકે, સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારનો સંપર્ક કરીને સગીરાનું મિલન કરાવ્યું હતું. બાળકો પર દેખરેખ રાખવી જરૂરી સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે, આ ઘટના માતા-પિતા અને સમાજ માટે લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને અવાસ્તવિક સપનાઓથી પ્રભાવિત થઈ કિશોરવયના બાળકો ઘણીવાર આવા ઉતાવળિયા નિર્ણયો લઈ બેસે છે. નિષ્ણાતોના મતે, બાળકો સાથે સતત સંવાદ રાખવો, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર યોગ્ય દેખરેખ રાખવી તેમજ તેમને સમયસર માર્ગદર્શન આપવું આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે. મોબાઈલની આડઅસરનો ચોંકાવતો કિસ્સો પ્રાપ્ત માહિતી અનુસાર, પટનામાં રહેતી સગીરા મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને ફિલ્મી દુનિયાથી પ્રેરાઈને તેના મનમાં હિરોઈન બનવાની ઇચ્છા જાગી હતી. મોબાઈલના વધુ પડતા ઉપયોગ અંગે માતા દ્વારા વારંવાર સમજાવવામાં આવતા અને ઠપકો આપવામાં આવતા સગીરાએ ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને કોઈને જાણ કર્યા વિના નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેનમાં મુસાફરીનો અનુભવ ન હતો ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય માહિતી અને સમજણના અભાવે તે ક્યાં જઈ રહી છે તેની તેને સ્પષ્ટતા ન હતી, જેથી તે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. રેલવે પોલીસને સગીરાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે ઘરેથી ભાગીને આવી હોવાનો ખુલાસો થતાં પોલીસે તેને ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી આપી હતી. સગીરાના પરિવારને સંપર્ક કરાયો સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સગીરા પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પટના પોલીસને પણ કરવામાં આવી હતી, જેના આધારે પટના પોલીસ અને સગીરાના કાકા ભરૂચ આવી પહોંચ્યા હતા. રેલવે પોલીસ અને સેન્ટર દ્વારા જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી સગીરાને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અનાવાડા ગૌશાળામાં બહેનોએ ગૌ સેવા કરી:બીમાર ગૌધનની સારવાર માટે દાન કરી કપિલા માતાના દર્શન કર્યા
    Next Article
    શામળાજીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું:મંત્રી પી.સી. બરંડાએ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહ્વાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment