Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતરના મેળામાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ મોડી રાત્રે દર્શન કર્યાં:ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરી; પશુ પ્રદર્શન સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપ્યા

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળાનું ભવ્ય આયોજન કરાયું છે. ઋષિ પંચમીના પવિત્ર દિવસે રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાએ મોડી રાત્રે ખાસ હાજરી આપી હતી. તેમણે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા તેમજ પશુ પ્રદર્શન અને સાંસ્કૃતિક સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. મહાદેવના દર્શન અને રાજ્ય સમૃદ્ધિની પ્રાર્થના મંત્રી દર્શનાબેન વાઘેલાએ તરણેતર પહોંચીને સૌપ્રથમ ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજન વિધિ કરી હતી. તેમણે સમગ્ર ગુજરાત રાજ્યની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો, દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ અને પરંપરાગત કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. સનાતન પરંપરા અને ગ્રામીણ સંસ્કૃતિનું જતન ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે આ મેળો ગુજરાતની આગવી ઓળખ અને ભાતીગળ લોકસંસ્કૃતિનું પ્રતિક છે. ઉચ્ચ શિક્ષણ મેળવીને શહેરો કે વિદેશમાં સ્થાયી થવા છતાં આપણી મૂળ ગ્રામીણ સંસ્કૃતિ અને સનાતન ધર્મની રીત-રિવાજો ન ભૂલવા તેમણે આહ્વાન કર્યું હતું. અહીં લોકકળા, ધાર્મિક આસ્થા, શૌર્ય અને પરંપરાનો અનોખો સંગમ રચાય છે. વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન અને વૈશ્વિક ઓળખ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી તેમણે આ મેળાને વૈશ્વિક સ્તરે લઈ જવા ખાસ પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ દર વર્ષે મેળાના સમાપન પ્રસંગે હાજર રહીને સ્થાનિક કલાકારોને બિરદાવતા હતા. વિવિધ જિલ્લાઓમાંથી આવતી પશુઓની હરીફાઈ, રાસ મંડળોના લોકનૃત્યો અને પરંપરાગત સ્પર્ધાઓ વિશ્વભરના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્થાનિક રોજગાર અને સરકારી યોજનાઓની માહિતી દર વર્ષે મેળા દરમિયાન અંદાજે 3 થી 4 લાખ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે, જેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક વેપાર અને ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળે છે. પ્રવાસન વિભાગના યોગ્ય આયોજન હેઠળ વિવિધ સરકારી સ્ટોલ્સ ઊભા કરીને નાગરિકોને કલ્યાણકારી યોજનાઓની ઉપયોગી માહિતી પણ આપવામાં આવી રહી છે. નારીશક્તિની પ્રશંસા અને અદકેરું સ્વાગત દિવસે ધાર્મિક આસ્થા અને રાત્રિના ભજન સંધ્યાના સુમધુર સૂરથી સમગ્ર પાંચાળ પંથક ભક્તિમય બની જાય છે. દીકરીઓએ હાથમાં તલવાર સાથે પ્રસ્તુત કરેલા શૌર્યપૂર્ણ ગરબાની મંત્રીએ મુક્તકંઠે પ્રશંસા કરી નારીશક્તિને બિરદાવી હતી. મંત્રીનું પરંપરાગત ભરતકામ કરેલી ઝાલાવાડી કોટી પહેરાવીને વિશિષ્ટ સ્વાગત કરાયું હતું, જ્યારે પાંચાળ અને માલધારી રાસ મંડળોએ નયનરમ્ય કૃતિઓ રજૂ કરી હતી. પશુ પૂજન અને વિજેતાઓને પુરસ્કાર મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં શાસ્ત્રોક્ત વિધિથી ગાય માતાનું પૂજન કર્યું હતું અને વિજેતા પશુઓને રસપૂર્વક નિહાળ્યા હતા. પશુપાલન ખાતાના અધિકારીઓએ તેમને પશુઓની વિવિધ નસ્લો અને હરીફાઈના પાસાંઓથી માહિતગાર કર્યા હતા. બાદમાં મંત્રીના હસ્તે વિજેતા પશુપાલકો અને સાંસ્કૃતિક સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર તથા ઈનામો એનાયત કરાયા હતા. વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ આ ભવ્ય પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર, મેયર રાકેશભાઈ રાઠોડ અને સરપંચ અશોકસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કલેક્ટર જી.એચ. સોલંકી, DDO કે.એસ. યાજ્ઞિક, પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Russia Sanctions Reaches Trump's Desk. How It Will Affect India's Oil Trade
    Next Article
    સાવરકુંડલામાં 15 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન:ગણેશપ્રતિમાને ભાતીગળ શણગાર; ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment