Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપર ગામે નીજીવી બાબતે યુવાન પર હુમલો:RCC રોડ પર પાણી છાંટવા બાબતે બાબતે ઝઘડો થયો, યુવક વિરમગામ હોસ્પિટલ દાખલ

    17 hours ago

    રાજપર ગામે RCC રોડ પર પાણી છાંટવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવાન પર હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ થયેલા યુવાનને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી તાલુકાના રાજપર ગામના મેહુલ દલસુખભાઈ ધાડવી (ઉં.વ. 22,) ગામના સરપંચ સુખા છના અણીયાળીયાના કહેવાથી ગામથી ભડેણા ગામ તરફના RCC રોડ પર પાણી છાંટી રહ્યા હતા. તે સમયે વિક્રમ ભરતભાઈ ત્યાં આવ્યા હતા અને રોડ પર મુકેલા કાંટા હટાવવાનું કહ્યું હતું. મેહુલે કાંટા હટાવીને આજુબાજુ મુક્યા હતા, ત્યારે વિક્રમે ફરીથી તે કાંટા પણ હટાવવાનું કહ્યું. આના પર મેહુલે સરપંચને પૂછ્યા વગર કાંટા નહીં હટાવવાનું કહેતા વિક્રમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. મેહુલે ગાળો બોલવાની ના પાડતા વિક્રમ વધુ ઉશ્કેરાઈને પોતાના ઘરમાંથી લાકડાનો ધોકો લઈને આવ્યા હતા. તે સમયે વિક્રમના પત્ની ઇન્દુબેન અને માતા રમીલાબેને તેમને પકડી રાખ્યા હતા. જોકે, વિક્રમ તેમનાથી છૂટીને મેહુલની નજીક આવ્યા અને લાકડાનો ધોકો તેમના ડાબા હાથની કોણી પર માર્યો હતો. વધુ મારથી બચાવવા માટે રમીલાબેન, ઇન્દુબેન અને કલાભાઈ ગંગારામભાઈએ વિક્રમને પકડી રાખ્યા હતા. આ ઘટના બાદ મેહુલ પોતાના ઘરે ગયા હતા અને માતા-પિતાને જાણ કરી હતી. ડાબા હાથની કોણીમાં દુખાવો થતા તેમને ગામના કબા છનાભાઈ વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મેહુલની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે તેમને ડાબા હાથે કોણી પાસે મુંઢમાર વાગ્યો છે, પરંતુ કોઈ ભાગ તૂટ્યો નથી. હાલ મેહુલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મેહુલ દલસુખભાઈ ધાડવીએ વિક્રમ ભરતભાઈ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના એમ.જી. પાણકુટા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી:હજારો ભક્તો 'જય શ્રી રામ'ના નારા સાથે જોડાયા
    Next Article
    નિર્લિપ્ત રાયે ગૂનેગારો સામે સકંજો કસ્યો:રાજકોટ રેન્જ IG એ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment