Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી RBI MPCની 3-દિવસીય મીટિંગ:રેપો રેટમાં ફેરફારની શક્યતા ઓછી; 5 ઓગસ્ટે નિર્ણયોની જાહેરાત

    11 hours ago

    RBIની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજે સોમવાર, 3 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય બેંક રેપો રેટને કોઈ પણ ફેરફાર વગર સ્થિર રાખી શકે છે. મોંઘવારીના વલણ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે. 2025માં ચાર વારમાં 1.25%નો ઘટાડો RBIની છેલ્લી મીટિંગ જૂનમાં થઈ હતી રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની બીજી મીટિંગ જૂનમાં કરી હતી. તેમાં રેપો રેટને 5.25% પર યથાવત રાખ્યો હતો. જોકે, 2027માં મોંઘવારીના અંદાજને 4.6% થી વધારીને 5.1% કરી દીધો હતો. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો થવાની છે, આ આ નાણાકીય વર્ષની ત્રીજી મીટિંગ છે. પહેલી બેઠક એપ્રિલમાં થઈ હતી. RBI વ્યાજ દરમાં ફેરફાર કરવામાં ઉતાવળ નહીં કરે નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વના કડક વલણ છતાં RBI હાલ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાની ઉતાવળ નહીં કરે. કેન્દ્રીય બેંકનું સંપૂર્ણ ધ્યાન ઘરેલું મોંઘવારી, લિક્વિડિટી અને આર્થિક વિકાસ પર રહેવાની અપેક્ષા છે. ડિસેમ્બરમાં વધારો થઈ શકે છે ઇક્વિરસ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ મૌલિક પટેલે પણ દરોમાં ફેરફાર ન થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને હવામાનની અસરને કારણે જથ્થાબંધ અને છૂટક મોંઘવારીમાં તેજી જોવા મળી રહી છે. આ દબાણોને કારણે આખા વર્ષ માટે CPI 4.9 ટકા રહેવાનો અંદાજ છે. પટેલે કહ્યું કે વૈશ્વિક સ્તરે કડક થતી નાણાકીય નીતિઓને જોતા RBI ભવિષ્યના નિર્ણયોમાં સાવચેતી રાખશે. ઇક્વિરસ સિક્યોરિટીઝને અપેક્ષા છે કે ડિસેમ્બરની પોલિસી સમીક્ષામાં RBI 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે? રેપો રેટ મોંઘવારી સામે લડવાનું એક ટુલ છે. જ્યારે મોંઘવારી વધારે હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક તેને વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો કરવાનો પ્રયાસ કરે છે. જો પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં, બેંકો ગ્રાહકો માટે લોન મોંઘી કરે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થવાથી માંગ ઘટે છે અને મોંઘવારી ઓછી થાય છે. જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવા કિસ્સામાં, સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં NEET પેપર લીક-વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે વિરોધ:મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ-કાર્યકર્તાઓ નહેરુબ્રિજ પહોંચ્યા, ‘અમિત શાહ રાજીનામું આપો’ના નારા લગાવ્યાં
    Next Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત:મહિલા કાર્યકરો ગરબે ઘૂમ્યા, નવમાં રાઉન્ડના અંતે સતિષ પટેલ 13,591 મતથી આગળ, કોંગ્રેસ પહેલા રાઉન્ડથી જ પાછળ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment