Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ₹4.60 કરોડના ખર્ચે નવો ડેપો-વર્કશોપ બન્યો:મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક સુવિધાઓવાળા સંકુલનું લોકાર્પણ કર્યું

    12 hours ago

    પાલનપુર ખાતે રાજ્યના પરિવહન માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ₹4.60 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્યએ એસ.ટી.ના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓને સ્વહસ્તે ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા હતા. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વર્કશોપ ખાતેની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તૈયાર કરાયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જૂના અને જર્જરિત ડેપોનું ડિમોલિશન કરીને અત્યાધુનિક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બસોના ઝડપી અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર 998.38 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા છે. અહીં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર, ઓઈલ રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બસોના સમારકામ માટે લોન્ગ સર્વિસ પીટ અને યુ-શેપ પીટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે કર્મચારીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, વર્કર્સ રૂમ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર સંકુલમાં 6,000 ચોરસ મીટર વિસ્તારમાં સી.સી. ટ્રિમિક્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. પાલનપુર એસ.ટી. વિભાગ હાલમાં વિશાળ ફલક પર કાર્યરત છે, જેમાં કુલ 2,896 કર્મચારીઓ (1,147 ડ્રાઈવર અને 1,269 કંડક્ટર સહિત) ફરજ બજાવી રહ્યા છે. આ વિભાગ હેઠળ 7 ડેપો વર્કશોપ અને 8 કંટ્રોલ પોઈન્ટ્સ કાર્યરત છે. હાલમાં 647 બસો દ્વારા દૈનિક 594 શિડ્યુલ અને 2,881 ટ્રિપો મારફતે આશરે 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપીને નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા 99.34% ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા પહોંચાડવામાં આવે છે. દૈનિક 1.19 લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે, જેમાં 18 હજાર ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી પાસ અને 24 હજાર વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરીનો લાભ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હાથમાં છરો લઈને યુવતી બેફામ બની, કાર્યકરોએ ભાજપ MLA ડો.હસમુખ પટેલ સામે જ મોરચો માંડ્યો
    Next Article
    મુખ્યમંત્રીએ દાહોદને ₹367.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી:સિંગવડમાં સેવા સદન, ગરબાડામાં એકલવ્ય સ્કૂલનું લોકાર્પણ; GIDCનું પણ ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment