Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં બે માર્ગોના નવીનીકરણ માટે મંજૂરી:મંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસથી ₹315 લાખના કામોને વહીવટી મંજૂરી મળી

    16 hours ago

    અમરેલી જિલ્લામાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાના પ્રયાસોથી અમરેલી તાલુકાના બે મહત્વપૂર્ણ માર્ગોના નવીનીકરણ માટે કુલ રૂ. 315 લાખની વહીવટી મંજૂરી મળી છે. આમાં જાળિયા–સણોસરા માર્ગ માટે રૂ. 210 લાખ અને ગાવડકા–ચલાલા સ્ટેટ હાઈવે માટે રૂ. 105 લાખનો સમાવેશ થાય છે. જાળિયા–સણોસરા (નોન-પ્લાન) માર્ગના નવીનીકરણ માટે રૂ. 210 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 4 કિલોમીટરના વિસ્તારમાં રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરવામાં આવશે. આનાથી માર્ગની હાલત સુધરશે અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ અંત્યોદયના સિદ્ધાંત મુજબ ગામડાં સુધી ગુણવત્તાસભર રસ્તાની સુવિધા પહોંચાડવાનો છે. જાળિયા–સણોસરા માર્ગના સુધારાથી સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે અને ગ્રામજનોને મોટી રાહત મળશે. આ ઉપરાંત, અમરેલી તાલુકાના ગાવડકા–ચલાલા સ્ટેટ હાઈવેના નવીનીકરણ માટે રૂ. 105 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ પર 1 કિલોમીટરના વિસ્તારમાં રિસર્ફેસિંગ કાર્ય કરવામાં આવશે, જેના પરિણામે માર્ગની સ્થિતિમાં સુધારો થશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:બ્રિજ પરથી ઝાડ પર ચડી ગયો ને 20-25 મિનિટ સુધી 'રામમંદિર બનાવો', 'ભાજપ ગઈ કોંગ્રેસ આવી'ની બૂમો પાડી
    Next Article
    પંચમહાલમાં રૂ. 2.79 કરોડનું ઉચાપત કૌભાંડ:ગાંધીનગરથી ટીમ ગોધરા પહોંચી, સમગ્ર શિક્ષા વિભાગમાં તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment