Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં ₹15 કરોડના ખર્ચે સાયન્સ કોલેજનું ભૂમિપૂજન:નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

    2 सप्ताह पहले

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે રૂ. 15 કરોડના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ કોલેજનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2001ના ભૂકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કર્યા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા હતા. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને બાળકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સાયન્સ કોલેજ મંત્રી કનુભાઈ દેસાઈ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના અથાગ પ્રયત્નોથી શક્ય બની છે. તેમણે રમણલાલ પાટકરના છેલ્લા 30 વર્ષના કાર્યકાળમાં ઉમરગામમાં થયેલા પરિવર્તન અને શિક્ષણ પરના ધ્યાન કેન્દ્રિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, પરંતુ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા બાદ અનેક સાયન્સ કોલેજો શરૂ થતા ગામેગામથી ડોકટરો અને એન્જિનિયરો બન્યા છે. ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, શિક્ષણનું પ્રમાણ વધારવા માટે દરેક તાલુકામાં સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ શરૂ કરવાની રાજ્ય સરકારની જાહેરાત આજે સાકાર થઈ રહી છે. કલગામમાં નિર્માણ થનાર આ સાયન્સ કોલેજથી કોસ્ટલ વિસ્તારના 17 ગામની 89,000 વસ્તીને લાભ થશે. સરકારે કોલેજ માટે 25 એકર જમીન ફાળવી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિએ સાયન્સ કોલેજની સાથે અન્ય કોલેજો પણ આવશે તેવી ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું કે, શિક્ષણનો વ્યાપ વધવાથી સમાજનું સ્તર ઊંચું આવશે. આ ઉપરાંત, ભીલાડમાં રૂ. 60-60 લાખના ખર્ચે બે છાત્રાલય પણ મંજૂર થયા છે.
    Click here to Read More
    Previous Article
    12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપાઈ:રાજ્યના પહેલા આઈટી પાર્કનું લોકાર્પણ, નીલગાયને બચાવવા જતા ત્રણનાં મોત, રકાબીએ ખોલ્યો હત્યાનો ભેદ
    Next Article
    Dahod Leopard attack | દાહોદમાં દિપડાના હુમલાથી ભયનો માહોલ | Public | Fear | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment