Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે માસૂમોના હૃદયના ધબકારા હવે રહેશે સુરક્ષિત:ગંજીવાડા અને પોપટપરાના બે બાળકોની લાખોનાં ખર્ચે થતી જટિલ સર્જરી RBSK યોજના હેઠળ નિ:શુલ્ક કરાઈ

    2 days ago

    રાજકોટના બે જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ હૃદયની જટિલ સર્જરીઓ વિનામૂલ્યે પૂરી પાડીને નવજીવન આપવામાં આવ્યું છે. આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને જન્મજાત બીમારીઓ સામે રક્ષણ આપવાના ઉદ્દેશ્યથી, આરોગ્ય વિભાગ અને યુ.એન. મહેતા હોસ્પિટલના સહયોગથી આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા. જન્મજાત હૃદયની તકલીફ સામે કરણનો વિજય રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ મકવાણાના પુત્ર કરણનો જન્મ ડિસેમ્બર 2022માં થયો હતો. જન્મ બાદ તેને હૃદયની ગંભીર તકલીફ હોવાનું નિદાન થયું હતું. આર્થિક સંકડામણને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરિવાર માટે અશક્ય હતી. દરમિયાન, RBSKની મોબાઈલ હેલ્થ ટીમે આ બાળકની સ્થિતિની ગંભીરતા નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓની મંજૂરી બાદ બાળકને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં તજજ્ઞ તબીબો દ્વારા કરવામાં આવેલી જટિલ સર્જરીનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવ્યો હતો. આજે કરણ સંપૂર્ણ સ્વસ્થ થઈને સામાન્ય જીવન જીવી રહ્યો છે. 'ટેટ્રાલોજી ઓફ ફેલોટ' સામે પોષણ અને સારવારનો જંગ બીજા કિસ્સામાં, પોપટપરા વિસ્તારના મજૂર પરિવારના બાળકને 'ટેટ્રાલોજી ઓફ ફેલોટ' નામની અત્યંત જવલ્લે જ જોવા મળતી હૃદયની બીમારી હતી. આ સ્થિતિમાં હૃદયની જન્મજાત ક્ષતિને કારણે લોહીમાં ઓક્સિજન ઘટી જતું હતું, જેના પરિણામે બાળક સતત બીમાર રહેતું અને તેનું વજન વધતું નહોતું. ઓછા વજનને કારણે શરૂઆતમાં સર્જરી કરવી જોખમી હતી. આ પડકારને પહોંચી વળવા આરોગ્ય વિભાગ અને આંગણવાડીની ટીમે પાયાના સ્તરે કામ કર્યું હતું. આંગણવાડીના 'બાલશક્તિ' પૌષ્ટિક પેકેટના ઉપયોગ દ્વારા બાળકના આહાર પર વિશેષ ધ્યાન આપી તેનું વજન વધારવામાં આવ્યું હતું. શારીરિક ક્ષમતા સુધર્યા બાદ, યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ લાખો રૂપિયાનો ખર્ચ યોજના હેઠળ માફ થતા શ્રમિક પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ બંને કિસ્સાઓ સાબિત કરે છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રક્ષણ કવચ સમાન છે. છેવાડાના માનવી સુધી પહોંચતી સરકારની આ લોકકલ્યાણકારી યોજનાઓને કારણે આજે અનેક પરિવારોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં મમુમિંયાને સજા:12 દોષિતને 5થી 7 વર્ષની કેદ, દાઉદ ઈબ્રાહિમ સહિત 15 આરોપી ભાગેડુ; 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કનેક્શન
    Next Article
    રાજકોટવાસીઓને પાણીની તકલીફ નહીં પડે:આજી-ન્યારી સહિતનાં ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલો જથ્થો, હીટવેવ માટે ખાસ એક્શન પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment