Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીપુ જળાશય રસ્તાઓ માટે ₹17 કરોડ મંજૂર:ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય

    2 days ago

    રાજ્ય સરકારે ધાનેરા-દાંતીવાડા વિસ્તારના સીપુ જળાશય પ્રોજેક્ટ હેઠળના પેરિફેરી રસ્તાઓના રિ-સરફેસિંગ માટે આશરે ₹17 કરોડ મંજૂર કર્યા છે. આ મંજૂરી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં કરાયેલી રજૂઆત બાદ મળી છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ અગાઉ વિધાનસભામાં સીપુ જળાશય વિસ્તારના બિસ્માર રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની સતત રજૂઆતો અને અનુસરણના પરિણામે રાજ્ય સરકારે આ રસ્તાઓના નવીનીકરણ માટે ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે. આ મંજૂરી હેઠળ નીચેના રસ્તાઓના રિ-સરફેસિંગના કામો હાથ ધરવામાં આવશે: સ્ટેટ હાઈવે થી ગુંદીવાડા સીપુ ડેમ (2.35 કિ.મી.), રામપુરા થી રામપુરા પાંસવાળ (3.00 કિ.મી.), ગુંદીવાડા થી રબારી ગોળિયા (2.35 કિ.મી.), જેગોલ થી કોટડા (1.20 કિ.મી.) અને રબારી ગોળીયા થી નાની મહુડી (2.20 કિ.મી.). આ કામો પૂર્ણ થવાથી સીપુ જળાશય વિસ્તારના ગુંદીવાડા, રામપુરા, રબારી ગોળિયા, જેગોલ, કોટડા અને નાની મહુડી સહિતના ગામોના લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી વિકાસના કામોને ગતિ આપવી એ તેમની પ્રાથમિકતા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી:ઈમેલ મળતાં બિલ્ડિંગ ખાલી કરાવાઈ, પોલીસ તપાસ શરૂ
    Next Article
    Iran's attack on Israel LIVE | ઈરાનની મિસાઈલોથી ઈઝરાયલમાં તબાહી, India કરશે મદદ? | War | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment